ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને શાનદાર અંદાજમાં હાર આપી ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમ ઈન્ડિયા તરફથી બોલર અને બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ માટે રોહિત શર્માએ મેચમાં તોફાની ઈનિગ્સ રમી છે. તેમણે 41 બોલમાં 92 રન બનાવ્યા છે.
આ સિવાય અર્શદીપ સિંહે મેચમાં 3 વિકેટ પણ લીધી છે. આ ખેલાડીઓના કારણે ભારતીય ટીમ જીત મેળવવામાં સફળ રહી છે. ભારતીય ટીમ પાંચમી વખત ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી એક પણ મેચ હારી નથી અને ભારતીય ટીમ અત્યારસુધી તમામ મેચ જીતી છે. ટી20 વર્લ્ડકપ 2024 ભારતીય ટીમે 6 મેચ જીતી છે.
પહેલી વખત ટી20 વર્લ્ડકપની કોઈ સીઝનમાં ટીમ ઈન્ડિયાએ આટલી મેચ જીતી છે. આ પહેલા કોઈ પણ ટીમ વર્લ્ડકપની એક સીઝનમાં 6 મેચ જીતી શકી નથી. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા પણ ટી20 વર્લ્ડકપની એક એડિશનમાં 6-6 મેચ જીતી ચુકી છે.
ભારત વિરુદ્ધ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો છે. આ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેને શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 92 રનની ઈનિગ્સ રમી છે. આ સિવાય સુર્ય કુમાર યાદવનું 31 રનનું યોગદાન રહ્યું તો. ભારતીય ટીમે 205 રન બનાવ્યા હતા.જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 181 રન જ બનાવી શકી હતી.
આ પણ વાંચો : T20 WC: સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી, હવે ઈંગ્લેન્ડ સાથે થશે ટક્કર, રોહિત આર્મી લેશે બદલો