IND vs SA: વિરાટ કોહલી-રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયામાં બદલાવ કરવો જરુરી નહીતર ચુકવવી પડશે મોંઘી કિંમત!

સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા (Team India) 5 બોલર અને 6 બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરી છે, જેના કારણે ફાયદો કરતાં નુકસાન થઈ રહ્યું છે, આવો જાણીએ કેવી રીતે?

IND vs SA: વિરાટ કોહલી-રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયામાં બદલાવ કરવો જરુરી નહીતર ચુકવવી પડશે મોંઘી કિંમત!
Virat Kohli-Rahul Dravid ભારતનો મીડલ ઓર્ડર ફોર્મમાં નથી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 10:22 AM

ક્રિકેટમાં કહેવાય છે કે જો તમારે ટેસ્ટ મેચ જીતવી હોય તો મેચમાં 20 વિકેટ લેવી પડે છે. ભારતીય ટીમ આ ફોર્મ્યુલા પર ચાલે છે અને વિરાટ કોહલી (Virat Kohli) ની કપ્તાનીમાં ટીમે જબરદસ્ત સફળતા પણ હાંસલ કરી છે. જોકે, હવે કદાચ આ વ્યૂહરચના બદલવાનો સમય આવી ગયો છે. વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર પણ, ટીમ ઈન્ડિયા (Team India) તેની પ્લેઈંગ ઈલેવનને તેના આધારે લોન્ચ કરી રહી છે અને તે ફાયદા કરતાં નુકસાન વધુ કરી રહી છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો પણ આ વાત કહેવા લાગ્યા છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ (India Vs South Africa) પર ટીમ ઈન્ડિયા 6 નિષ્ણાત બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરી રહી છે, જેનો કોઈ ફાયદો નથી મળી રહ્યો. દક્ષિણ આફ્રિકાની પીચો પર બોલરોને ઘણી મદદ મળી રહી છે, આવી સ્થિતિમાં ભારતીય ટીમને સ્પષ્ટપણે એક વધારાના બેટ્સમેનની ખોટ છે.

જો સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગને છોડી દેવામાં આવે તો ટીમ ઈન્ડિયા એકવાર પણ 300ના આંકને સ્પર્શી શકી નથી. આગળની 4 માંથી 3 ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાએ કોઇને કોઇ રીતે 200 પાર કરી. ટીમ ઈન્ડિયાની સમસ્યા એ છે કે તેનો મિડલ ઓર્ડર ફોર્મમાં નથી. વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણેનું બેટ શાંત છે. ઋષભ પંતનું ફોર્મ પણ ખરાબ છે, તેથી માત્ર 6 બેટ્સમેન સાથે ઉતરવું ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડી રહ્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટીમ ઈન્ડિયાએ રણનીતિ બદલવાની જરૂર છે

તો ટીમ ઈન્ડિયાએ હવે શું કરવું જોઈએ? કેપટાઉન ટેસ્ટમાં કોમેન્ટ્રી દરમિયાન પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે (Ajit Agarkar) આ જવાબ આપ્યો હતો. અજીત અગરકરના મતે ભારતીય ટીમે 7 બેટ્સમેન સાથે બોલિંગ ફ્રેન્ડલી વિકેટ પર ઉતરવું જોઈએ. અગરકરની દલીલ છે કે ભારત પાસે ગુણવત્તાયુક્ત બોલર્સ છે જે 20 વિકેટ લઈ શકે છે. ભારતનું કામ 4 બોલર જ કરી શકે છે. મુશ્કેલ બેટિંગ વિકેટ પર વધારાના બેટ્સમેનને રમાડીને, ટીમ થોડા વધુ રન બનાવી શકે છે.

જો કે, અગરકર એવી વિકેટો પર 5 બોલરોને રમવાની તરફેણમાં છે જ્યાં બેટિંગ કરવા માટે સરળ પરિસ્થિતિઓ છે. દક્ષિણ આફ્રિકામાં બેટિંગ કરવી મુશ્કેલ છે અને છતાં 6 બેટ્સમેનોને તક આપવી એ જોખમી ચાલ છે. ટેસ્ટ સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં પણ ભારતીય ટીમને આ વ્યૂહરચનાનું નુકસાન થયું છે.

ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 223 રનમાં સમેટાઈ ગઈ હતી. રહાણે, રાહુલ, મયંક અગ્રવાલ, ઋષભ પંત ફ્લોપ રહ્યા હતા. પૂજારાએ 43 રન બનાવ્યા હતા પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. વિરાટ કોહલીએ 79 રન બનાવ્યા નહીંતર ટીમ ઈન્ડિયાની શું હાલત થઈ હોત. આવનારા સમયમાં ટીમ ઈન્ડિયાએ પીચ અનુસાર બેટિંગ અને બોલિંગ નક્કી કરવાની જરૂર છે. આશા છે કે કેપ્ટન કોહલી અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આ પર ધ્યાન આપશે.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલીએ તોડ્યો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ, દક્ષિણ આફ્રિકામાં આ મામલે નંબર 1 બન્યો એશિયાઇ કેપ્ટન

આ પણ વાંચોઃ Sabarkantha: ગુજરાતના આ ગામડાં એ પાણી માટે મીટર અપનાવતા જ મળ્યા એક નહીં અનેક ‘લાભ’, હવે ભારત સરકાર પુરસ્કાર આપશે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">