IPL 2022: U19 World Cup જીતનારા ટીમ ઇન્ડિયાના 8 ખેલાડીઓ મેગા ઓક્શનમા સામેલ નહી થઇ શકે, આ કારણથી રહેવુ પડશે દુર, જાણો

અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup) જીતનાર ભારતના 8 ખેલાડીઓને IPL 2022 ની મેગા ઓક્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી.

IPL 2022: U19 World Cup જીતનારા ટીમ ઇન્ડિયાના 8 ખેલાડીઓ મેગા ઓક્શનમા સામેલ નહી થઇ શકે, આ કારણથી રહેવુ પડશે દુર, જાણો
IPL 2022 Mega Auction માં U19 ટીમના 8 ખેલાડીઓ હિસ્સો નહી લઇ શકે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:38 AM

અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup) જીતનાર ભારતના 8 ખેલાડીઓને IPL 2022ની મેગા ઓક્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી. તેઓએ હવે તેમના વારાની રાહ જોવી પડશે. કારણ કે તેઓ IPL રમવાના ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના માપદંડોને પૂર્ણ કરતા નથી. IPL ઓક્શન (IPL 2022 Mega Auction) માં માત્ર એવા ખેલાડીઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે, જેમને ઓછામાં ઓછી એક ફર્સ્ટ ક્લાસ મેચ અથવા લિસ્ટ A મેચ રમવાનો અનુભવ હોય. જો ખેલાડીને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો અનુભવ ન હોય તો તે IPL ઓક્શનનો ભાગ પણ બની શકે નહીં. આ ઉપરાંત હરાજીમાં ભાગ લેવા માટે ખેલાડીની ઉંમર પણ 19 વર્ષની હોવી જોઈએ.

હવે U19 વિશ્વ વિજેતા ભારતીય ટીમના તે ખેલાડીઓના નામ જુઓ જે BCCIના IPL હરાજીના માપદંડોને પૂર્ણ કરી શકતા નથી. જેમાં વિકેટકીપર દિનેશ બાના, ટીમના વાઇસ-કેપ્ટન શેખ રશીદ, ડાબોડી ફાસ્ટ બોલર રવિ કુમાર, ઓલરાઉન્ડર નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, ઓપનર અંગક્રિશ રઘુવંશી, માનવ પ્રકાશ અને ગર્વ સાંગવાનનો સમાવેશ થાય છે. જેમાંથી બાના, રાશિદ, રવિ અને સિંધુનો ભારતને ચેમ્પિયન બનાવવામાં મોટો ફાળો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

BCCI અંતિમ નિર્ણય લેશે

જોકે, આ ખેલાડીઓ રમશે કે નહીં તે અંગે BCCIએ હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. બોર્ડની અંદરના કેટલાક લોકોનું માનવું છે કે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષમાં એટલું ડોમેસ્ટિક ક્રિકેટ રમાયું નથી. આ કિસ્સામાં છૂટછાટ આપી શકાય છે. રણજી ટ્રોફીનું આયોજન 17 ફેબ્રુઆરીથી કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો આ ખેલાડીઓની રાજ્યની ટીમ તેમને તક આપે તો પણ તેઓ 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનારી હરાજી માટે યોગ્ય નહીં બને. IPL 2022ની મેગા ઓક્શનમાં કુલ 590 ખેલાડીઓ સામેલ છે. જેમાં 228 કેપ્ડ અને 355 અનકેપ્ડ ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

View this post on Instagram

A post shared by Jason Holder (@jaseholder98)

BCCI એ સમજદારીપૂર્વક નિર્ણય લેવો જોઈએઃ રત્નાકર શેટ્ટી

બીસીસીઆઈના ભૂતપૂર્વ અધિકારી રત્નાકર સેઠીએ કહ્યું, “આ યુવા ખેલાડીઓનુ દુર્ભાગ્ય છે કે તેઓ કોઈ પણ લિસ્ટ A ટુર્નામેન્ટ કે મેચ રમ્યા નથી. એક સિઝન માટે ક્રિકેટ નથી રમાઇ. મને લાગે છે કે BCCI નિર્ણય લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખશે. ટીમે અંડર 19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓએ તકથી વંચિત ન રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ IPL 2022: વિરાટ કોહલીનો મેગા ઓક્શન પહેલા મોટો ખુલાસો, RCB થી અલગ કરવા માટે કેટલીક ફ્રેન્ચાઝીઓ દ્વારા પ્રયાસ કરાયો

આ પણ વાંચોઃ BPL 2022: ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બાંગ્લાદેશમાં બોલ ટેમ્પરિંગ કરતા ઝડપાયો, આખીય ટીમ પર કરાઇ મોટી કાર્યવાહી

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">