IND vs WI: બીજી T20માં હાર બાદ હાર્દિક પંડ્યા બેટ્સમેનો પર થયો ગુસ્સે, કહી મોટી વાત

બીજી T20 પછી હાર્દિક પંડ્યાએ જે કહ્યું તેનાથી સ્પષ્ટ છે કે તે રન બનાવવા માટે તેની ટીમના નીચલા ક્રમ પર ભરોસો કરી શકે નહીં. ટીમના ટોપ 7 બેટ્સમેનોએ જ આ કામ કરવાનું રહેશે. રન બનાવવા માટે આ ખેલાડીઓ પર ભરોસો રાખી શકાય નહીં.

IND vs WI: બીજી T20માં હાર બાદ હાર્દિક પંડ્યા બેટ્સમેનો પર થયો ગુસ્સે, કહી મોટી વાત
Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 10:09 AM

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં ટીમ ઈન્ડિયા તરફથી કાઉન્ટર એટેકની અપેક્ષા હતી. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 5 મેચની T20 શ્રેણી બરાબર થઈ જશે. પરંતુ, કેરેબિયન ખેલાડીઓએ ભારતીય ટીમને પોતાનું લેવલ બતાવ્યું. બીજી T20માં વેસ્ટ ઈન્ડિઝે (West Indies) ભારતને 2 વિકેટે હરાવ્યું. આ જીત બાદ વેસ્ટ ઈન્ડિઝે 2-0થી લીડ મેળવી લીધી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા (Team India) હવે સીરિઝ ગુમાવવાના અણી પર છે.

કેપ્ટન હાર્દિક પંડ્યાનું નિવેદન

આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાનું નિવેદન પણ ઘણું કહી જાય છે. બીજી T20 પછી હાર્દિક પંડ્યાએ જે કહ્યું તેનાથી સ્પષ્ટ છે કે તે રન બનાવવા માટે તેની ટીમના નીચલા ક્રમ પર ભરોસો કરી શકે નહીં. ટીમના ટોપ 7 બેટ્સમેનોએ જ આ કામ કરવાનું રહેશે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

સતત બીજી T20માં હાર

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20માં 150 રનનો પીછો કરી શકી ન હતી. તો બીજી T20માં તેના માટે 153 રનના ટાર્ગેટનો બચાવ કરવો મુશ્કેલ બની ગયો હતો. હાર્દિક પંડ્યાએ પહેલી T20ની હારને પચાવીને કહ્યું કે ભૂલો યુવા ટીમથી થાય છે. પરંતુ, બીજી T20માં શું સાચું હતું, તેણે ઉજાગર કર્યું. તેણે ટીમની હાર માટે ભારતીય બેટિંગને જવાબદાર ઠેરવી હતી.

બેટિંગ નિષ્ફળ, વેરવિખેર રમત

પહેલા જાણો બીજી T20માં હાર બાદ હાર્દિક પંડ્યાએ શું કહ્યું. તેણે કહ્યું કે સત્ય એ છે કે અમે સારી બેટિંગ કરી નથી. અમે આનાથી વધુ સારું રમી શક્યા હોત. તે સહમત હતો કે પિચ થોડી ધીમી હતી પરંતુ એટલી બધી નહીં કે તેના પર 160-170 રન ન બની શકે. પરંતુ ભારતીય ટીમ આમ કરવામાં નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચોઃ IND vs WI: હાર્દિક પંડ્યાની 2 ભૂલો, જેણે ટીમ ઈન્ડિયા પાસેથી જીતની તક છીનવી લીધી

નીચલા ક્રમના ખેલાડીઓ પર નિર્ભર રહી શકાય નહીં

પંડ્યાએ વધુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બેટ્સમેનોએ તેમની ભૂમિકા સમજવી પડશે. તેઓએ જવાબદારી લેવી પડશે. જ્યારે તેને ટીમના નીચલા ક્રમમાંથી રન બનાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે વર્તમાન ટીમમાં ટોચના 7 બેટ્સમેનોને બાદ કરતાં અમે રન માટે બાકીના પર નિર્ભર રહી શકીએ નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">