IPL 2022: રવિ શાસ્ત્રીએ શ્રેયસ અય્યરની કેપ્ટનશિપને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Shreyas Iyer : ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ પર મોટું નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે ઐયર આઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

IPL 2022: રવિ શાસ્ત્રીએ શ્રેયસ અય્યરની કેપ્ટનશિપને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Shreyas Iyer (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 8:58 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની કેપ્ટનશિપની કુશળતાની પ્રશંસા કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે પોતાની અસર છોડનાર શ્રેયસ અય્યર વિશે રવિ શાસ્ત્રી માને છે કે મુંબઈનો આ ખેલાડી સ્વાભાવિક નેતા છે. શ્રેયસ અય્યરને IPL 2022 માં કોલકાતાની આગેવાની કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની કપ્તાનીમાં ટીમે ત્રણ મેચ જીતી છે. જ્યારે ત્રણ મેચમાં હારનો પણ સામનો કરવો પડ્યો છે. રવિ શાસ્ત્રીએ દાવો કર્યો છે કે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ શ્રેયસ કેપ્ટન તરીકે વધુ સારો થશે.

રવિ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, શ્રેયસ અય્યર માટે કેપ્ટન્સી સ્વાભાવિક બાબત છે. તેની આક્રમક કેપ્ટનશીપ જુઓ, તમને નહીં લાગે કે તે પહેલીવાર કોલકાતા ટીમને લીડ કરી રહ્યો છે. એવું લાગે છે કે તે છેલ્લી ત્રણ કે ચાર સીઝનથી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને આ તેના વિચારોની સ્પષ્ટતામાં પ્રતિબિંબિત થાય છે.

ભૂતપૂર્વ ભારતીય કોચે વધુમાં કહ્યું કે, તેના મગજમાં સ્પષ્ટ છે કે તેને બેટ્સમેન તરીકે કેવું ક્રિકેટ રમવાની જરૂર છે. ઉપરાંત, તે જાણે છે કે એક કેપ્ટન તરીકે તેણે તેની ટીમને પ્લેઓફમાં લઈ જવાની છે અને પછી ટાઇટલ જીતવું છે. શાસ્ત્રીએ કહ્યું, “મેચ પહેલા અને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં તેણે જે રીતે વાત કરી તે મને ગમ્યું અને તે દર્શાવે છે કે તે યોજના વિશે ખૂબ જ સ્પષ્ટ છે. મને ખાતરી છે કે તે કેપ્ટન તરીકે લાંબી મંજીલ કાપશે.”

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર ઈયાન બિશપે પણ આ મુદ્દે શાસ્ત્રીનું સમર્થન કર્યું હતું. બિશપે શ્રેયસને કેપ્ટન તરીકે ટેકો આપતા કહ્યું કે તેનું મન સારું છે અને તેને કોલકાતામાં હાજર કેટલાક અનુભવી ખેલાડીઓનું સમર્થન પણ છે. તેણે કહ્યું, મને લાગે છે કે સતત 2 હાર સહન કરવા છતાં શ્રેયસ માટે તેની ટીમ સાથે મજબૂત વાપસી કરવી શક્ય છે. જ્યારે તે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બન્યો, ત્યારે તે સીઝન પછી વધુ સારી કેપ્ટનશિપ કરી રહ્યો છે.

તેણે કહ્યું કે, તેને કોલકાતામાં પગ જમાવવામાં થોડો સમય લાગશે. પરંતુ આ માટે તેને ટીમના કેટલાક અનુભવી ખેલાડીઓનું સમર્થન છે. આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ અનુભવી ખેલાડી છે. કોચ બ્રેન્ડન મેક્કુલમ પણ ઘણો અનુભવી છે. તેથી મારા મત મુજબ શ્રેયસ તેની ટીમને આગળ લઈ જઈ શકશે તેમાં કોઇ શંકા નથી.

આ પણ વાંચો : RR vs KKR Live Cricket Score, IPL 2022 : કોલકાતા ટીમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

આ પણ વાંચો : પશુ નિયંત્રણ બિલ સામે માલધારી સમાજનો રાજ્ય વ્યાપી વિરોધ કાર્યક્રમ, બિલ રદ કરવા માગ

Latest News Updates

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
g clip-path="url(#clip0_868_265)">