IPL 2021: માંચેસ્ટર ટેસ્ટ રદ થવાથી ફ્રેન્ચાઇઝીઓ ઉઠાવવા લાગી છે ફાયદો, ખેલાડીઓને UAE પહોંચાડવાની કામગીરી ઝડપી બનાવી

કોરોના વાયરસને લઇને પ્રભાવિત થયેલી IPL 2021ની સિઝન 19 સપ્ટેમ્બરથી યુએઇમાં ફરીથી શરુ થશે. આ પહેલા ત્યાં પહોંચી રહેલા ખેલાડીઓએ 6 દિવસ સુધી ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે.

IPL 2021: માંચેસ્ટર ટેસ્ટ રદ થવાથી ફ્રેન્ચાઇઝીઓ ઉઠાવવા લાગી છે ફાયદો, ખેલાડીઓને UAE પહોંચાડવાની કામગીરી ઝડપી બનાવી
Rohit Sharma-MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 7:55 AM

ઇંગ્લેન્ડ (England) સામે શુક્રવારથી શરૂ થનારી ભારતીય ટીમ (Indian Cricket Team) ની ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. માંચેસ્ટર ટેસ્ટ (Manchester Test) પહેલા જ ભારતીય ટીમમાં કોરોના વાયરસના ચેપને કારણે તેને રદ કરવી પડી હતી. આવી સ્થિતિમાં હવે તમામની નજર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર છે. BCCI ની આ ફ્રેન્ચાઈઝી લીગનો બીજો ભાગ, આ મહિનાથી શરૂ થવા જઈ રહ્યો છે.

ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીના ભાગરૂપે, ઘણા ભારતીય અને ઇંગ્લીશ ખેલાડીઓને પાંચમી ટેસ્ટ બાદ સીધા યુએઈ જવાનુ હતુ. જ્યાં IPL 2021 મેચો રમાવાની છે. પરંતુ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની છેલ્લી મેચ રદ થવાને કારણે ઘણા ખેલાડીઓ સમયથી વહેલા યુએઇ પહોંચી શકે છે.

એમએસ ધોની (MS Dhoni) ના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી (CSK) શનિવાર, 11 સપ્ટેમ્બરે તેના ખેલાડીઓને ઈંગ્લેન્ડથી યુએઈ લાવવાની વ્યવસ્થા કરી રહી છે. આ વિશે મીડિયા સાથે વાત કરતી વખતે, ફ્રેન્ચાઇઝીના સીઇઓ, કાશી વિશ્વનાથે પુષ્ટિ કરી છે કે, ટેસ્ટ શ્રેણી સાથે સંકળાયેલા સીએસકે સાથે સંકળાયેલા તમામ ખેલાડીઓને શનિવાર સુધીમાં દુબઇ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડના 5 ખેલાડીઓ છે, જે આ સીઝનમાં CSK નો ભાગ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખેલાડીઓએ ગાળવો પડશે ક્વોરન્ટાઇન સમય

યુએઈ પહોંચ્યા બાદ ખેલાડીઓને 6 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડેશે. જેના કારણે CSK ખેલાડીઓને વહેલી તકે UAE માં લઈ આવવા માટે પ્રયાસ શરુ થયા છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચ રદ થવાનો આમ લાભ લેવાનો પ્રયાસ ટીમો દ્વારા થવા લાગી રહ્યો છે.

મીડિયા રીપોર્ટનુસાર CSK ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાશી વિશ્વનાથને ટાંકીને કહ્યું કે, અત્યારે ચાર્ટર્ડ ફ્લાઈટ શક્ય નથી. અમે તમામ ખેલાડીઓની આવતીકાલની કોમર્શિયલ ફ્લાઇટ માટે ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે તેઓ પહોંચશે, ત્યારે તેમને બાકીના ખેલાડીઓની જેમ 6 દિવસ માટે અલગ રાખવા પડશે.

અન્ય ફ્રેન્ચાઇઝી પણ ઉઠાવી શકે છે આવા પગલા

CSK સાથે સંકળાયેલા 5 ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. આમાંથી ભારતીય ટીમના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ઓલરાઉન્ડર જોડી-રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર. આ સાથે જ ઈંગ્લેન્ડના બે ઓલરાઉન્ડર મોઈન અલી અને સેમ કુરન પણ ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. CSK આ બધાને દુબઈ લાવવાના પ્રયાસો કરી રહ્યું છે.

CSK ની માફક અન્ય ફ્રેન્ચાઇઝીઓ પણ આ પગલાં લઇ શકે છે. જેથી ટૂર્નામેન્ટ ફરી શરૂ થાય ત્યાં સુધી તમામ ખેલાડીઓ મેચો માટે ઉપલબ્ધ રહી શકે. 19 સપ્ટેમ્બર થી શરુ થઇ રહેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ CSK અને મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે રમાનારી છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના મોબાઇલથી લીક થયા મેસેજ, સામે આવ્યો માંચેસ્ટરનો ‘ખેલ’

આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઇન્ડીયાનો હિસ્સો રહેલા આ સ્ટાર ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં એક પણ બોલ રમ્યા વિના પ્રવાસ પૂરો કરી પરત આવશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">