AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS NZ: ટીમ ઇન્ડિયાએ ઇજાને લઇને વિકેટકીપર બદલવો પડ્યો, રિદ્ધિમાન સાહાને બદલે શ્રીકર ભરતે જવાબદારી સંભાળી

રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ બીજા દિવસે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી પરંતુ ત્રીજા દિવસે મુશ્કેલીના કારણે તે મેદાન પર આવ્યો નથી.

IND VS NZ: ટીમ ઇન્ડિયાએ ઇજાને લઇને વિકેટકીપર બદલવો પડ્યો, રિદ્ધિમાન સાહાને બદલે શ્રીકર ભરતે જવાબદારી સંભાળી
Indian Cricket Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 10:09 AM
Share

કાનપુર (Kanpur Test) ના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારતને આંચકો લાગ્યો છે. ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ઈજાગ્રસ્ત છે અને મેદાન પર આવ્યો નથી. તેની જગ્યાએ શ્રીકર ભરત (Ks Bharat ) વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. BCCI એ કહ્યું છે કે સાહાને ગરદનની સમસ્યા છે અને એટલા માટે તેણે શનિવારે ત્રીજા દિવસે મેદાનમાં ઉતર્યો ન હતો. BCCI એ કહ્યું છે કે મેડિકલ ટીમ સાહાની સંભાળ લઈ રહી છે.

BCCIએ કહ્યું, “ઋદ્ધિમાન સાહાને ગરદનની સમસ્યા છે. BCCIની મેડિકલ ટીમ તેની દેખરેખ કરી રહી છે અને તેના પર નજર રાખી રહી છે. તેની ગેરહાજરીમાં કેએસ ભરત વિકેટકીપિંગ કરશે.

ભારતની મુશ્કેલી વધી!

સાહાની ઈજા બાદ ભારતની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે સાહાની ઈજા કેટલી ગંભીર છે અને તે કેટલા સમયમાં સાજો થઈ જશે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ નથી કે તે બેટિંગ કરવા માટે ફિટ થશે કે નહીં. જો સાહા બેટિંગ નહીં કરે તો તે ભારત માટે મુશ્કેલી બની શકે છે. ભારતે બેટ્સમેનની ખોટ સહન કરવી પડી શકે છે. સાહાએ પ્રથમ દાવમાં માત્ર એક રન બનાવ્યો હતો.

ભરત માટે તક

સાહાની બહાર નીકળવાથી કેએસ ભરત માટે તક મળી છે. જો કે ભરતે હજુ સુધી ડેબ્યુ કર્યું નથી, પરંતુ તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયા સાથે છે અને સતત દરવાજો ખટખટાવી રહ્યો છે. ટેસ્ટ ટીમમાં વિકેટકીપર તરીકે રિષભ પંતનું સ્થાન નિશ્ચિત છે. સાહાને બીજા વિકેટકીપર તરીકે જોવામાં આવે છે, પરંતુ ઉંમરના કારણે તે ટીમની સ્કીમમાંથી બહાર થઈ શકે છે અને આવી સ્થિતિમાં ભરતનું નામ બીજા વિકેટકીપર તરીકે આવી શકે છે.

ભરતને વિકેટકીપિંગની તક મળી છે. તે પોતાના પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કરી શકે છે. ભરતે અત્યાર સુધી 78 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 37.24ની એવરેજથી 4283 રન બનાવ્યા છે. જેમાં નવ સદી સાથે 23 અડધી સદીનો સમાવેશ થાય છે. તાજેતરમાં તેણે IPL-2021માં ભાગ લીધો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો.

આ પણ વાંચોઃ Suresh Raina’s Birthday: ‘મિસ્ટર IPL’ માટે છે આજે ખાસ દિવસ, ડેબ્યૂ મેચમાં જ શૂન્ય પર આઉટ થનારો આ બેટ્સમેન મિડલ ઓર્ડરમાં મજબૂત ભરોસો હતો

આ પણ વાંચોઃ IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">