AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના મોબાઇલથી લીક થયા મેસેજ, સામે આવ્યો માંચેસ્ટરનો ‘ખેલ’

ટીમ ઇન્ડીયાના વોટ્સએપ ગૃપ પર મોકલવામાં આવેલા બે મેસેજથી આ કહાની સામે આવી છે. આ બંને મેસેજ માંચેસ્ટરમાં ટોસ ઉછાળવાના કેટલાક સમય પહેલા મોકલવામાં આવ્યા હતા.

IND vs ENG: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના મોબાઇલથી લીક થયા મેસેજ, સામે આવ્યો માંચેસ્ટરનો 'ખેલ'
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 6:55 PM
Share

માંચેસ્ટર (Manchester)માં શું થયું, કેમ થયું, તેની પાછળની પોલ ખુલ્લી પડી ગઈ છે. ટીમ મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓને વોટ્સએપ (WhatsApp) પર મોકલવામાં આવેલા મેસેજ સામે આવ્યા છે. આ એવા સંદેશા છે જે 5 મી ટેસ્ટ પહેલા વાસ્તવિક કહાની કહે છે. આ ખેલાડીઓને મોકલવામાં આવેલા મેસેજ છે, જે માંચેસ્ટર મીસ મેનેજમેન્ટની પુરી કહાની કહે છે.

આ મેસેજ ટીમ ઇન્ડીયા (Team India) ના વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવ્યા હતા. ખેલાડીઓને વોટ્સએપ પર મળેલા આ સંદેશાઓ વિશે જાણીને, તમે પણ સમજી જશો કે કહાની લાગે તેટલી જ નથી.

ટીમ ઈન્ડીયાના વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવેલા બે મેસેજ સામે આવ્યા છે. આ બંને મેસેજ ટોસના થોડા સમય પહેલા મોકલવામાં આવ્યા હતા. પહેલો મેસેજ હતો જેમાં ખેલાડીઓને મેચ રદ્દ કરવાની માહિતી આપવામાં આવી હતી. આ સાથે પોતપોતાના રૂમમાં રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી. અત્યાર સુધી બધું બરાબર અને સ્પષ્ટ હતું. પરંતુ ત્યારબાદ 10 મિનિટ પછી ગ્રુપમાં બીજો મેસેજ આવે છે, તે માંચેસ્ટરમાં મીસ મેનેજમેન્ટને છતુ કરે છે.

10 મીનીટ બાદ આવેલા બીજા મેસેજે કર્યા હેરાન પરેશાન

ટીમ ઇન્ડીયાને વોટ્સેએપ પર મળેલા બીજા મેસેજમાં તેમને કહેવામાં આવ્યુ છે કે, અમે તમારા માટે રૂમમાં નાસ્તાની વ્યવસ્થા કરી શકતા નથી. તેથી જો તમારે નાસ્તો કરવો હોય તો તમારે તેના માટે રેસ્ટોરન્ટમાં જવું પડશે. આ મેસેજ કોરોનાના ભયમાં રહેતા ખેલાડીઓને આશ્ચર્યચકિત કરી રહ્યો હતો. તે તેમના માટે આઘાતજનક છે. એક તરફ તેમને રૂમમાં રહેવાનું કહેવામાં આવે છે અને બીજી બાજુ તેમને નાસ્તા માટે તે જ રૂમમાંથી બહાર આવવાનું કહેવામાં આવે છે.

માંચેસ્ટર ટેસ્ટ મેચ થઇ રદ્દ

કોરોનાને કારણે, ટીમ ઇન્ડીયાનો લગભગ સંપૂર્ણ સપોર્ટ સ્ટાફ ક્વોરેન્ટાઇન હેઠળ છે. ભારતીય ખેલાડીઓનું પણ કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે તે બધા નકારાત્મક હોવાનું બહાર આવ્યું હતુ. થોડા સમય માટે એવું લાગતું હતું કે માંચેસ્ટરમાં અંતિમ ટેસ્ટ મેચ રમાશે. પછી, ટોસના થોડા સમય પહેલા, ટેસ્ટ મેચની શરૂઆતને લઇ ફેરબદલના અહેવાલો આવ્યા હતા અને પછી થોડી ક્ષણો બાદ આ સમાચારે વાસ્તવિકતા દર્શાવી કે 5 મી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. સ્થગીત કરવામાં આવેલી માંચેસ્ટર ટેસ્ટને ભારત અને ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ ભવિષ્યમાં રમાડવા માટેની યોજના ઘડી રહ્યા છે.

આ પણ વાંચો: T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી

આ પણ વાંચો: Afghanistan: રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દેતા હાંફળા ફાંફળા બનેલા અફઘાનિસ્તાન બોર્ડે આ ક્રિકેટરને કેપ્ટન બનાવી દીધો!

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">