IND vs SA: દિલ્હી અને કટકમાં ખરાબ રીતે હાર બાદ પણ ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરપૂર, શ્રેયસ અય્યરે કહ્યુ ‘હેટ્રીક’ લગાવીશુ

India vs South Africa: દિલ્હી બાદ દક્ષિણ આફ્રિકાએ કટક T20માં ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે. પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતીય ટીમ 0-2 થી પાછળ છે. વધુ હાર સાથે સિરીઝ પણ તેના હાથમાંથી નીકળી જશે.

IND vs SA: દિલ્હી અને કટકમાં ખરાબ રીતે હાર બાદ પણ ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરપૂર, શ્રેયસ અય્યરે કહ્યુ 'હેટ્રીક' લગાવીશુ
Team India 0-2 થી પાછળ છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 12:57 PM

દિલ્હીમાં 7 વિકેટે હાર થઈ, કટકમાં 4 વિકેટે હાર થઈ. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ટીમ ઈન્ડિયા (Team India) સાઉથ આફ્રિકા સામે તેમના જ ઘરે આટલો સંઘર્ષ કરતી જોવા મળશે. ભલે ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ જેવા મોટા ખેલાડીઓ વગર ટી-20 સિરીઝ રમી રહી હોય પરંતુ તેમ છતાં ભારત પાસે સારો અનુભવ ધરાવતા ટી-20 ખેલાડીઓ છે. આ એવા ખેલાડીઓ છે જે લાંબા સમયથી IPLમાં રમી રહ્યા છે, પરંતુ તેમ છતાં દક્ષિણ આફ્રિકાની ટીમે સતત બે મેચમાં ભારતને હરાવ્યું હતું.

કટકની મુશ્કેલ પિચ પર ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમને 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ હેનરિક ક્લાસેન (Reeza Hendricks) ની ઝડપી અડધી સદીના આધારે દક્ષિણ આફ્રિકાએ 10 બોલ પહેલા જ આ સ્કોર જીતી લીધો હતો. હવે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-2થી પાછળ છે પરંતુ તેમ છતાં તેના બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને લાગે છે કે ટીમ ઈન્ડિયા હજુ પણ શ્રેણી જીતી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શું ટીમ ઈન્ડિયા સતત ત્રણ મેચ જીતી લેશે?

શ્રેયસ અય્યરે કહ્યું, ‘સતત ત્રણ જીત મેળવવી એક મોટો પડકાર છે. અમારા પર ઘણું દબાણ છે. અમે આ પહેલા પણ આવું કર્યું છે અને મને એવું કોઈ કારણ દેખાતું નથી કે આ વખતે કોઈ અમને આમ કરવાથી રોકી શકશે. આપને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI વિશાખાપટ્ટનમમાં 14 જૂને રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી પડશે. તેમજ સિરીઝ જીતવા માટે તેણે રાજકોટ અને બેંગ્લોરમાં રમાનાર ટી-20 પણ જીતવી પડશે.

શ્રેયસ અય્યરે કહ્યું-લક્ષ્ય માત્ર હુમલો કરવાનો હતો

શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયાની રણનીતિ વિશે પણ જણાવ્યું. અય્યરે કહ્યું કે ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ વિરોધી ટીમ પર સતત હુમલો કરવાની છે. અય્યરે કહ્યું, અમારી યોજના વિકેટ પડી ત્યારે પણ હુમલો કરવાની હતી. જો અમે નિષ્ફળ જઈશું તો અમે ખેલાડીઓ તરીકે શીખીશું અને અમારી ટીમ વધુ મજબૂત બનશે.

શ્રેયસે કટકમાં સૌથી વધુ રન બનાવ્યા હતા

તમને જણાવી દઈએ કે શ્રેયસ અય્યર કટક T20માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 35 બોલમાં 40 રન બનાવ્યા હતા. ઐયરના બેટમાંથી 2 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 114.29 હતો. તેના સિવાય દિનેશ કાર્તિકે 21 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 21 બોલમાં 34 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ, પંત, હાર્દિક પંડ્યાનું બેટ ન ચાલ્યું. જવાબમાં દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસને 46 બોલમાં 81 રન ફટકારીને ટીમ ઈન્ડિયા પાસેથી મેચ છીનવી લીધી હતી. ક્લાસને 5 સિક્સર અને 7 ફોર ફટકારીને સાઉથ આફ્રિકાને ક્લાસિક જીત અપાવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">