શિખર ધવનનુ વધ્યુ ટેંશન, ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવી રાખવુ બનશે મુશ્કેલ

શિખર ધવનને ફક્ત વન ડે ફોર્મેટમાં જ સ્થાન આપવામાં આવે છે, પરંતુ હાલમાં છેલ્લી કેટલીક મેચોથી તેનુ પ્રદર્શન ખાસ રહ્યુ નથી. તે સતત આઉટ ઓફ ફોર્મ રહેવાને લઈ હવે તેનુ ટીમમાં સ્થાન જળવાઈ રહેવા પર સંકટ છે.

શિખર ધવનનુ વધ્યુ ટેંશન, ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવી રાખવુ બનશે મુશ્કેલ
Shikhar Dhawan ફોર્મથી બહાર ચાલી રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 10:34 PM

ના તો ભારતીય ટીમ માટે બાંગ્લાદેશ પ્રવાસ અત્યાર સુધી સારો રહ્યો છે કે, ના તો ખેલાડીઓ માટે. બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન એક બાદ એક ખેલાડી અનફિટ થવા લાગ્યા તો, બીજી તરફ વન ડે શ્રેણીમાં પણ 2-1 થી હાર થઈ હતી. ટીમ ઈન્ડિયાની વન ડે શ્રેણીમાં પ્રથમ બંને મેચમાં ભારતે હાર મેળવી હતી. આવી સ્થિતીમાં હવે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા વન ડે ફોર્મેટમાં પણ વિશ્વકપ પહેલા સુધારો લાવવા માટે પ્રયાસ થઈ શકે છે, જેમાં સૌથી પહેલુ કાર્ય નબળુ પ્રદર્શન ધરાવતા ખેલાડીઓ પર કાતર ફેરવવાનુ કામ હાથ ધરાઈ શકે છે. આવી સ્થિતીમાં હવે ફોર્મથી બહાર ચાલી રહેલા શિખર ધવનને માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.

ઈશાન કિશને બાંગ્લાદેશ સામેની વન ડે શ્રેણીની અંતિમ મેચમાં બેવડી સદી નોંધાવ્યા બાદ, તેને ભારતીય ક્રિકેટ ટીમમાં ઓપનર તરીકે મુખ્ય વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી વર્ષે ઘર આંગણે વન ડે વિશ્વકપ રમારો હોઈ ટીમ ઈન્ડિયામાં કચાસને દુર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આવી સ્થિતીમાં હવે શિખર ઘવન માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ધવન અંતિમ કેટલીક મેચોમાંથી 8 ઈનીંગમાં સંઘર્ષની સ્થિતીમાં જોવા મળ્યો હતો. પાવર પ્લેમાં પણ તેની રમત ધીમી રહી છે. આમ હવે નવી પસંદગી સમિતિ તેના પ્રદર્શન અને ભવિષ્યને લઈ વિચારણા કરી શકે છે.

પસંદગી સમિતિ કરશે વિચારણા

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ દરમિયાન બોર્ડના વિશ્વસનીય સ્ત્રોતને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ટીમમાંથી અનુભવી ખેલાડીઓને બહાર કરવાની પ્રક્રિયા આવતા વર્ષથી શરૂ થશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ ગોપનીયતાની શરતે પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, શિખરના ભાવિ અંગેનો નિર્ણય નવી પસંદગી સમિતિની રચના પછી જ લેવામાં આવશે. પરંતુ આ મામલે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માના વિચારોને નજરઅંદાજ કરી શકાય નહીં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ધીમી રમત સમસ્યા બની

હાલમાં ભારતીય ટીમનુ પ્રદર્શન બાંગ્લાદેશ પ્રવાસમાં અંતિમ વન ડેને બાદ કરતા સંઘર્ષ ભર્યુ રહ્યુ છે. શિખર ધવન ત્રણેય ઈનીંગમાં ફ્લોપ રહ્યો હતો. જે વિશ્વકપ 2023 પહેલા ચિંતા રુપ બની રહ્યુ છે. અગાઉ 2019 ના વિશ્વકપ પહેલા ધવનની સ્ટ્રાઈક રેટ 100 થી વધારે રહેતી હતી. જે હાલમાં માત્ર 75 નો જોવા મળી રહ્યો છે. નવી પસંદગી સમિતિ ટીમમાં સુધારો લાવવા માટે નબળા પ્રદર્શન ધરાવતા ખેલાડીઓ પર આફત લાવી શકે છે. જોકે ધવન અનુભવી ખેલાડી છે અને તેને લઈ વિચાર માંગી લેશે.

ઘવને ભારતીય ટીમ વતી 167 મેચ રમી છે. આ દરમિયાન તે ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના બાદ ત્રીજો સૌથી વધુ રન ધરાવતો ખેલાડી છે. રોહિત શર્મા 9454 રન ધરાવે છે, તો કોહલી 12471 રન ધરાવે છે. ધવન વન ડે ક્રિકેટમાં 6793 રન ધરાવે છે. જોકે આગામી વર્ષની શરુઆતે જ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં ભારત 6 મેચો રમશે. શિખર ધવનને પણ આ બંને શ્રેણીઓમાં મોકો મળવો જોઈએ અને ત્યારબાદ તેની પર વિચારણા કરવી જોઈએ એમ માનવા વાળો વર્ગ પણ મોટો છે.

કિશન અને ગિલ પર સૌનુ ધ્યાન

હાલમાં ઈશાન કિશને બેવડી સદી ફટકારીને સૌ કોઈનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શક્યો છે. શુભમન ગિલની પણ રમત શાનદાર રહી છે, જોકે બાંગ્લાદેશ પ્રવાસથી આરામ પર છે. ઈશાનના પ્રદર્શનને લઈ તે સૌને ધ્યાન પોતાના પર ફોકસ કરવા મજબૂર બનાવી ચુક્યો છે. હાલમાં ઈશાન કિશનને હવે પોતાના વારા માટે રાહ જોવડાવવી યોગ્ય નથી. ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શિખર ધવનને એક જ પ્લેઈંગ ઈલેવનમાં રાખવા એ મુશ્કેલ છે.

હવે આગામી વર્ષે ભારતમાં વન ડે વિશ્વકપ રમાનારો છે એ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં સુધારાઓ કરવા આવશ્યક છે. ભારતીય ટીમ આગામી વર્ષે વિશ્વકપ પહેલા ખૂબ વન ડે ક્રિકેટ રમનારી છે. જેમાં શરુઆત જાન્યુઆરી મહિનામાં લાગ લગાટ વન ડે મેચો ભારતીય ટીમ રમનારી છે. 3 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધીના સમયમાં જ 12 મેચ મર્યાદિત ઓવરોની ભારત રમનાર છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">