AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈપણ ભોગે MS ધોનીને રિટેન કરશે, કરી મોટી જાહેરાત

IPL 2025 માટે BCCI દ્વારા હજુ સુધી રિટેન્શન પોલિસી જારી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, એમએસ ધોની IPLની આગામી સિઝન રમશે કે નહીં તે હજુ નક્કી નથી. આ બધા વચ્ચે ધોનીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈપણ ભોગે MS ધોનીને રિટેન કરશે, કરી મોટી જાહેરાત
MS Dhoni (Photo PTI)
| Updated on: Sep 13, 2024 | 4:52 PM
Share

IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાવાની છે, પરંતુ BCCIએ હજુ સુધી રિટેન્શન પોલિસી જાહેર કરી નથી. આવી સ્થિતિમાં, એમએસ ધોની IPLની આગામી સિઝન રમશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. અગાઉ એક અહેવાલ સામે આવ્યો હતો કે BCCI દ્વારા પાંચથી છ ખેલાડીઓને જાળવી રાખવાનો નિયમ લાગુ કરવામાં આવશે તો જ ધોની આગામી સિઝનમાં રમશે. પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી એમએસ ધોનીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

CSK ધોનીને કોઈ પણ સંજોગોમાં રિટેન કરશે

ક્રિકબઝના અહેવાલ મુજબ, એમએસ ધોનીનો IPL 2025માં રમવાનો નિર્ણય કોઈ નિયમ પર નિર્ભર રહેશે નહીં. અગાઉ, એવા અહેવાલ હતા કે જ્યારે BCCI IPL 2025 મેગા ઓક્શન માટે રિટેન્શન પોલિસી જાહેર કરશે ત્યારે CSK અને ધોનીવિશે નિર્ણય લેશે. પરંતુ હવે CSK અધિકારીઓ પણ કહે છે કે જો ધોની આગામી સિઝનમાં રમવાનું નક્કી કરે છે, તો તે તેમના રિટેન્શનમાંથી એક હશે, ભલે BCCI માત્ર બે જ રિટેન્શનને મંજૂરી આપે.

રિટેન્શન પોલિસી ક્યારે જાહેર કરવામાં આવશે?

રિપોર્ટ્સ અનુસાર, રિટેન્શન નિયમો જારી કરવામાં વધુ સમય લાગશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મહિનાના અંત સુધી જાહેરાત મુલતવી રાખી શકે છે. દરેકની નજર બેંગલુરુમાં 29 સપ્ટેમ્બરે યોજાનારી BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM) પર પણ છે. એવું માનવામાં આવે છે કે વિલંબની જાણ BCCI અધિકારીઓ દ્વારા ફ્રેન્ચાઈઝીઓને કરવામાં આવી હતી, જેમણે તાજેતરમાં જ રીટેન્શન નિયમો અંગે તેમનો સંપર્ક કર્યો હતો.

અનકેપ્ડ ખેલાડી નિયમ પર ચર્ચા

બીજી તરફ એવા સમાચાર પણ સામે આવ્યા છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. વાસ્તવમાં, અગાઉ IPLમાં એક નિયમ હતો કે જો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 કે તેથી વધુ વર્ષ માટે નિવૃત્ત થયો હોય, તો તેને અનકેપ્ડ ખેલાડી તરીકે ગણવામાં આવે. આ નિયમ 2021 પછી નાબૂદ કરવામાં આવ્યો હતો, પરંતુ માનવામાં આવે છે કે આ નિયમ ફરી એકવાર શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો: 350 દિવસ બાદ ભારત-પાકિસ્તાન આમને-સામને ટકરાશે, જાણો ક્યારે અને ક્યાં જોવી મેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">