IPLમાં કોરાનાની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ ટીમમાં મળ્યો પહેલો કેસ, ટીમ ફિઝિયો બન્યો કોવિડ-19 પોઝિટિવ

આઈપીએલમાં કોરોના કેસ સામે ન આવે તેના માટે બીસીસીઆઈએ કડક બાયો-બબલના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. છતાં કોરોનાની એન્ટ્રી થતાં બોર્ડમાં ચિતાનું મોજુ ફરી વળ્યું છે.

IPLમાં કોરાનાની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ ટીમમાં મળ્યો પહેલો કેસ, ટીમ ફિઝિયો બન્યો કોવિડ-19 પોઝિટિવ
Delhi Capitals Physio Patrick Farhart (PC: DC)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 7:50 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ (Patrick Farhart) COVID-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. IPL એ શુક્રવારે એક પ્રેસ રિલીઝમાં પેટ્રિકના કોરોના સંક્રમણની પુષ્ટિ કરી હતી. હાલમાં દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ ફરહાર્ટ પર નજર રાખી રહી છે. 2 વર્ષ પહેલા, કોરોનાની પ્રથમ લહેરને કારણે, IPL 2020 સ્થગિત કરવી પડી હતી. તે વર્ષે આઈપીએલની તમામ મેચો યુએઈમાં યોજાઈ હતી. ત્યારબાદ 2021 માં પણ, કોરોના રોગચાળાના વિકરાળ સ્વરૂપને કારણે પ્રથમ તબક્કા પછી IPL રોકવી પડી હતી. આ સિઝનનો બીજો લેગ પણ UAE માં જ પૂર્ણ થયો હતો.

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયા પછી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સ્ટેડિયમમાં દર્શકોની કુલ ક્ષમતાના 25% પ્રવેશની મંજૂરી આપી હતી. આ સાથે સાવચેતી રાખીને ટીમોને બાયો-બબલમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. કોરોના સંક્રમણથી બચવા માટે સમગ્ર IPL ને મુંબઈના ત્રણ સ્ટેડિયમ અને પુણેના એક સ્ટેડિયમ સુધી સીમિત કરી દેવામાં આવી છે. આ બધું હોવા છતાં IPL માં કોરાનાની આ એન્ટ્રી સાવધાનીમાં રહેવાની વાત છે. જોવાનું એ રહે છે કે IPL માં સામે આવેલા આ પ્રથમ કેસ બાદ BCCI આગળની ઘટનાઓ અને નિયમોમાં કડકતા અંગે શું વલણ અપનાવે છે.

દિલ્હી કેપિટલ્સની હવે પછીની મેચ શનિવારે રમાશે

IPL 2022 માં દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં 4 મેચ રમી ચૂકી છે. જેમાં ટીમે 2 મેચમાં જીત અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં હાલ 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ટીમની આગામી મેચ 16 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો : IPL 2022 SRH vs KKR Head to Head: કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો કેવો છે રેકોર્ડ? જાણો

આ પણ વાંચો : SRH vs KKR Playing XI IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ આજે સળંગ ત્રીજી જીત નોંધાવવાનો ઈરાદો રાખશે, કેવી હશે ટીમ જાણો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">