AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: 45 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ જોયા આટલા ખરાબ દિવસ, રોહિત-ગંભીરે કલ્પના પણ નહીં કરી હોય

ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 27 વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે વનડે શ્રેણી હારી છે. ખાસ વાત એ છે કે 45 વર્ષ બાદ ભારતીય ક્રિકેટમાં એવો ખરાબ રેકોર્ડ બન્યો છે જેના વિશે રોહિત અને ગંભીરે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

IND vs SL: 45 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ જોયા આટલા ખરાબ દિવસ, રોહિત-ગંભીરે કલ્પના પણ નહીં કરી હોય
Rohit Sharma & Gautam Gambhir
| Updated on: Aug 07, 2024 | 10:02 PM
Share

ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ હાર સાથે સમાપ્ત થઈ ગયો છે. બંને ટીમો વચ્ચે રમાયેલી ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની છેલ્લી મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ 110 રનથી હારી ગઈ હતી. આ સાથે ભારતીય ક્રિકેટનો 45 વર્ષનો લાંબો સિલસિલો તૂટી ગયો છે. આ સાથે જ રોહિત શર્મા અને ગૌતમ ગંભીરની જોડી પણ ભારતીય કેપ્ટન અને કોચની ત્રીજી જોડી બની ગઈ છે, જેને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત 2024માં એક પણ ODI જીતી શક્યું નહીં

વર્ષ 2024માં ભારતની આ પહેલી ODI સિરીઝ હતી. અગાઉ T20 વર્લ્ડ કપના કારણે ભારત માત્ર T20 મેચ રમ્યું હતું. ખાસ વાત એ છે કે હવે આ વર્ષે ભારતે એક પણ વનડે મેચ રમવાની નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ વર્ષે એક પણ વનડે મેચ જીતી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, 1979 પછી આ પહેલો પ્રસંગ છે જ્યારે ટીમ ઈન્ડિયા કોઈપણ વર્ષમાં એક પણ ODI મેચ જીતી શકી નથી. આ પહેલા 1979માં પણ ટીમ ઈન્ડિયાએ માત્ર ત્રણ જ ODI મેચ રમી હતી, ત્યારબાદ તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રીલંકા સામે વનડે સિરીઝ હારનાર ત્રીજો કેપ્ટન

રોહિત શર્મા હવે શ્રીલંકા સામેની વનડે શ્રેણી હારી ગયેલા ભારતીય કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. રોહિત પહેલા આ યાદીમાં માત્ર મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન તેંડુલકરનું નામ સામેલ હતું. મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા વર્ષ 1993માં શ્રીલંકા સામે પ્રથમ વનડે શ્રેણી હારી ગઈ હતી. આ પછી 1997માં સચિન તેંડુલકરની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને આવી હાર મળી હતી. હવે રોહિત શર્મા શ્રીલંકા સામેની વનડે સિરીઝ હારનાર ત્રીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.

દુનિથ વેલાલ્ગેએ ઈતિહાસ રચ્યો

આ શ્રેણીમાં શ્રીલંકા માટે દુનિથ વેલાલાગે સૌથી મોટો હીરો સાબિત થયો હતો. સિરીઝની છેલ્લી મેચમાં તેણે 5.1 ઓવર નાખી અને માત્ર 27 રન આપ્યા અને 5 વિકેટ લીધી. આ પહેલા વર્ષ 2023માં પણ તેણે ટીમ ઈન્ડિયા સામે વનડેમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તે વિશ્વનો પહેલો બોલર બની ગયો છે, જેણે ભારત વિરુદ્ધ વનડેમાં બે વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી હોય.

આ પણ વાંચો: IND vs SL: ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ શ્રીલંકા સામે ODI સિરીઝ હારી, ત્રીજી મેચમાં ભારતીય બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ રહી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">