IPL 2022: કેન વિલિયમસનના કેચ આઉટનો વિવાદ વકર્યો, સનરાઈઝર્સ હૈદરાબાદે અધિકારીક રુપે ફરિયાદ નોંધાવી

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને તેની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેન વિલિયમસન (Kane Williamson) નો કેચ વિવાદાસ્પદ બન્યો હતો.

IPL 2022: કેન વિલિયમસનના કેચ આઉટનો વિવાદ વકર્યો, સનરાઈઝર્સ હૈદરાબાદે અધિકારીક રુપે ફરિયાદ નોંધાવી
Kane Williamson રાજસ્થાન સામે કેચ આઉટ આપ્યો હતો.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 4:05 PM

IPL 2022 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની શરૂઆત ખરાબ રહી હતી. પોતાની પ્રથમ મેચમાં તેને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી એકતરફી મેચમાં સનરાઇઝર્સને રોયલ્સ દ્વારા 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ની વિકેટને લઈને ઘણો વિવાદ થયો હતો. 200થી વધુ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સે કેપ્ટન કેન વિલિયમસનની વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. જો કે તેનો કેચ યોગ્ય હતો કે નહીં તે અંગે ઘણો વિવાદ થયો હતો, જે સોશિયલ મીડિયા પર પણ છવાયેલો હતો.

મેચ બાદ ટીમના કોચ ટોસ મૂડી ખૂબ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. તેમણે ટીવી અમ્પાયરના આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. મેચ હાર્યા બાદ હૈદરાબાદના કોચ ટોમ મૂડીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા કે કેનને આઉટ આપવામાં આવ્યો, ખાસ કરીને જ્યારે અમે રિપ્લે જોયું. હું સમજી શકું છું કે ફિલ્ડ અમ્પાયર શા માટે થર્ડ અમ્પાયર તરફ વળ્યા હતા. ટીમના મેનેજમેન્ટે તેની સામે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.

હૈદરાબાદે ફરિયાદ નોંધાવી હતી

મિડીયા અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી નારાજ, સનરાઇઝર્સ હૈદરાબાદે IPL ગવર્નિંગ કાઉન્સિલમાં અમ્પાયર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ટીમ મેનેજમેન્ટના એક સભ્યએ લખ્યું, ‘હા, અમે આના વિરુદ્ધ બીસીસીઆઈને ફરિયાદ મોકલી છે. નિયમો અનુસાર, કોચ પહેલા તેની વિરુદ્ધ ફરિયાદ કરે છે અને ત્યાર બાદ બાકીની પ્રક્રિયા થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું હતો સમગ્ર મામલો

હૈદરાબાદની ટીમને 211 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઓવરના ચોથા બોલ પર, પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ વિલિયમસનના બેટની બહારની કિનારે અથડાયો અને વિકેટકીપર અને પ્રથમ સ્લિપ પર ઉભેલા ફિલ્ડરની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. રાજસ્થાનના વિકેટકીપર સંજુ સેમસને તેને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના ગ્લોવઝમાં અથડાયા બાદ સ્લીપમાં જતો રહ્યો. દેવદત્ત પડિકલે આ બોલ ઝડપી લીધો અને આઉટ માટે અપીલ કરી. અમ્પાયરે તેને ત્રીજા અમ્પાયર પાસે મોકલ્યો જેણે વિલિયમસનને આઉટ આપ્યો. રિપ્લે દેખાડવામાં આવી રહ્યુ હતુ, તેથી એંગલથી જોતા એવું લાગતું હતું કે બોલ પડિકલના હાથમાં આવતા પહેલા જમીનને સ્પર્શી ગયો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

આ પણ વાંચોઃ IPL 2022 CSK vs PBKS Live Streaming: ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે? જાણો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">