AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: જય શાહે કહ્યુ 10 ટીમો સાથે IPL ની આગામી સિઝન ભારતમાં જ રમાશે, ટૂંક સમયમાં મેગા ઓકશન

કોરોનાના કારણે IPL 2021 અને IPL 2020નો બીજો તબક્કો UAEમાં યોજાયો હતો.

IPL 2022: જય શાહે કહ્યુ 10 ટીમો સાથે IPL ની આગામી સિઝન ભારતમાં જ રમાશે, ટૂંક સમયમાં મેગા ઓકશન
Jay Shah-IPL Trophy
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:47 AM
Share

શુક્રવારે ચાહકોને ખુશખબર આપતાં BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) કહ્યું કે આવતા વર્ષે આઈપીએલ (IPL 2022) ભારતમાં યોજાશે. IPL 2021 નો પ્રથમ તબક્કો ભારતમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના રોગચાળાના વધતા જતા કેસને કારણે તેને અધવચ્ચે જ અટકાવવો પડ્યો હતો અને ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું. અગાઉ IPL 2020નું પણ આયોજન UAEમાં જ કરવામાં આવ્યું હતું.

IPL 2022 માટે મેગા ઓક્શન ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. આવતા વર્ષથી લીગમાં આઠની જગ્યાએ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. અમદાવાદ અને લખનૌ બે નવી ટીમો છે જે આગામી સિઝનથી લીગમાં ભાગ લેશે. આવી સ્થિતિમાં જય શાહે કહ્યું કે, તે આગામી સિઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમને આશા છે કે 10 ટીમોની આગામી સિઝન ચાહકો માટે ખૂબ જ રોમાંચક રહેશે.

IPL 2022 ભારતમાં યોજાશે

ભારતમાં ટી-20 મેચ પરત આવી છે. ન્યુઝીલેન્ડ હાલમાં ભારતના પ્રવાસે છે કિવી ટીમ ત્રણ મેચની ટી20 શ્રેણી અને બે ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ મેચો દરમિયાન ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે. ત્યારથી એવી અપેક્ષા હતી કે આવતા વર્ષે IPL પણ ભારતમાં યોજાશે અને હવે જય શાહે તેની પુષ્ટિ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના વિશેષ કાર્યક્રમમાં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, હું જાણું છું કે તમે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સને રમતા જોવા માંગો છો અને તે ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે.

તેમણે કહ્યું, ‘આગામી આઈપીએલની 15મી સીઝન હશે. ભારતમાં આયોજન અને બે નવી ટીમોના ઉમેરા સાથે, તે પહેલા કરતા વધુ રોમાંચક હશે. અમે મેગા હરાજી કરવા જઈ રહ્યા છીએ અને આવી સ્થિતિમાં નવા સમીકરણો જોવું રસપ્રદ રહેશે.

ધોનીએ ફાઈનલ મેચનો પ્લાન જણાવ્યો

તે જ ઇવેન્ટમાં, સુકાની ધોની (MS Dhoni) એ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તે ઓછામાં ઓછી એક વધુ સીઝન માટે તેની મનપસંદ પીળી જર્સી પહેરશે અને ચાહકો ચોક્કસપણે તેને તેમના મનપસંદ ચેપોક સ્ટેડિયમમાં તેમની ‘વિદાય મેચ’ રમતા જોશે. ધોનીએ કહ્યું, ‘મેં હંમેશા મારા ક્રિકેટનું આયોજન કર્યું છે. મેં મારી છેલ્લી મેચ રાંચીમાં રમી હતી. વનડેમાં છેલ્લી હોમ મેચ મારા હોમટાઉન રાંચીમાં હતી, તેથી આશા છે કે મારી છેલ્લી ટી20 મેચ ચેન્નાઈમાં હશે. તે આવતા વર્ષે હશે કે પાંચ વર્ષના સમય પછી, અમને ખબર નથી.

આ પણ વાંચોઃ Ban vs Pak: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સિરીઝમાં પોલંપોલ, પાકિસ્તાની બોલરોની ઝડપ જોઇ ચાહકો લોટપોટ થઇ ગયા

આ પણ વાંચોઃ IND vs NZ: હર્ષલ પટેલ થી પ્રભાવિત થયો આ ન્યુઝીલેન્ડનો દિગ્ગજ, કહ્યુ બુમરાહ સાથે મળીને ડેથ ઓવરમાં ખતરનાક જોડી બની શકે છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">