AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈપણ ભોગે MS ધોનીને રિટેન કરશે, કરી મોટી જાહેરાત

IPL 2025 માટે BCCI દ્વારા હજુ સુધી રિટેન્શન પોલિસી જારી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, એમએસ ધોની IPLની આગામી સિઝન રમશે કે નહીં તે હજુ નક્કી નથી. આ બધા વચ્ચે ધોનીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈપણ ભોગે MS ધોનીને રિટેન કરશે, કરી મોટી જાહેરાત
MS Dhoni (Photo PTI)
| Updated on: Sep 13, 2024 | 4:52 PM
Share

IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાવાની છે, પરંતુ BCCIએ હજુ સુધી રિટેન્શન પોલિસી જાહેર કરી નથી. આવી સ્થિતિમાં, એમએસ ધોની IPLની આગામી સિઝન રમશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. અગાઉ એક અહેવાલ સામે આવ્યો હતો કે BCCI દ્વારા પાંચથી છ ખેલાડીઓને જાળવી રાખવાનો નિયમ લાગુ કરવામાં આવશે તો જ ધોની આગામી સિઝનમાં રમશે. પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી એમએસ ધોનીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

CSK ધોનીને કોઈ પણ સંજોગોમાં રિટેન કરશે

ક્રિકબઝના અહેવાલ મુજબ, એમએસ ધોનીનો IPL 2025માં રમવાનો નિર્ણય કોઈ નિયમ પર નિર્ભર રહેશે નહીં. અગાઉ, એવા અહેવાલ હતા કે જ્યારે BCCI IPL 2025 મેગા ઓક્શન માટે રિટેન્શન પોલિસી જાહેર કરશે ત્યારે CSK અને ધોનીવિશે નિર્ણય લેશે. પરંતુ હવે CSK અધિકારીઓ પણ કહે છે કે જો ધોની આગામી સિઝનમાં રમવાનું નક્કી કરે છે, તો તે તેમના રિટેન્શનમાંથી એક હશે, ભલે BCCI માત્ર બે જ રિટેન્શનને મંજૂરી આપે.

રિટેન્શન પોલિસી ક્યારે જાહેર કરવામાં આવશે?

રિપોર્ટ્સ અનુસાર, રિટેન્શન નિયમો જારી કરવામાં વધુ સમય લાગશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મહિનાના અંત સુધી જાહેરાત મુલતવી રાખી શકે છે. દરેકની નજર બેંગલુરુમાં 29 સપ્ટેમ્બરે યોજાનારી BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM) પર પણ છે. એવું માનવામાં આવે છે કે વિલંબની જાણ BCCI અધિકારીઓ દ્વારા ફ્રેન્ચાઈઝીઓને કરવામાં આવી હતી, જેમણે તાજેતરમાં જ રીટેન્શન નિયમો અંગે તેમનો સંપર્ક કર્યો હતો.

અનકેપ્ડ ખેલાડી નિયમ પર ચર્ચા

બીજી તરફ એવા સમાચાર પણ સામે આવ્યા છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. વાસ્તવમાં, અગાઉ IPLમાં એક નિયમ હતો કે જો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 કે તેથી વધુ વર્ષ માટે નિવૃત્ત થયો હોય, તો તેને અનકેપ્ડ ખેલાડી તરીકે ગણવામાં આવે. આ નિયમ 2021 પછી નાબૂદ કરવામાં આવ્યો હતો, પરંતુ માનવામાં આવે છે કે આ નિયમ ફરી એકવાર શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો: 350 દિવસ બાદ ભારત-પાકિસ્તાન આમને-સામને ટકરાશે, જાણો ક્યારે અને ક્યાં જોવી મેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">