AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 દરમિયાન ભારતીય ખેલાડીઓને મળશે આરામ? રોહિત શર્માએ બતાવી હકીકત

31 માર્ચથી IPL 2023 ની શરુઆત થવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ સમાપ્ત થવા સાથે જ હવે ભારતીય ખેલાડીઓ આઈપીએલને લઈ તૈયારીઓ માટે પોત પોતાની ટીમો સાથે જોડાઈ જશે.

IPL 2023 દરમિયાન ભારતીય ખેલાડીઓને મળશે આરામ? રોહિત શર્માએ બતાવી હકીકત
Rohit Sharma doubts player will take break during IPL
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 10:04 AM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચોની વનડે સિરીઝ સમાપ્ત થઈ ચુકી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ટૂંક સમયમાં જ IPL ટીમોના કેમ્પમાં જોવા મળશે. વનડે સિરીઝ ખતમ થવા સાથે જ હવે ખેલાડીઓ IPL 2023 ની તૈયારીઓમાં લાગી જશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત આગામી 31 માર્ચથી થવા જઈ રહી છે. લીગમાં હવે ભારતીય ટીમના ખેલાડીઓ જે એક સાથે મળીને રણનિતી બનાવી રહ્યા હતા, એ હવે એક બીજાની સામે રણનિતી બનાવતા નજર આવશે. લીગના સમાપન બાદ તુરત WTC ફાઈનલ અને બાદમાં વર્ષના અંતિમ મહિનાઓમાં વિશ્વકપ રમાનારો છે. આ મહત્વની ટૂર્નામેન્ટ અને મેચને લઈ ભારતીય ખેલાડીઓને માટે વર્કલોડ મેનેજ થશે કે કેમ, ખેલાડીઓને લીગ દરમિયાન બ્રેક મળશે કે કેમ એવા સવાલ જરુર થઈ રહ્યા છે.

જોકે આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વાસ્તવિકતા દર્શાવતા બ્રેકને લઈ હકીકત સમજાવી હતી. રોહિતે બતાવી દીધુ હતુ કે, આવી સંભાવનાઓનુ સ્થાન શક્ય નથી. આ વાત તેણે ચેન્નાઈનાં ઓસ્ટ્રેલિયા સાથેની વનડે સિરીઝની અંતિમ મેચ બાદ બતાવી હતી. આ પહેલા સમાચાર આવી રહ્યા હતા કે, કેટલીક ટીમો IPL દરમિયાન વર્કલોડ મેનેજ કરતા સ્ટાર ખેલાડીઓને બ્રેક આપી શકે છે.

રોહિત શર્મા સહમત નહીં

ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા બ્રેકની વાત સાથે સહમત નથી. રોહિત શર્માએ બતાવ્યુ હતુ કે સ્ટાર ખેલાડીઓને બ્રેક મળશે કે નહીં તે તેમની ટીમો પર નિર્ભર છે. તેણે કહ્યું, “મને નથી લાગતું કે આઈપીએલ દરમિયાન કોઈ ખેલાડી બ્રેક લેશે. અમે કેટલીક ટીમોને સૂચનો આપ્યા છે પરંતુ તે સ્વીકારવું કે નહીં તે ફ્રેન્ચાઇઝ પર છે. તે નક્કી કરશે કારણ કે તે લીગમાં ખેલાડીઓની માલિક છે. તે ખેલાડીઓ પર પણ આધાર રાખે છે. દરેક વ્યક્તિ મોટા થાય છે અને વસ્તુઓ સમજે છે. જો તેને લાગે છે કે તે વધારે રમી રહ્યો છે તો તે 1-2 મેચનો બ્રેક લઈ શકે છે પરંતુ મને તેની આશા ઓછી છે”.

BCCI દ્વારા શુ અપાઈ છે સલાહ?

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડ પણ ચિંતા રાખે છે. ખેલાડીઓનુ વર્કલોડ મેનેજ થાય તે માટે સતત પ્રયાસ કરે છે. આઈપીએલ દરમિયાન દરેક ટીમોએ 14 મેચો રમવાની હોય છે. આમ ખેલાડીઓ બે મહિનામાં થાકી જાય એ હદે અભ્યાસ, રમત અને પ્રેશરને અનુભવતા હોય છે. આવી સ્થિતીમાં ખેલાડીઓને આરામ મળે એ જરુરી છે. આ માટે બોર્ડ દ્વારા ખેલાડીઓને લઈ સલાહ પણ આઈપીએલ ટીમોને આપવામાં આવી છે. જોકે આ એક અધીકૃત રીતે નથી કહેવાયુ હોતુ, પરંતુ સલાહના ધોરણે ખેલાડીઓ માટેની ચિંતાને લઈ હોય છે. ખેલાડીઓ આગામી મહત્વની ટૂર્નામેન્ટ અને મેચ પહેલા ઈજાનો ભોગ ના બને એ જરુરી છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">