IPL 2021: સિઝનની બાકીની મેચોનું આયોજન થશે તો પણ બેન સ્ટોક્સ એ ભાગ લેવાથી નનૈયો ભણ્યો
ઇંગ્લેંડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) આઇપીએલ 2021 દરમ્યાન ઇજાગ્રસ્ત બન્યો હતો. ત્યારબાદ તે આઇપીએલથી બહાર થઇ ગયો હતો.
ઇંગ્લેંડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) આઇપીએલ 2021 દરમ્યાન ઇજાગ્રસ્ત બન્યો હતો. ત્યાર બાદ તે આઇપીએલથી બહાર થઇ ગયો હતો. જોકે આ દરમ્યાન આઇપીએલ પણ કોરોના સંક્રમણને લઇને વચ્ચેથી જ રોકી દેવાઇ છે. હવે આઇપીએલની બાકીની મેચોનું આયોજન બાદમાં કરવામાં આવનાર છે. હવે જેને લઇને બેન સ્ટોક્સ એ કહ્યુ છે કે, હવે જો પોતે ફીટ થઇ જશે આઇપીએલના બાકીના આયોજન દરમ્યાન તો પણ તે તેમાં હિસ્સો નહી લઇ શકે.
બેન સ્ટોક્સ આઇપીએલ 2021 માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વતી રમવા દરમ્યાન પ્રથમ મેચમાં જ ઇજાગ્રસ્ત થયો હતો. તેના હાથની આંગળી ફ્રેકચર થઇ ગઇ હતી. પંજાબ કિંગ્સ સામે રમતા તેને ઇજા પહોંચી હતી. બેન સ્ટોક્સએ એક મીડિયા કોલમમાં લખતા કહ્યુ હતું કે, અમને નથી ખબર કે ટુર્નામેન્ટ ફરીથી શરુ થશે કે નહી. જોકે ECB એ કહ્યુ છે કે, ઇંગ્લેંડના ખેલાડીઓ માટે રમવુ મુશ્કેલ બનશે.
જોકે તેણે એ વાત ચોક્કસ કહી કે તે આગામી સિઝનમાં જરુર રમશે. બેન સ્ટોક્સ એ કહ્યુ હતું કે, ઇજા થવાને લઇને શરુઆતમાં તે ખુબ દુખી હતો. જોકે ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેણે કહ્યુ કે મને નથી ખ્યાલ કે હું ક્યારે મેદાન પર પરત ફરી શકીશ. જોકે નવ સપ્તાહ હજુ સમય લાગી શકે છે.
તેણે કહ્યુ હતું કે, રાજસ્થાન રોયલ્સથી વિદાય લેવુ ખુબ જ મુશ્કેલ હતું. કારણ કે હું આટલી જલ્દી વિદાય લેવા નહોતો ઇચ્છતો. જોકે ત્યારબાદ લીગ જ સ્થગીત થઇ ગઇ અને હવે બધા ખેલાડીઓ પણ પરત ફરી ગયા. ભારત મુશ્કેલ સમયથી હાલમાં લડી રહ્યો છે.