AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLમાં કોરાનાની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ ટીમમાં મળ્યો પહેલો કેસ, ટીમ ફિઝિયો બન્યો કોવિડ-19 પોઝિટિવ

આઈપીએલમાં કોરોના કેસ સામે ન આવે તેના માટે બીસીસીઆઈએ કડક બાયો-બબલના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. છતાં કોરોનાની એન્ટ્રી થતાં બોર્ડમાં ચિતાનું મોજુ ફરી વળ્યું છે.

IPLમાં કોરાનાની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ ટીમમાં મળ્યો પહેલો કેસ, ટીમ ફિઝિયો બન્યો કોવિડ-19 પોઝિટિવ
Delhi Capitals Physio Patrick Farhart (PC: DC)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 7:50 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ (Patrick Farhart) COVID-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. IPL એ શુક્રવારે એક પ્રેસ રિલીઝમાં પેટ્રિકના કોરોના સંક્રમણની પુષ્ટિ કરી હતી. હાલમાં દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ ફરહાર્ટ પર નજર રાખી રહી છે. 2 વર્ષ પહેલા, કોરોનાની પ્રથમ લહેરને કારણે, IPL 2020 સ્થગિત કરવી પડી હતી. તે વર્ષે આઈપીએલની તમામ મેચો યુએઈમાં યોજાઈ હતી. ત્યારબાદ 2021 માં પણ, કોરોના રોગચાળાના વિકરાળ સ્વરૂપને કારણે પ્રથમ તબક્કા પછી IPL રોકવી પડી હતી. આ સિઝનનો બીજો લેગ પણ UAE માં જ પૂર્ણ થયો હતો.

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયા પછી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સ્ટેડિયમમાં દર્શકોની કુલ ક્ષમતાના 25% પ્રવેશની મંજૂરી આપી હતી. આ સાથે સાવચેતી રાખીને ટીમોને બાયો-બબલમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. કોરોના સંક્રમણથી બચવા માટે સમગ્ર IPL ને મુંબઈના ત્રણ સ્ટેડિયમ અને પુણેના એક સ્ટેડિયમ સુધી સીમિત કરી દેવામાં આવી છે. આ બધું હોવા છતાં IPL માં કોરાનાની આ એન્ટ્રી સાવધાનીમાં રહેવાની વાત છે. જોવાનું એ રહે છે કે IPL માં સામે આવેલા આ પ્રથમ કેસ બાદ BCCI આગળની ઘટનાઓ અને નિયમોમાં કડકતા અંગે શું વલણ અપનાવે છે.

દિલ્હી કેપિટલ્સની હવે પછીની મેચ શનિવારે રમાશે

IPL 2022 માં દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં 4 મેચ રમી ચૂકી છે. જેમાં ટીમે 2 મેચમાં જીત અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં હાલ 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ટીમની આગામી મેચ 16 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.

આ પણ વાંચો : IPL 2022 SRH vs KKR Head to Head: કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો કેવો છે રેકોર્ડ? જાણો

આ પણ વાંચો : SRH vs KKR Playing XI IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ આજે સળંગ ત્રીજી જીત નોંધાવવાનો ઈરાદો રાખશે, કેવી હશે ટીમ જાણો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">