IND vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મોકાની રાહ જોતા ખેલાડીઓને મેદાને ઉતારશે, રોહિત શર્માએ કહ્યુ ’27 નો ઉપયોગ કર્યો હજુ થોડા વધારે’

શનિવારે રમાયેલી સિરીઝની બીજી મેચને ભારતે શાનદાર રમત વડે જીતી લીધી છે. આમ ભારતે શ્રીલંકા સામે 2-0 થી અજેય સરસાઇ મેળવી લીધી છે.

IND vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મોકાની રાહ જોતા ખેલાડીઓને મેદાને ઉતારશે, રોહિત શર્માએ કહ્યુ '27 નો ઉપયોગ કર્યો હજુ થોડા વધારે'
Rohit Sharma એ બીજી મેચ બાદ રાહ જોતા ખેલાડીઓને ખુશ કરી દેતી વાત કહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:31 AM

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાઇ રહી છે. જેની પ્રથમ મેચ લખનૌમાં રમાઇ હતી જ્યારે બાકીની બે મેચ ધર્મશાળામાં આયોજીત કરાઇ છે. સિરીઝની અંતિમ મેચ રવિવારે રમાનારી છે. શનિવારે રમાયેલી સિરીઝની બીજી મેચને ભારતે (Indian Cricket Team) શાનદાર રમત વડે જીતી લીધી છે. આમ ભારત શ્રીલંકા સામે 2-0 થી અજેય થઇ ચુક્યુ છે. હવે સિરીઝની અંતિમ મેચમાં ભારતીય ટીમમાં બેંચ પર રહેલા ખેલાડીઓને સ્થાન મળશે. કારણ કે હવે ભારતે સિરીઝની ટ્રોફી પર પોતાનો કબ્જો પહેલી બે મેચમાં જ જમાવી લીધો છે. આ માટેના સંકેત પણ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ બીજી જીત બાદ તુરત જ આપી દીધા છે.

ભારતીય ટીમમાં ગત વર્ષે ટી20 વિશ્વકપ બાદની શ્રેણીઓમાં જાણે કે અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે. એક બાદ એક ત્રીજી સીરીઝ ભારતે જીતી લીધી છે. રોહિત શર્માની કેપ્ટનશીપના પણ આ કારણ થી વખાણ થવા લાગ્યા છે. ઘર આંગણે ટી20 અને વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ક્લીન સ્વિપ કર્યા બાદ હવે શ્રીલંકન ટીમને પણ ક્લીન સ્વિપ કરવાના ઇરાદા ટીમ ઇન્ડિયાના ચોક્કસ હશે. શ્રીલંકા સામેની સિરીઝની બીજી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી.

રોહિતે યુવાઓની આશા જગાવી

સિરીઝ પર કબ્જો જમાવતી જીત બાદ રોહિત શર્માએ અંતિમ મેચમાં બેંચ સ્ટ્રેન્થના ખેલાડીઓને તક આપવાના સંકેત આપ્યા હતા. તેણે કહ્યુ હતુ કે, અમે બેસીશુ અને જોઇશુ કે શુ કરી શકીએ છીએ. અમે અત્યાર સુધીમાં 27 ખેલાડીઓનો ઉપયોગ કરી લીધો છે. એટલા માટે થોડા વધારે (હસતા હસતા) જ્યારે તમે સિરીઝ જીતી જાઓ છો, ત્યારે મને લાગે છે કે આ એવા ખેલાડીઓ માટે મોકો છે કે જેમને તક નથી મળતી હોતી. અમારે રોટેટ કરતા રહેવુ પડશે. ટીમમાં કેટલાક એવા યુવાઓ છે જે બસ મોકો મેળવવા ઇચ્છે છે અને શ્રેષ્ઠ બતાવવા માંગે છે. અમે જાણીએ છીએ કે, તેમની અંદર એવી તાકાત છે કે જે પોતાને મોકો મળવા પર સાબિત કરવા ઇચ્છે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ભારતનો સતત ત્રીજો શ્રેણી વિજય

જ્યારથી હિટમેને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી સતત જીત મળી રહી છે. ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ જેટલી મેચોની કેપ્ટનશીપ કરી છે તેમાં એકપણ મેચ હાર્યું નથી. ધર્મશાળામાં જીત સાથે, રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ઘરેલુ જીત નોંધાવનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે તેની 17મી મેચમાં રેકોર્ડ 16મી જીત નોંધાવીને ઈયોન મોર્ગન અને કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે.

રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે સતત ત્રીજી શ્રેણી જીતી હતી. આ પહેલા નવેમ્બરમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 3-0 થી અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝને 3-0 થી હરાવ્યું હતું. ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સતત 11મી જીત છે. T20 વર્લ્ડ કપમાં ભારતે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે અને ત્યારથી તે એકપણ મેચ હારી નથી. એટલું જ નહીં, 2019 પછી ઘરઆંગણે ભારતની આ સતત સાતમી T20 શ્રેણી જીત છે.

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાએ દેખાડી ચતુરાઇ, સળંગ ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારનાર દનુષ્કાને ચોથા બોલે શિકાર કરી લીધો

આ પણ વાંચોઃ Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">