AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : છ હાર છતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2022 પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે?

Mumbai Indians: લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ અત્યાર સુધી રમેલી તમામ 6 મેચ હારી ચુકી છે. હવે લીગ સ્ટેજમાં 8 મેચ રમવાની બાકી છે.

IPL 2022 : છ હાર છતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2022 પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે?
Mumbai Indians (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 11:35 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની શરૂઆત પહેલા ભાગ્યે જ કોઈને આશા હશે કે પાંચ વખતની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની આટલી ખરાબ શરૂઆત થશે. મુંબઈ ઇન્ડિયન્સ ટૂર્નામેન્ટમાં તેમની ધીમી શરૂઆત માટે જાણીતું છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેઓ સતત તેમની શરૂઆતની છ મેચ હારી છે. અગાઉ 2014 માં, ટીમ તેની સીઝનની પ્રથમ પાંચ મેચોમાં હાર્યું હતું. પરંતુ તે પછી, જોરદાર પુનરાગમન કરીને, તેણે પ્લેઓફમાં પ્રવેશ કર્યો. મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો આશા રાખી રહ્યા છે કે તેમની ટીમ ફરી એકવાર એ જ સિદ્ધિનું પુનરાવર્તન કરશે અને આ વખતે પણ ટોપ 4માં પોતાનું (How Mumbai Indians can Qualify for IPL 2022 Playoffs) સ્થાન બનાવશે.

જોકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લે ઓફમાં પહોંચશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ અમે તમને જણાવીશું કે ટીમ હજુ પણ પ્લેઓફની રેસ કેવી છે અને તે ત્યાં કેવી રીતે પહોંચી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022 માં અત્યાર સુધીમાં છ મેચ રમી છે અને તમામમાં હાર્યું છે. પોઈન્ટ ટેબલના તળિયે, વર્તમાન મુંબઈનો નેટ રન રેટ -1.048 છે. જે આ સિઝનમાં સૌથી ખરાબ છે. નકારાત્મક રન રેટ ધરાવતી અન્ય ટીમો સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ છે. પરંતુ તેઓએ તેમની કેટલીક મેચો જીતી છે.
મુંબઈ ઈન્ડિયન્સ પાસે હવે ટુર્નામેન્ટમાં વધુ 8 મેચ રમવાની છે અને પ્લેઓફમાં પહોંચવા માટે ઓછામાં ઓછી 8 મેચ જીતવી જરૂરી છે. 2011 માં, જ્યારે દસ ટીમોએ ભાગ લીધો હતો, ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે 16 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ કર્યું હતું અને તેનો નેટ રન રેટ 0.433 હતી. આવી સ્થિતિમાં મુંબઈને પણ ઓછામાં ઓછી 8 મેચ જીતવી પડશે અને તેણે પોતાનો નેટ રન રેટ પણ સારો રાખવો પડશે. જો મુંબઈ માત્ર સાત મેચ જીતે તો તેના માટે ટોપ 4માં સ્થાન મેળવવું લગભગ અશક્ય બની જશે.આ પણ વાંચો : IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હારને લઈને રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યુંઆ પણ વાંચો : IPL 2022 : KL રાહુલે 100મી મેચમાં બનાવ્યો રેકોર્ડ, આવી સિદ્ધી મેળવનાર IPL ઇતિહાસમાં પહેલો ખેલાડી બન્યો

Follow Us
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">