AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: વિરાટ કોહલીની થઇ શકે છે નિરાશા દુર, રન બનાવવાના મામલામાં ફરી નંબર 1 બની શકે છે, રોહિત શર્મા પણ બાજી મારવા તૈયાર

વિરાટ કોહલી (Virat Kohli) છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી, પરંતુ તેનું બેટ ટૂંકા ફોર્મેટમાં સતત રન કરી રહ્યું છે અને હવે ફરી એકવાર તે પોતાનું ગુમાવેલું સ્થાન પાછું મેળવી શકશે.

IND vs WI: વિરાટ કોહલીની થઇ શકે છે નિરાશા દુર, રન બનાવવાના મામલામાં ફરી નંબર 1 બની શકે છે, રોહિત શર્મા પણ બાજી મારવા તૈયાર
રોહિત અને કોહલી માટે રનના મામલામાં નંબર વન બનવાનો મોકો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:38 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની આ દિવસોમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. થોડા સમય પહેલા સુધી તેની કેપ્ટનશિપની ચર્ચા હતી. તેણે રાજીનામું આપ્યું, પછી તેને દૂર કરવામાં આવ્યો. તે અંગે પણ વિવાદ થયો હતો. હવે એ સમય વીતી ગયો છે અને અત્યારે તો વાત તેની બેટિંગની છે. વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) સામેની ODI શ્રેણીમાં તે બિલકુલ સ્કોર કરી શક્યો ન હતો અને પછી તેના ખરાબ ફોર્મ વિશે વાતો થવા લાગી. આ બધી ચર્ચાઓ વચ્ચે કોહલી હવે વિન્ડીઝની ટીમ સામેની ટી-20 સીરીઝ દ્વારા પોતાનું બેટ દેખાડવા માટે બેતાબ રહેશે. આ સાથે તેની પાસે આ સિરીઝ દ્વારા ફરીથી નંબર વન બનવાની તક છે.

કોહલી ભલે છેલ્લા બે વર્ષથી કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો ન હોય, પરંતુ તેમ છતાં તેનો રેકોર્ડ શાનદાર છે. ખાસ કરીને ટૂંકા ફોર્મેટમાં તેના બેટથી સતત રન થયા છે. આ જ કારણ છે કે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે હજુ પણ ટોચના બેટ્સમેનોમાં સામેલ છે. ટી-20 વર્લ્ડ કપમાં છેલ્લી વખત આ ફોર્મેટ રમનાર કોહલી તે સમય સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, પરંતુ અત્યારે તે પાછળ રહી ગયો છે અને હવે તેની પાસે ફરી પ્રથમ સ્થાન હાંસલ કરવાની તક છે.

શું કોહલી ફરી નંબર 1 બનશે?

ટી20 વર્લ્ડ કપ બાદ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટી20 સીરિઝમાંથી આરામ લીધો હતો. તેના કારણે તે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ઓપનર માર્ટિન ગુપ્ટિલે તેની પાસેથી નંબર વનનો તાઝ છીનવી લીધો હતો, પરંતુ કોહલી તેનો આ તાઝ પરત મેળવી શકે છે. જો કોહલી પ્રથમ મેચમાં અથવા તો સમગ્ર શ્રેણીમાં 73 રન બનાવી લે છે, તો તે ગુપ્ટિલને પાછળ છોડીને ફરીથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. ગુપ્ટિલના હાલમાં 108 ઇનિંગ્સમાં 3299 રન છે, જ્યારે કોહલીના નામે 87 ઇનિંગ્સમાં 3227 રન છે.

રોહિત શર્મા પણ પાછળ નથી

આ મામલે માત્ર કોહલી જ નહીં પરંતુ કેપ્ટન રોહિત શર્મા પણ બાજી મારી શકે છે. રોહિત શર્મા પાસે કોહલી અને ગુપ્ટિલને પાછળ છોડવાની તક છે. રોહિતે હાલમાં 111 ઇનિંગ્સમાં 3197 રન બનાવ્યા છે અને તેને ગુપ્ટિલને પાછળ છોડવા માટે માત્ર 103 રનની જરૂર છે. T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 4 સદી ફટકારનાર રોહિત માત્ર એક ઇનિંગમાં આ આંકડો પાર કરી શકવા સક્ષમ છે અને નંબરનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

આ પણ વાંચોઃ IND vs WI 1st T20: ટીમ ઇન્ડિયાની નજર વિશ્વકપની તૈયારી પર, વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ આજે ટક્કર આપવા તૈયાર

આ પણ વાંચોઃ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">