AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs PBKS: દિલ્હી કેપિટલ્સમાં કોરોનાનો ખતરો વધ્યો, ફિઝિયો બાદ ખેલાડી પોઝિટિવ, ટીમનું પુણે જવાનું રદ્દ

DC vs PBKS, Corona in IPL 2022:દિલ્હી કેપિટલ્સના ફિઝિયો patrick farhartતાજેતરમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી દિલ્હી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ પહેલા સામે આવી છે.

DC vs PBKS: દિલ્હી કેપિટલ્સમાં કોરોનાનો ખતરો વધ્યો, ફિઝિયો બાદ ખેલાડી પોઝિટિવ, ટીમનું પુણે જવાનું રદ્દ
દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ, આખી ટીમ ફરી એક વખત આઈસોલેટ Image Credit source: ipl
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 3:37 PM
Share

DC vs PBKS, Corona in IPL 2022:દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals Covid-19 Cases) નો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રિષભ પંત અને આખી ટીમ ફરી એકવાર આઈસોલેટ છે. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સની આગામી મેચ 20 એપ્રિલે પંજાબ કિંગ્સ સાથે થવાની છે.દિલ્હી કેપિટલ્સે ((Delhi Capitals)કોરોના પોઝિટિવ ( corona positive ) કેસ બાદ આજનું તેનું શેડ્યૂલ બદલ્યું છે. આજે ટીમ આગામી મેચ માટે પુણે જવા રવાના થવાની હતી, પરંતુ હવે તમામ ખેલાડીઓ આઈસોલેટમાં રહેશે, ટીમના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ આજે અને આવતીકાલે કરવામાં આવશે.

દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ તાજેતરમાં કોરોના પોઝિટિવ થયો હતો. આઈપીએલ 2022માં દિલ્હી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ પહેલા આ માહિતી સામે આવી છે. આ પછી, દિલ્હીના ખેલાડીઓને કહેવામાં આવ્યું કે તેઓ મેચ પછી અથવા દરમિયાન આરસીબીના ખેલાડીઓ સાથે ન તો હાથ મિલાવે અને ન ગળે લગાવે.

દિલ્હી કેપિટલ્સની આગામી મેચ 20 એપ્રિલે પુણેમાં પંજાબ કિંગ્સ સામે

ક્રિકબઝના સમાચાર મુજબ, એવું માનવામાં આવે છે કે દિલ્હી કેપિટલ્સનો અન્ય એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પરિણામ રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં આવ્યું છે. ખેલાડીના RT-PCR ટેસ્ટનું પરિણામ આવવાનું બાકી છે. દિલ્હી કેપિટલ્સની આગામી મેચ 20 એપ્રિલે પુણેમાં પંજાબ કિંગ્સ સામે છે. IPL 2022ની અત્યાર સુધીની સિઝનમાં કોરોના કેસ માત્ર દિલ્હી કેપિટલ્સમાં જ જોવા મળ્યો છે. જોકે, આ વખતે બાયો બબલના નિયમો પાછલી સિઝનની જેમ કડક નથી. ભારતમાં કોરોનાના ઓછા કેસને કારણે આવું કરવામાં આવ્યું છે. પરંતુ આ ઘટના બીસીસીઆઈની ચિંતા વધારી શકે છે.

IPL 2022માં કોરોનાના નિયમો બદલાયા છે

IPL 2022 માં, કોરોના સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત જો 12 સ્વસ્થ ખેલાડીઓ હોય તો ટીમ મેચ રમી શકે છે. આ માટે સાત ભારતીય ખેલાડીઓ હોવા જરૂરી છે. 12માંથી એક અવેજી ફિલ્ડર હોવો જોઈએ. નહિંતર, BCCI મેચ ફરીથી શેડ્યૂલ કરી શકે છે. જો આમ પણ નહીં થાય તો IPLની ટેકનિકલ કમિટી મેચના પરિણામ અંગે નિર્ણય કરશે.

 આ પણ વાંચો :

#CSKvsGT: મિલર અને રાશિદની તોફાની ઈનિંગ્સને કારણે ગુજરાતની જીત, સોશિયલ મીડિયા પર MEMESનુ ઘોડાપૂર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">