AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS NZ: ટીમ ઇન્ડિયાએ ઇજાને લઇને વિકેટકીપર બદલવો પડ્યો, રિદ્ધિમાન સાહાને બદલે શ્રીકર ભરતે જવાબદારી સંભાળી

રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ બીજા દિવસે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી પરંતુ ત્રીજા દિવસે મુશ્કેલીના કારણે તે મેદાન પર આવ્યો નથી.

IND VS NZ: ટીમ ઇન્ડિયાએ ઇજાને લઇને વિકેટકીપર બદલવો પડ્યો, રિદ્ધિમાન સાહાને બદલે શ્રીકર ભરતે જવાબદારી સંભાળી
Indian Cricket Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 10:09 AM
Share

કાનપુર (Kanpur Test) ના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારતને આંચકો લાગ્યો છે. ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ઈજાગ્રસ્ત છે અને મેદાન પર આવ્યો નથી. તેની જગ્યાએ શ્રીકર ભરત (Ks Bharat ) વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. BCCI એ કહ્યું છે કે સાહાને ગરદનની સમસ્યા છે અને એટલા માટે તેણે શનિવારે ત્રીજા દિવસે મેદાનમાં ઉતર્યો ન હતો. BCCI એ કહ્યું છે કે મેડિકલ ટીમ સાહાની સંભાળ લઈ રહી છે.

BCCIએ કહ્યું, “ઋદ્ધિમાન સાહાને ગરદનની સમસ્યા છે. BCCIની મેડિકલ ટીમ તેની દેખરેખ કરી રહી છે અને તેના પર નજર રાખી રહી છે. તેની ગેરહાજરીમાં કેએસ ભરત વિકેટકીપિંગ કરશે.

ભારતની મુશ્કેલી વધી!

સાહાની ઈજા બાદ ભારતની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે સાહાની ઈજા કેટલી ગંભીર છે અને તે કેટલા સમયમાં સાજો થઈ જશે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ નથી કે તે બેટિંગ કરવા માટે ફિટ થશે કે નહીં. જો સાહા બેટિંગ નહીં કરે તો તે ભારત માટે મુશ્કેલી બની શકે છે. ભારતે બેટ્સમેનની ખોટ સહન કરવી પડી શકે છે. સાહાએ પ્રથમ દાવમાં માત્ર એક રન બનાવ્યો હતો.

ભરત માટે તક

સાહાની બહાર નીકળવાથી કેએસ ભરત માટે તક મળી છે. જો કે ભરતે હજુ સુધી ડેબ્યુ કર્યું નથી, પરંતુ તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયા સાથે છે અને સતત દરવાજો ખટખટાવી રહ્યો છે. ટેસ્ટ ટીમમાં વિકેટકીપર તરીકે રિષભ પંતનું સ્થાન નિશ્ચિત છે. સાહાને બીજા વિકેટકીપર તરીકે જોવામાં આવે છે, પરંતુ ઉંમરના કારણે તે ટીમની સ્કીમમાંથી બહાર થઈ શકે છે અને આવી સ્થિતિમાં ભરતનું નામ બીજા વિકેટકીપર તરીકે આવી શકે છે.

ભરતને વિકેટકીપિંગની તક મળી છે. તે પોતાના પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કરી શકે છે. ભરતે અત્યાર સુધી 78 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 37.24ની એવરેજથી 4283 રન બનાવ્યા છે. જેમાં નવ સદી સાથે 23 અડધી સદીનો સમાવેશ થાય છે. તાજેતરમાં તેણે IPL-2021માં ભાગ લીધો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો.

આ પણ વાંચોઃ Suresh Raina’s Birthday: ‘મિસ્ટર IPL’ માટે છે આજે ખાસ દિવસ, ડેબ્યૂ મેચમાં જ શૂન્ય પર આઉટ થનારો આ બેટ્સમેન મિડલ ઓર્ડરમાં મજબૂત ભરોસો હતો

આ પણ વાંચોઃ IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">