IPL 2022, RCB vs CSK Prediction Playing XI: બેંગ્લોરને હરાવવા ચેન્નાઈ કરી શકે છે 2 ફેરફાર, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

RCB vs CSK IPL 2022: બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ (CSK) વચ્ચે આ સિઝનની આ બીજી મેચ છે. આ પહેલા ચેન્નાઈએ સિઝનમાં બેંગ્લોરને 23 રને હરાવીને પોતાનું ખાતું ખોલ્યું હતું.

IPL 2022, RCB vs CSK Prediction Playing XI: બેંગ્લોરને હરાવવા ચેન્નાઈ કરી શકે છે 2 ફેરફાર, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
RCB vs CSK (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 3:49 PM

બુધવાર 4 મેના રોજ IPLની 2 સૌથી પ્રખ્યાત ટીમો પુણેના MCA સ્ટેડિયમમાં ટકરાશે. એક તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) હશે તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સની (Chennai Super Kings) ટીમ હશે. આવી 2 ટીમો જેમનું IPL 2022માં પ્રદર્શન આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં તેમના રેકોર્ડથી સંપૂર્ણપણે અલગ છે. બેંગ્લોરે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કરતાં વધુ જીત નોંધાવી છે અને તે પ્લેઓફની રેસમાં છે. જ્યારે ચેન્નાઈની સ્થિતિ ખરાબ છે. જો કે તાજેતરની મેચોમાં પરિસ્થિતિ થોડી બદલાઈ છે અને એમએસ ધોનીની (MS Dhoni) કેપ્ટનશીપમાં વાપસી સાથે ચેન્નાઈની સ્થિતિમાં વધુ સુધારો થવાની આશા છે. આ સાથે જ બેંગ્લોરને સતત હાર મળી છે. આવી સ્થિતિમાં આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે અને ટીમોમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તે જોવુ રહ્યું.

ચેન્નાઈને આ સિઝનમાં 9 મેચમાં માત્ર 3 જીત મળી છે. જેમાં છેલ્લી 3 મેચમાં 2 જીત મળી છે. જેમાં મુંબઈ અને હૈદરાબાદને ચેન્નાઈએ હરાવ્યું હતું. ટીમનો પ્રથમ વિજય બેંગ્લોર સામે જ થયો હતો. તે જ સમયે બેંગ્લોરે પ્રથમ 7 મેચમાંથી 5માં જીત મેળવી હતી. પરંતુ છેલ્લી 3 મેચમાં સતત ખરાબ પ્રદર્શનને કારણે તેને હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે આ મેચમાં ચેન્નાઈ બેંગ્લોર કરતા ઘણી સારી લય સાથે મેદાનમાં ઉતરશે.

બેંગ્લોરની ટીમ બદલાવ નહીં કરે

હવે વાત કરીએ પ્લેઈંગ ઈલેવન વિશે. બેંગ્લોર આ સિઝનમાં વધુ બદલાયું નથી અને છેલ્લી 3 મેચોના ખરાબ પ્રદર્શન છતાં તેજ ટીમને યથાવત રાખી શકે છે. ટીમના બેટ્સમેનોએ પૂરી તાકાત બતાવી નથી. પરંતુ ગુજરાત સામેની છેલ્લી મેચમાં વિરાટ કોહલી રંગમાં આવતો જોવા મળ્યો હતો. જ્યારે રજત પાટીદાર અને મહિપાલ લોમોર્ડે પોતાની પસંદગીને સાચી સાબિત કરી હતી. સુકાની ફાફ ડુ પ્લેસિસ પણ પૂરા રંગમાં નથી. તેથી અહીં કોઈ ફેરફાર થશે નહીં. ટીમની બોલિંગમાં માત્ર મોહમ્મદ સિરાજ જ મોંઘો સાબિત થઈ રહ્યો છે. પરંતુ અહીં પણ બદલાવની કોઈ શક્યતા નથી. એટલે કે અગાઉની મેચ હાર્યા બાદ પણ ટીમ એ જ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દુબે અને બ્રાવોની વાપસી થઈ શકે છે

ચેન્નાઈની વાત કરીએ તો હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં ટીમની બેટિંગ સંપૂર્ણ રંગમાં હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ફોર્મમાં પરત ફરતો જણાયો હતો. જ્યારે ડેવોન કોનવેએ બીજા ઓપનરની સમસ્યા દૂર કરી છે. આ ટીમની બેટિંગને ઊંડાણ આપે છે. કારણ કે રોબિન ઉથપ્પા, શિવમ દુબે અને અંબાતી રાયડુ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. જોકે દુબે ઈજાના કારણે છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો અને આવી સ્થિતિમાં તે વાપસી કરશે. આ સાથે જ ડ્વેન બ્રાવો પણ છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો હતો અને તેની વાપસી પણ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં મિશેલ સેન્ટનર અને સિમરજીત સિંહને બહાર બેસવુ પડી શકે છે.

RCB vs CSK સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ

ચેન્નઇ સુપર કિંગ્સઃ ધોની (સુકાની-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, ડ્વેન બ્રાવો, મુકેશ ચૌધરી અને મહિષ તિક્ષાના.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુ પ્લેસિસ (સુકાની), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">