AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Retention Live Stream: જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

IPL 2022માં 8 ની જગ્યાએ 10 ટીમો હશે. આગામી સિઝન માટે મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) થવાનુ છે, જે પહેલા ટીમોને તેમના ખેલાડીઓને જાળવી રાખવાની તક આપવામાં આવી છે.

IPL 2022 Retention Live Stream: જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે
IPL Trophy
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 5:28 PM
Share

IPLની આગામી સિઝન ઘણી ખાસ રહેવાની છે. લીગની 15મી સિઝન (IPL 2022) માં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેશે. લખનૌ અને અમદાવાદ લીગ (Ahmedabad) નો ભાગ બનવા માટે બે નવી ટીમો હશે. કોલકાતા સ્થિત બિઝનેસ ટાયકૂન સંજીવ ગોએન્કાના આરપી-એસજી ગ્રુપે લખનૌ ફ્રેન્ચાઇઝી ખરીદી છે. આરપી-એસજી ગ્રુપે તેને 7090 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ CVC કેપિટલે અમદાવાદથી ટીમ ખરીદી છે. CVC કેપિટલે આ ટીમને 5600 કરોડ રૂપિયામાં ખરીદી છે.

આ 10 ટીમોના ખેલાડીઓની હરાજી આવતા વર્ષે યોજાશે. જો કે તે મેગા ઓક્શન પહેલા મંગળવારે રિટેન્શન (IPL Retention) ની પ્રક્રિયા હાથ ધરાશે. તમામ ટીમોને તેમની ટીમમાંથી ચાર ખેલાડીઓને જાળવી રાખવાની તક આપવામાં આવી હતી. આમાં, ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 2 વિદેશી અથવા 3 સ્થાનિક ખેલાડીઓ રાખી શકે છે. એટલે કે 4માંથી ઓછામાં ઓછો એક વિદેશી ખેલાડી હોવો જરૂરી રહેશે. તેની અવધિ માત્ર 30 નવેમ્બર સુધી હતી.

હરાજીમાં ઘણા મોટા નામો આવશે

વર્તમાન આઠ ટીમના રિટેન કરાયેલા ખેલાડીઓને અંતિમ રૂપ આપ્યા બાદ, બે નવી ફ્રેન્ચાઈઝી લખનૌ અને અમદાવાદને 1 થી 25 ડિસેમ્બર સુધી ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની તક મળશે, ત્યારબાદ જાન્યુઆરીમાં હરાજી થશે. કેટલીક ટીમો તેમના મુખ્ય ખેલાડીઓને જાળવી શકે છે. જ્યારે કેટલીક ટીમો ઓછા ખેલાડીઓને જાળવી રાખીને તેમના મુખ્ય ખેલાડીઓને જાળવી રાખવાનો પ્રયાસ કરશે અને હરાજીમાં પ્રવેશતા ખેલાડીઓમાંથી તેમની ટીમનો મુખ્ય ભાગ બનાવે છે.

આવતા વર્ષે યોજાનારી મોટી હરાજી પહેલા અંતિમ ક્ષણોમાં મોટાભાગની ટીમો પોતાની પસંદગીના ખેલાડીઓને પોતાની સાથે રાખવાનો પ્રયાસ કરી રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પર્સની હરાજી 90 કરોડ રૂપિયા થશે. 2021ની IPLની હરાજીમાં 85 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ આ હરાજીમાં 5 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

IPL 2022 માટે રીટેન્શન ક્યારે થશે?

રિટેન્શનનો સમયગાળો 30 નવેમ્બર સુધીનો હતો.

IPL 2022 માટે રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરાત ક્યારે કરવામાં આવશે?

IPL 2022 માટે રિટેન્શન 30મી નવેમ્બરે રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે.

IPL 2022 માટે રીટેન્શનનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

IPL 2022 રીટેન્શનનું લાઈવ સ્ટાર ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર થશે.

IPL 2022 રીટેન્શનનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

IPL 2022 રીટેન્શન Hotstar પર Live સ્ટ્રીમિંગ થશે. તમે TV9 પર આ રીટેન્શનના તમામ લાઇવ અપડેટ્સ વાંચી શકો છો

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં વિરાટ કોહલી માટે કોણ રહેશે બહાર, અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ

આ પણ વાંચોઃ IND vs NZ: આ ભારતીય જોડી ટીમ ઇન્ડિયાની જીતની બની દુશ્મન! અંતિમ ત્રીસ મિનિટ બોલરોને બનાવી દીધા બેઅસર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">