AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હારને લઈને રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું

IPL 2022 : લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમે 18 રને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમને માત આપી હતી. મુંબઈ પહેલી ટીમ બની ગઇ છે જેણે લીગમાં પહેલી સતત છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય.

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હારને લઈને રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું
Rohit Sharma (PC: IPL)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 11:07 PM
Share
IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની હારનો સિલસિલો યથાવત છે. આ વખતે આઈપીએલમાં તેના માટે કંઈ જ સારૂ થઇ નથી રહ્યું. મુંબઈ ઈન્ડિયન્સને સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. તેને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ટીમે માત આપી છે. આ હાર બાદ સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો.

મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ કહ્યું કે, “કોઈ એક ચોક્કસ પરિસ્થિતિ વિશે નિર્દેશ કરવો મુશ્કેલ છે. મોટા લક્ષ્યોનો પીછો કરવા માટે મોટી ભાગીદારીની જરૂર હોય છે. અમે આજે આમ કરવામાં નિષ્ફળ ગયા. આ માટે કોઈ ચોક્કસ કારણ નથી. અમે પ્રયાસ કરીએ છીએ અને ટીમને અમારી સમક્ષ મૂકીએ છીએ. તેઓ (લખનૌ) ખૂબ શાનદાર બેટિંગ કરે છે અને તેમના ટોચના બોલરોને પાછળ રાખવા મહત્વપૂર્ણ છે. અમે હંમેશા બુમરાહને બેક એન્ડ માટે રાખવાનો પ્રયાસ કરીએ છીએ, તેણે ખૂબ જ સારી બોલિંગ કરી પરંતુ બાકીના બોલરોએ થોડું વધારે સારૂ પ્રદર્સન કરવાની જરૂર છે.

મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ મેચ પુરી થયા બાદ વધુમાં જણાવ્યું કે, જ્યારે તમે કોઈ રમત હારી જાઓ છો ત્યારે તે કહેવું ખૂબ જ સરળ છે કે ફેરફારો કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમે શ્રેષ્ઠ ઈલેવન સાથે જવાનો પ્રયાસ કરીએ છીએ. મને લાગે છે કે લોકેશ રાહુલ (KL Rahul) એ સારી બેટિંગ કરી હતી. અમારી ટીમમાં કંઈક કમી છે. ટીમના પ્રથમ ચાર બેટ્સમેનમાંથી એકને લાંબા સમય સુધી બેટિંગ કરવાની જરૂર છે. જે ધારણા પ્રમાણે થઈ રહી નથી. ટીમ તેને જે સ્થાન આપવા ઈચ્છે છે તે સ્થાને હું તેને મૂકી શક્યો નથી અને હું તેની જવાબદારી લઉં છું.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 26મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Mumbai Indians vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. લખનૌની ટીમના કેપ્ટન અને ઓપનર કેએલ રાહુલે (KL Rahul) શાનદાર સદી ફટકારી હતી. 20 ઓવરમાં લખનૌએ 200 રનનો સ્કોર 4 વિકેટે ખડક્યો હતો. જેના જવાબમાં મુંબઈ એ ચડાવ ઉતાર વાળી રમત દર્શાવી હતી. પરંતુ અંતમાં લખનૌનો વિજય થયો હતો. પોલાર્ડની રમતે મેચને અંતમાં રોમાંચક બનાવી હતી, પોલાર્ડનો સંઘર્ષ મુંબઈને વિજય સુધી લઈ જઈ શક્યો ન હતો.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હાર પર બેન સ્ટોક્સે આપ્યું નિવેદન, આ ખેલાડીની માફી માગી

આ પણ વાંચો : IPL 2022 : KL રાહુલે 100મી મેચમાં બનાવ્યો રેકોર્ડ, આવી સિદ્ધી મેળવનાર IPL ઇતિહાસમાં પહેલો ખેલાડી બન્યો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">