IPL 2021: ઋષભ પંતની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સને 14 વર્ષનો વનવાસ પૂરો કરવાની આશા, જાણો UAE માં ટીમનુ મિશન શિડ્યૂલ

નવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ટોપની રમત દર્શાવી હતી. આ જ કારણ છે કે શ્રેયસ અય્યરની વાપસી બાદ પણ ટીમ મેનેજમેન્ટે પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

IPL 2021: ઋષભ પંતની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સને 14 વર્ષનો વનવાસ પૂરો કરવાની આશા, જાણો UAE માં ટીમનુ મિશન શિડ્યૂલ
Delhi Capitals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:53 AM

દમ હશે તો દેખાશે. ભારતીય મેદાનો પર બાકીની ટીમોની સરખામણીમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની તેનો દમ IPL 2021 માં સૌથી વધુ દર્શાવ્યો છે. નવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ના નેતૃત્વમાં દિલ્હીએ ટોચની રમત દર્શાવી હતી. શ્રેયસ અય્યરે (Shreyas Iyer) ઈજાને કારણે લીગના પહેલા ચરણમાંથી હટી ગયા બાદ પંત (Pant) ને દિલ્હી કેપિટલ્સની કમાન મળી હતી. પરંતુ, તેની કેપ્ટનશિપ હેઠળ, ટીમની રમત એવી રીતે નિખરી ગઇ કે, હવે જ્યારે બીજા તબક્કામાં શ્રેયસ અય્યરે ટીમમાં પાછો ફર્યો છે.

અય્યરના પરત ફરવા બાદ પણ દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. તે સ્પષ્ટ છે કે નવા કેપ્ટનનો પડકાર હવે વધી ગયો છે. હવે તેઓ દિલ્હીમાં 14 વર્ષના વનવાસ અને UAE માં અધૂરા મિશનને સમાપ્ત કરવાના બે પડકારનો સામનો કરે છે.

હવે તમે આશ્ચર્ય પામશો કે દિલ્હી કેપિટલ્સનો આ 14 વર્ષનો વનવાસ શું છે. UAE માં અધૂરુ મિશન શુ છે. આમ તો આ IPL ની 14 મી સીઝન છે. પરંતુ આજ સુધી દિલ્હીએ એક પણ વાર ટાઇટલ જીતવાની સ્ક્રિપ્ટ લખી નથી. આ દરમ્યાન UAE માં અધૂરું મિશન IPL 2020 ની ફાઇનલ સાથે સંબંધિત છે. ગત સિઝનની ફાઇનલમાં દિલ્હીની ટીમ સારી રીતે રમી હતી અને મુંબઇ ઇન્ડીયન્સ સામે હારી ગઇ હતી. આમ તે માત્ર એક પગલું ટાઇટલથી દૂર રહી ગઈ. આ વખતે તેની પાસે આ બંને પડકારોને પાર કરવાની સારી તક છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

નવા કેપ્ટન, દિલ્હી કેપિટલ્સનું ગૌરવ

સૌથી સારી વાત એ છે કે, ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ ટીમ IPL 2021 ના ​​પહેલા તબક્કામાં સારું પ્રદર્શન કરી ચૂકી છે. ટીમે ભારતીય મેદાન પર પ્રથમ તબક્કામાં 8 મેચ રમી હતી. જેમાં તેણે 6 જીતી હતી અને 12 પોઇન્ટ મેળવ્યા હતા. દિલ્હીની ટીમ અત્યારે પોઈન્ટ ટેલીમાં પ્રથમ સ્થાને છે. હવે UAE માં આ ટીમે ગ્રુપ સ્ટેજ પર વધુ 6 મેચ રમવાની છે.

દિલ્હી કેપિટલ્સનું UAE શિડ્યૂલ

ચાલો UAE માં યોજાનારી દિલ્હી કેપિટલ્સ મેચોના સમયપત્રક પર એક નજર કરીએ અને આ ટીમની પ્રગતિના સમીકરણ જાણીએ. દિલ્હી કેપિટલ્સ પાસે હવે UAE માં ગ્રુપ સ્ટેજ પર વધુ 6 મેચ રમવાની છે.

  • 22 સપ્ટેમ્બર (બુધવાર): દિલ્હી vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, દુબઇ
  • 25 સપ્ટેમ્બર (શનિવાર): દિલ્હી vs રાજસ્થાન રોયલ્સ, બપોરે 3:30, અબુ ધાબી
  • 28 સપ્ટેમ્બર (મંગળવાર): દિલ્હી vs કલકત્તા નાઈટ રાઈડર્સ, બપોરે 3:30, શારજાહ
  • 02 ઓક્ટોબર (શનિવાર): દિલ્હી vs મુંબઈ ઇન્ડીયન્સ, બપોરે 3:30, શારજાહ
  • 04 ઓક્ટોબર (સોમવાર): દિલ્હી vs ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે 7:30, દુબઈ
  • 08 ઓક્ટોબર (શુક્રવાર): દિલ્હી vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, દુબઈ

જો દિલ્હી આ 6 મેચોમાંથી અડધી પણ જીતે તો તે આરામથી પ્લે ઓફમાં પહોંચી જશે. તે જ સમયે, ગ્રુપ સ્ટેજ પર ટોચ પર રહ્યા પછી પણ તેમને પ્લેઓફની ટિકિટ કાપવાની તક મળશે.

આ પણ વાંચોઃ PAK vs NZ: ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યો તો પાકિસ્તાનના ગૃહપ્રધાન લવારે ચઢ્યા, ષડયંત્ર રચ્યાનો આરોપ કરી ભારત પર દોષ ઢોળવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર વરસાવ્યા હતા, આંતકી હુમલાને યાદ કરતા કાંપી જવાય

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">