AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvSL: ભારતી ટીમ સાથે જોડાતા જ રવિન્દ્ર જાડેજાએ વ્યક્ત કરી પોતાની ખુશી

ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયા માટે ફરીથી રમવાને લઇને ઉત્સાહ જાહેર કર્યો

INDvSL: ભારતી ટીમ સાથે જોડાતા જ રવિન્દ્ર જાડેજાએ વ્યક્ત કરી પોતાની ખુશી
Ravindra Jadeja (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 5:38 PM

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) 23 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામેની ટી20 સીરિઝથી પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં (Team India) પરત ફરતા ખુશી વ્યક્ત કરી છે. તે શ્રીલંકા સામેની આગામી બંને ટી20 સીરિઝ અને ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયા તરફથી મેદાન પર જોવા મળશે. સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બે મહિનાથી વધુ સમય માટે મેદાનથી બહાર હતો અને હવે શ્રીલંકા (Sri Lanka Cricket) સીરિઝથી વાપસી કરી રહ્યો છે.

નવેમ્બર-ડિસેમ્બર 2021 માં ન્યુઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટ મેચ સમયે જમણા હાથમાં ઇજા થયા બાદ રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાનથી દુર હતો. આ ઇજાના કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસે અને વેસ્ટ ઇન્ડિઝ સામેની ઘરઆંગણેની સીરિઝમાંથી બહાર હતો. જોકે હવે આ અનુભવી ઓલરાઉન્ડર સંપૂર્ણ રીતે ફીટ થઇ ચુક્યો છે અને મેદાન પર તરખાટ મચાવવા માટે તૈયાર છે.

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર

શ્રીલંકા સામે તરખાટ મચાવવા માટે તૈયાર છે રવિન્દ્ર જાડેજા

શ્રીલંકા સામેની દ્વિપક્ષીય સીરિઝની શરૂઆત 24 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયા માટે રમવાને લઇને ઉત્સાહીત છે. ઓલરાઉન્ડર જાડેજાએ કહ્યું કે તે હવે ઘણું સારૂ ફિલ કરી રહ્યો છે અને 2-3 મહિના બાદ ભારત માટે રમવાને લઇને ઘણો ઉત્સાહિત છું. તે ઇજામાંથી બહાર આવ્યા બાદ શ્રીલંકા સામે રમવાને લઇને ઘણો ઉત્સાહિત છે.

BCCI દ્વારા ટ્વિટર પર જાહેર કરેલ એક વીડિયોમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું, “ભારતીય ટીમમાં ફરીથી જોડાયા બાદ ઘણું સારૂ લાગી રહ્યું છે. હું ખરેખર ટી20 અને ટેસ્ટ સીરિઝ રમવાને લઇને ઉત્સાહિત છું. હું ઘણુ સારૂ ફિલ કરી રહ્યો છું કે અંતે 3 મહિના બાદ હું ભારત માટે ફરીથી રમી રહ્યો છું. હું શ્રીલંકા સામે રમવા માટે તૈયરા છું.”

તેણે આગળ કહ્યું કે તે પોતાનું રિહૈબ સારી રીતે કરવા માંગતો હતો અને તેણે NCA માં પોતાની ફિટનેશ પર સખત મહેનત કરી છે. બેંગ્લોરમાં બેટિંગ અને બોલિંગ કરી, ત્યા બધુ જ સારૂ રહ્યું અને આ રીતે તે રમત સાથે જોડાયેલો રહ્યો. તે બે મહિનાથી વધુ સમય બાદ પહેલી પ્રેક્ટિસ માટે ભારતીય ટીમ સાથે જોડાયો છે.

જુઓ આ વીડિયોઃ

આ પણ વાંચો : INDvSL: જસપ્રીત બુમરાહને ઉપ સુકાની બનાવવા પર રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન

આ પણ વાંચો : INDvSL: ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ રોહિત શર્માએ આપ્યું મહત્વનું નિવેદન

મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
g clip-path="url(#clip0_868_265)">