AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મોકાની રાહ જોતા ખેલાડીઓને મેદાને ઉતારશે, રોહિત શર્માએ કહ્યુ ’27 નો ઉપયોગ કર્યો હજુ થોડા વધારે’

શનિવારે રમાયેલી સિરીઝની બીજી મેચને ભારતે શાનદાર રમત વડે જીતી લીધી છે. આમ ભારતે શ્રીલંકા સામે 2-0 થી અજેય સરસાઇ મેળવી લીધી છે.

IND vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મોકાની રાહ જોતા ખેલાડીઓને મેદાને ઉતારશે, રોહિત શર્માએ કહ્યુ '27 નો ઉપયોગ કર્યો હજુ થોડા વધારે'
Rohit Sharma એ બીજી મેચ બાદ રાહ જોતા ખેલાડીઓને ખુશ કરી દેતી વાત કહી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:31 AM
Share

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાઇ રહી છે. જેની પ્રથમ મેચ લખનૌમાં રમાઇ હતી જ્યારે બાકીની બે મેચ ધર્મશાળામાં આયોજીત કરાઇ છે. સિરીઝની અંતિમ મેચ રવિવારે રમાનારી છે. શનિવારે રમાયેલી સિરીઝની બીજી મેચને ભારતે (Indian Cricket Team) શાનદાર રમત વડે જીતી લીધી છે. આમ ભારત શ્રીલંકા સામે 2-0 થી અજેય થઇ ચુક્યુ છે. હવે સિરીઝની અંતિમ મેચમાં ભારતીય ટીમમાં બેંચ પર રહેલા ખેલાડીઓને સ્થાન મળશે. કારણ કે હવે ભારતે સિરીઝની ટ્રોફી પર પોતાનો કબ્જો પહેલી બે મેચમાં જ જમાવી લીધો છે. આ માટેના સંકેત પણ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ બીજી જીત બાદ તુરત જ આપી દીધા છે.

ભારતીય ટીમમાં ગત વર્ષે ટી20 વિશ્વકપ બાદની શ્રેણીઓમાં જાણે કે અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે. એક બાદ એક ત્રીજી સીરીઝ ભારતે જીતી લીધી છે. રોહિત શર્માની કેપ્ટનશીપના પણ આ કારણ થી વખાણ થવા લાગ્યા છે. ઘર આંગણે ટી20 અને વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ક્લીન સ્વિપ કર્યા બાદ હવે શ્રીલંકન ટીમને પણ ક્લીન સ્વિપ કરવાના ઇરાદા ટીમ ઇન્ડિયાના ચોક્કસ હશે. શ્રીલંકા સામેની સિરીઝની બીજી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી.

રોહિતે યુવાઓની આશા જગાવી

સિરીઝ પર કબ્જો જમાવતી જીત બાદ રોહિત શર્માએ અંતિમ મેચમાં બેંચ સ્ટ્રેન્થના ખેલાડીઓને તક આપવાના સંકેત આપ્યા હતા. તેણે કહ્યુ હતુ કે, અમે બેસીશુ અને જોઇશુ કે શુ કરી શકીએ છીએ. અમે અત્યાર સુધીમાં 27 ખેલાડીઓનો ઉપયોગ કરી લીધો છે. એટલા માટે થોડા વધારે (હસતા હસતા) જ્યારે તમે સિરીઝ જીતી જાઓ છો, ત્યારે મને લાગે છે કે આ એવા ખેલાડીઓ માટે મોકો છે કે જેમને તક નથી મળતી હોતી. અમારે રોટેટ કરતા રહેવુ પડશે. ટીમમાં કેટલાક એવા યુવાઓ છે જે બસ મોકો મેળવવા ઇચ્છે છે અને શ્રેષ્ઠ બતાવવા માંગે છે. અમે જાણીએ છીએ કે, તેમની અંદર એવી તાકાત છે કે જે પોતાને મોકો મળવા પર સાબિત કરવા ઇચ્છે છે.

ભારતનો સતત ત્રીજો શ્રેણી વિજય

જ્યારથી હિટમેને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી સતત જીત મળી રહી છે. ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ જેટલી મેચોની કેપ્ટનશીપ કરી છે તેમાં એકપણ મેચ હાર્યું નથી. ધર્મશાળામાં જીત સાથે, રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ઘરેલુ જીત નોંધાવનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે તેની 17મી મેચમાં રેકોર્ડ 16મી જીત નોંધાવીને ઈયોન મોર્ગન અને કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે.

રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે સતત ત્રીજી શ્રેણી જીતી હતી. આ પહેલા નવેમ્બરમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 3-0 થી અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝને 3-0 થી હરાવ્યું હતું. ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સતત 11મી જીત છે. T20 વર્લ્ડ કપમાં ભારતે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે અને ત્યારથી તે એકપણ મેચ હારી નથી. એટલું જ નહીં, 2019 પછી ઘરઆંગણે ભારતની આ સતત સાતમી T20 શ્રેણી જીત છે.

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાએ દેખાડી ચતુરાઇ, સળંગ ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારનાર દનુષ્કાને ચોથા બોલે શિકાર કરી લીધો

આ પણ વાંચોઃ Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">