AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: યુઝવેન્દ્ર ચહલે આવતાની સાથે જ મચાવી દીધી તબાહી, જુઓ Video

વેસ્ટ ઈન્ડિઝ સામેની આ T20 શ્રેણી પહેલા ત્રણ વનડે રમાઈ હતી, પરંતુ યુઝવેન્દ્ર ચહલને એક પણ વખત તક આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના વલણ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ T20 સિરીઝની પહેલી જ મેચમાં તેને તક આપવામાં આવી હતી અને ચહલે પોતાનો જાદુ ચલાવ્યો હતો.

IND vs WI: યુઝવેન્દ્ર ચહલે આવતાની સાથે જ મચાવી દીધી તબાહી, જુઓ Video
Yuzvendra Chahal
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 10:42 PM
Share

એશિયા કપ અને વર્લ્ડ કપને લઈને ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની પસંદગીને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. માત્ર ચર્ચામાં જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં પણ જેની અવગણના કરી હતી, તે ખેલાડી છે – લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal). ચહલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં માત્ર ત્રણ બોલમાં જબરદસ્ત રીતે આનો જવાબ આપી દીધો હતો.

યુઝવેન્દ્ર ચહલનું કમબેક

અનુભવી સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં તક આપવામાં આવી ન હતી. ટીમ ઈન્ડિયાએ ત્રણેય મેચમાં પ્રયોગ કર્યો હતો, પરંતુ તેમ છતાં ચહલને એક પણ મેચમાં તક આપવામાં આવી ન હતી. ચહલ સાથેના આવા વર્તનને લઈને સતત સવાલો ઉઠી રહ્યા હતા કે શા માટે છેલ્લા 5 વર્ષમાં ભારતના સૌથી સફળ સ્પિનરોમાંથી એકને તક આપવામાં આવી નથી રહી.

ચહલનો ચમત્કાર

ભલે ચહલને વનડેમાં તક ન મળી હોય, પરંતુ T20 સિરીઝની શરૂઆતમાં ચહલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્રિનિદાદમાં સીરિઝની પ્રથમ મેચમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સાથે ત્રીજા સ્પિનર ​​તરીકે ચહલને તક આપવામાં આવી હતી. ચહલે માત્ર 3 બોલમાં ત્રણ વનડે મેચમાં ન રમવાનો ગુસ્સો ઉતારી દીધો હતો.

પહેલા જ બોલે લીધી વિકેટ

પાંચમી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ચહલે મેચમાં પ્રથમ બોલ પર જ વિકેટ મેળવી હતી. ચહલના બોલ પર ઓપનર કાયલ મેયર્સ LBW આઉટ થયો હતો. મેયર્સે જોકે અહીં એક મોટી ભૂલ કરી હતી. જો તેણે DRS લીધું હોત તો તે આઉટ ન થયો હોત કારણ કે બોલ વિકેટ સાથે અથડાતો ન હતો. એ જ ઓવરના ત્રીજા બોલ પર ચહલે બીજા ઓપનર બ્રેન્ડન કિંગને પણ LBW આઉટ કર્યો હતો.

આ પણ વાંચો : શોએબે ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી સાનિયાનું નામ હટાવ્યું, બંને અલગ થયાની ઉડી વાત!

શું ચહલને વર્લ્ડ કપમાં તક મળશે?

હવે ચહલ સમગ્ર શ્રેણીમાં આ પ્રદર્શન ચાલુ રાખવાનો પ્રયાસ કરશે અને એશિયા કપ-વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. ટીમ ઈન્ડિયાની દૃષ્ટિએ ચહલ માટે છેલ્લા 2 વર્ષ બહુ સારા નથી રહ્યા. T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર અને IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર આ લેગ સ્પિનરને ટીમ ઈન્ડિયાએ સતત બે T20 વર્લ્ડ કપમાં નજરઅંદાજ કર્યો હતો. 2021ના વર્લ્ડ કપમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી, જ્યારે 2022ના વર્લ્ડ કપમાં ટીમમાં પસંદગી થવા છતાં એક પણ મેચ રમાડી ન હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">