IND vs ENG: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના મોબાઇલથી લીક થયા મેસેજ, સામે આવ્યો માંચેસ્ટરનો ‘ખેલ’

ટીમ ઇન્ડીયાના વોટ્સએપ ગૃપ પર મોકલવામાં આવેલા બે મેસેજથી આ કહાની સામે આવી છે. આ બંને મેસેજ માંચેસ્ટરમાં ટોસ ઉછાળવાના કેટલાક સમય પહેલા મોકલવામાં આવ્યા હતા.

IND vs ENG: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના મોબાઇલથી લીક થયા મેસેજ, સામે આવ્યો માંચેસ્ટરનો 'ખેલ'
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 6:55 PM

માંચેસ્ટર (Manchester)માં શું થયું, કેમ થયું, તેની પાછળની પોલ ખુલ્લી પડી ગઈ છે. ટીમ મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓને વોટ્સએપ (WhatsApp) પર મોકલવામાં આવેલા મેસેજ સામે આવ્યા છે. આ એવા સંદેશા છે જે 5 મી ટેસ્ટ પહેલા વાસ્તવિક કહાની કહે છે. આ ખેલાડીઓને મોકલવામાં આવેલા મેસેજ છે, જે માંચેસ્ટર મીસ મેનેજમેન્ટની પુરી કહાની કહે છે.

આ મેસેજ ટીમ ઇન્ડીયા (Team India) ના વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવ્યા હતા. ખેલાડીઓને વોટ્સએપ પર મળેલા આ સંદેશાઓ વિશે જાણીને, તમે પણ સમજી જશો કે કહાની લાગે તેટલી જ નથી.

ટીમ ઈન્ડીયાના વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવેલા બે મેસેજ સામે આવ્યા છે. આ બંને મેસેજ ટોસના થોડા સમય પહેલા મોકલવામાં આવ્યા હતા. પહેલો મેસેજ હતો જેમાં ખેલાડીઓને મેચ રદ્દ કરવાની માહિતી આપવામાં આવી હતી. આ સાથે પોતપોતાના રૂમમાં રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી. અત્યાર સુધી બધું બરાબર અને સ્પષ્ટ હતું. પરંતુ ત્યારબાદ 10 મિનિટ પછી ગ્રુપમાં બીજો મેસેજ આવે છે, તે માંચેસ્ટરમાં મીસ મેનેજમેન્ટને છતુ કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

10 મીનીટ બાદ આવેલા બીજા મેસેજે કર્યા હેરાન પરેશાન

ટીમ ઇન્ડીયાને વોટ્સેએપ પર મળેલા બીજા મેસેજમાં તેમને કહેવામાં આવ્યુ છે કે, અમે તમારા માટે રૂમમાં નાસ્તાની વ્યવસ્થા કરી શકતા નથી. તેથી જો તમારે નાસ્તો કરવો હોય તો તમારે તેના માટે રેસ્ટોરન્ટમાં જવું પડશે. આ મેસેજ કોરોનાના ભયમાં રહેતા ખેલાડીઓને આશ્ચર્યચકિત કરી રહ્યો હતો. તે તેમના માટે આઘાતજનક છે. એક તરફ તેમને રૂમમાં રહેવાનું કહેવામાં આવે છે અને બીજી બાજુ તેમને નાસ્તા માટે તે જ રૂમમાંથી બહાર આવવાનું કહેવામાં આવે છે.

માંચેસ્ટર ટેસ્ટ મેચ થઇ રદ્દ

કોરોનાને કારણે, ટીમ ઇન્ડીયાનો લગભગ સંપૂર્ણ સપોર્ટ સ્ટાફ ક્વોરેન્ટાઇન હેઠળ છે. ભારતીય ખેલાડીઓનું પણ કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે તે બધા નકારાત્મક હોવાનું બહાર આવ્યું હતુ. થોડા સમય માટે એવું લાગતું હતું કે માંચેસ્ટરમાં અંતિમ ટેસ્ટ મેચ રમાશે. પછી, ટોસના થોડા સમય પહેલા, ટેસ્ટ મેચની શરૂઆતને લઇ ફેરબદલના અહેવાલો આવ્યા હતા અને પછી થોડી ક્ષણો બાદ આ સમાચારે વાસ્તવિકતા દર્શાવી કે 5 મી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. સ્થગીત કરવામાં આવેલી માંચેસ્ટર ટેસ્ટને ભારત અને ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ ભવિષ્યમાં રમાડવા માટેની યોજના ઘડી રહ્યા છે.

આ પણ વાંચો: T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી

આ પણ વાંચો: Afghanistan: રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દેતા હાંફળા ફાંફળા બનેલા અફઘાનિસ્તાન બોર્ડે આ ક્રિકેટરને કેપ્ટન બનાવી દીધો!

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">