AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: જાડેજા અને અશ્વિનની સામે શ્રીલંકાનું સરન્ડર, મોહાલી ટેસ્ટ ભારતે એક ઇનિંગ અને 222 રને જીતી લીધી

મોહાલી ટેસ્ટમાં ભારતે પહેલી ઇનિંગમાં 574 રનનો વિશાળ સ્કોર કર્યો. જેમાં રવિન્દ્ર જાડેજાએ 175 રન કર્યા. જવાબમાં શ્રીલંકાની ટીમ પહેલી ઇનિંગમાં 174 રન અને બીજી ઇનિંગમાં 178 રનનો સ્કોર જ કરી શકી હતી.

IND vs SL: જાડેજા અને અશ્વિનની સામે શ્રીલંકાનું સરન્ડર, મોહાલી ટેસ્ટ ભારતે એક ઇનિંગ અને 222 રને જીતી લીધી
Team India win (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 4:50 PM
Share

ટી20 બાદ ભારતીય ક્રિકેટ (Team India) ટીમે ટેસ્ટ શ્રેણીમાં પણ શાનદાર શરૂઆત કરી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં પુરી થઈ ગઈ છે. ઘરઆંગણે લગભગ અજેય રહેલી ભારતીય ટીમ સામે શ્રીલંકાની ટીમ દોઢ દિવસ પણ ટકી શકી ન હતી અને પહેલી ટેસ્ટ ઇનિંગ્સ 222 રનથી હારી ગઈ હતી. આ રીતે, રોહિત શર્મા (Rohit Sharma) નો ટેસ્ટ કેપ્ટન્સીનો કાર્યકાળ પણ જબરદસ્ત રીતે શરૂ થયો. આ સાથે ટીમ ઈન્ડિયાએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને 100મી ટેસ્ટમાં જીતની ભેટ પણ આપી હતી.

ભારતમાં છેલ્લી કેટલીક ટેસ્ટ મેચો માત્ર 3 દિવસમાં જ ખતમ થઈ ગઈ હતી અને આ મેચની સ્થિતિ એવી જ રહી હતી. મેચના ત્રીજા દિવસે ભારતે બંને દાવમાં શ્રીલંકાનો સામનો કરીને પોતાનું કામ વહેલું પૂરું કર્યું. રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની આગેવાની હેઠળના ભારતીય બોલરોએ રવિવારે શ્રીલંકાની 16 વિકેટો પાડી હતી. પથુમ નિસાન્કાએ પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે નિરોશન ડિકવેલાએ બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી.

5 માર્ચ શનિવારના રોજ રવિન્દ્ર જાડેજાએ પોતાની બેટિંગથી શ્રીલંકાના બોલરો પર તબાહી મચાવી હતી. ત્યારબાદ રવિવાર 6 માર્ચે પણ ભારતીય ઓલરાઉન્ડર જાડેજાનું વાવાઝોડું શ્રીલંકા પર ફરી વળ્યું હતું. તેણે ફરીથી શ્રીલંકાને પોતાનો શિકાર બનાવ્યો હતો. જો કે, તેને થોડી રાહ જોવી પડી કારણ કે પથુમ નિસાંકા અને ચરિત અસલંકાએ દિવસની સારી શરૂઆત કરી અને પ્રથમ કલાક સુધી ભારતને કોઈ વિકેટ લેવા દીધી ન હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 58 રનની ભાગીદારી નોંધાઈ હતી.

ત્યાર બાદ જસપ્રીત બુમરાહે અસલંકાને LBW આઉટ કરીને શ્રીલંકાને દિવસનો પહેલો અને ઈનિંગનો પાંચમો ઝટકો આપ્યો અને અહીંથી વિકેટો પડવાની શરૂઆત થઇ. આ પછી જાડેજાનું વાવાઝોડુ શરૂ થયું અને બાકીની 5માંથી 4 વિકેટ પોતાના નામે કરી. શ્રીલંકાને માત્ર 174ના સ્કોર પર રોકી દીધું. જાડેજાએ માત્ર 41 રનમાં 5 વિકેટ લીધી હતી. શ્રીલંકા માટે માત્ર પથુમ નિસાન્કાએ હિંમત બતાવી અને સારી અડધી સદી ફટકારી. તે 61 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

પહેલી ઇનિંગમાં શ્રીલંકા 174 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમે 400 રનની લીડ મળી હતી. જેને પગલે ભારતીય ટીમે શ્રીલંકાને ફોલોઓન આપ્યું અને પછીના બે સત્રોમાં બીજી ઇનિંગ્સને પુરી કરી દીધી હતી. અશ્વિને બીજી ઈનિંગમાં લાહિરુ થિરિમાને અને પથુમ નિસાંકાને શરૂઆતમાં જ આઉટ કરીને સારી શરૂઆત કરી હતી, ત્યારબાદ જાડેજાએ મિડલ ઓર્ડરને પોતાનો શિકાર બનાવ્યો હતો. શ્રીલંકા તરફથી લડાયક ઇનિંગ્સ રમી રહેલા એન્જેલો મેથ્યુઝ (28) અને ધનંજય ડી સિલ્વા (30)ને જાડેજાએ પેવેલિયનમાં પરત ફર્યા હતા.

શ્રીલંકા તરફથી વિકેટ-કીપર બેટ્સમેન નિરોશન ડિકવેલાએ એક છેડેથી ઇનિંગ્સને આગળ લઇ જવાનું ચાલુ રાખ્યું હતું અને ભારતની જીતના માર્જિનને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 9 વિકેટના પતન બાદ તેણે ઈજાગ્રસ્ત બેટ્સમેન લાહિરુ કુમારાની મદદથી તેની 19મી અડધી સદી પુરી કરી. પણ તે પૂરતું ન હતું. તે 51 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 4, અશ્વિને 4 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : IND vs SL: શ્રીલંકા સામે બેટીંગ અને બોલીંગ વડે કર્યો ગજબ ! 60 વર્ષ બાદ કોઇ ભારતીય ખેલાડીએ આમ કર્યુ

આ પણ વાંચો : IND vs SL: ભારતના સ્કોર થી 400 રન દૂર રહેલ શ્રીલંકા ફોલોઓન, બીજા દાવની રમત શરુ, જાડેજાનો કમાલ ઝડપી 5 વિકેટ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">