IPL 2022: રોહિત શર્માના એક નિર્ણયે સૌને ચોંકાવી દીધા, ફીટ થઈને આવેલા સ્ટાર બેટ્સમેનને જ બહાર રાખી દીધો

સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તેથી જ તે એનસીએ માં પોતાની ઈજા પર કામ કરીને IPL માં આવ્યો હતો.

IPL 2022: રોહિત શર્માના એક નિર્ણયે સૌને ચોંકાવી દીધા, ફીટ થઈને આવેલા સ્ટાર બેટ્સમેનને જ બહાર રાખી દીધો
Suryakumar Yadavને બહાર રાખી Rohit Sharma એ આશ્વર્ય સર્જ્યુ છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 4:24 PM

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) શનિવારે IPL 2022 માં તેની બીજી મેચ રમી રહ્યુ છે. આ ટીમની સામે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) છે. પ્રથમ મેચમાં મુંબઈનો પરાજય થયો હતો. તે રાજસ્થાન સામે જીતવાનો પ્રયાસ કરશે. આ મેચમાં જ્યારે રોહિત શર્મા ટોસ માટે આવ્યો ત્યારે તેણે પોતાના એક નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. રોહિતને જ્યારે ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ટીમમાં કોઈ ફેરફાર નથી, જ્યારે એવી આશા હતી કે ઈજામાંથી પરત ફરેલા સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને તક મળશે, પરંતુ એવું થયું નહીં.

મેચ પહેલા શુક્રવારે ટીમના ક્રિકેટ ડાયરેક્ટર ઝહીર ખાને સ્પષ્ટ કર્યું હતું કે સૂર્યકુમાર યાદવ સંપૂર્ણ રીતે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ રહેશે પરંતુ તેનું નામ પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળ્યું નથી. રોહિતે ટોસ સમયે આના કારણ વિશે કોઈ માહિતી આપી ન હતી. ઝહીરે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સૂર્યકુમાર રિટેન કરેલ ખેલાડી છે અને આ ટીમનો મુખ્ય સભ્ય છે. અમે બધા તેના મેદાનમાં પ્રવેશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તે આગામી મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

ટીમ સાથે પ્રેક્ટિસ કરી ન હતી

સ્ટાર સ્પોર્ટ્સે કહ્યું હતું કે સૂર્યકુમાર ટીમ સાથે વોર્મ અપ નથી કરી રહ્યો. આવી સ્થિતિમાં સૂર્યકુમાર શા માટે નથી રમી રહ્યો, ઈજામાંથી સાજા થયા બાદ તેના પર પણ શંકા જણાઈ રહી છે. ફેબ્રુઆરીમાં કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તેની આંગળીમાં ‘હેરલાઈન’ ફ્રેક્ચર થયુ હતુ. તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પણ જઈ આવ્યો હતો. ત્યાં જવાને લઈ તે મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મુંબઈની બેટિંગને મજબૂતી મળી હોત

જો સૂર્યકુમાર યાદવ રમ્યો હોત તો ટીમની બેટિંગ લાઈન મજબૂત બની હોત. તે લાંબા સમયથી ટીમની સાથે છે અને ટીમની બેટિંગનો મુખ્ય આધાર છે. સૂર્યકુમાર યાદવની હાજરીથી ટીમનો મિડલ ઓર્ડર મજબૂત થયો હોત. છેલ્લી મેચમાં તેના સ્થાને અનમોલપ્રીત સિંહને તક આપવામાં આવી હતી પરંતુ તે સફળ રહ્યો ન હતો. તેને આ મેચમાં પણ ખવડાવવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તે સૂર્યકુમારની જગ્યા કેવી રીતે સરભર કરી શકે છે.

આ પણ વાંચોઃ Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

આ પણ વાંચોઃ IPL 2022 CSK vs PBKS Live Streaming: ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે? જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">