વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ
મહિલા વનડે વર્લ્ડ કપ 2025 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જોકે, આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ભારતીય મહિલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત માટે 124 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર આ ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

ભારતીય મહિલા ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની વાઈટ બોલ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માત્ર T20 શ્રેણી જ નહીં પરંતુ ODI શ્રેણી પણ જીતી હતી. હવે તેમને ઓસ્ટ્રેલિયા સામે ODI શ્રેણી રમવાની છે, જેના પછી મહિલા વર્લ્ડ કપ શરૂ થશે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને ભારતીય મહિલા ટીમ ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવા માંગશે. જોકે, આ ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયા માટે 124 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડીએ અચાનક નિવૃત્તિ લઈ લીધી છે.
વેદા કૃષ્ણમૂર્તિએ નિવૃત્તિ લીધી
ભારતની મજબૂત મિડલ ઓર્ડર બેટ્સમેન વેદા કૃષ્ણમૂર્તિએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણીએ પોતે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી. તેણીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું, ‘મોટા સપનાઓ ધરાવતી નાના શહેરની છોકરીથી લઈને ભારતીય ટીમની જર્સી ગર્વથી પહેરવા સુધી. ક્રિકેટે મને જે પાઠ, લોકો અને યાદો આપી છે તેના માટે હું આભારી છું. હવે રમવાને અલવિદા કહેવાનો સમય છે, પણ રમતને નહીં. હું હંમેશા ભારત અને ટીમ માટે ઉપલબ્ધ રહીશ.’
,
Congratulations on a fantastic and inspiring international career!
Best wishes for the road ahead #TeamIndia | @vedakmurthy08 https://t.co/FSHqpS54jk pic.twitter.com/wzuSHo3y6y
— BCCI Women (@BCCIWomen) July 25, 2025
વેદા કૃષ્ણમૂર્તિની કારકિર્દી
વેદાએ ટીમ ઈન્ડિયા માટે 48 વનડે મેચમાં 25.90ની સરેરાશથી 829 રન બનાવ્યા છે. તેના નામે 8 અડધી સદી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 71 રન છે. વેદાએ ટીમ ઈન્ડિયા માટે 76 T20 મેચમાં 18.61ની સરેરાશથી 875 રન બનાવ્યા છે. તેણે બે અડધી સદી ફટકારી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 57 રન અણનમ રહ્યો છે. આ અનુભવી ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2020માં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ સામે મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં રમી હતી. આ પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવી હતી અને કૃષ્ણમૂર્તિને ફરી તક મળી ન હતી.
કર્ણાટકના ક્રિકેટર સાથે કર્યા લગ્ન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીએ 2023માં કર્ણાટકના ભૂતપૂર્વ ક્રિકેટર અર્જુન હોયસાલા સાથે લગ્ન કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પર સાથે ઘણી તસવીરો શેર કરે છે. તમને જણાવી દઈએ કે, વેદાએ મહિલા પ્રીમિયર લીગમાં પણ ભાગ લીધો છે. તેણીએ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ગુજરાત જાયન્ટ્સ માટે તેની છેલ્લી WPL મેચ રમી હતી.
આ પણ વાંચો: ક્રિકેટના મેદાનની ‘તલવાર’ માટે પણ છે ક્રિકેટ રૂલબુકમાં નિયમ, જાણો બેટ માટે શું છે ICCનો નિયમ
