AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS NZ: કેએલ રાહુલની ઇજાએ ટીમ ઇન્ડિયાની ખોલી દીધી પોલ, આ ખેલાડીને નહી લેવાનુ ભારે પડ્યુ, બેટ્સમેનોની સર્જાઇ ગઇ અછત

કેએલ રાહુલ (KL Rahul) ની ઈજાએ ટીમ ઈન્ડિયા (Team India) સામે નવી મુશ્કેલી ઊભી કરી છે અને બેટિંગના રૂપમાં તેની નબળી અને બિનઅનુભવી બાજુને ઉઘાડી કરી દીધી છે.

IND VS NZ: કેએલ રાહુલની ઇજાએ ટીમ ઇન્ડિયાની ખોલી દીધી પોલ, આ ખેલાડીને નહી લેવાનુ ભારે પડ્યુ, બેટ્સમેનોની સર્જાઇ ગઇ અછત
Cheteshwar Pujara-Ajinkya Rahane
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 10:06 PM
Share

ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની ટેસ્ટ સીરીઝ પહેલા કેએલ રાહુલ (KL Rahul) ની ઈજાના કારણે ટીમ ઈન્ડિયા (Team India) નો માથાનો દુખાવો વધી ગયો છે. ભારત પાસે હવે બેટિંગમાં વિકલ્પોની અછત છે અને કાનપુર ટેસ્ટમાં શ્રેયસ અય્યર (Shreyas Iyer) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) માંથી કોઈ એકને ડેબ્યૂ કરવું પડશે. તે જ સમયે, હનુમા વિહારી (Hanuma Vihari) જેવો બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ભારત A સાથે રમી રહ્યો છે.

જો હનુમા ભારતમાં હોત તો કાનપુર ટેસ્ટ (Kanpur Test) માં રમી રહ્યો હોત અને આ તેની બીજી હોમ ટેસ્ટ હોત. પરંતુ હનુમા વિહારીને ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે પોતાની સાથે રાખવાને બદલે પસંદગીકારોએ તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મોકલી દીધો. એવું લાગે છે કે તાજેતરના સમયમાં પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે કોઈ તાલમેલ નથી.

જ્યારે ટીમ ઈન્ડિયાની ન્યુઝીલેન્ડ સીરીઝ માટે પસંદગી કરવામાં આવી ત્યારે હનુમા વિહારીની પસંદગી કરવામાં આવી ન હતી. ઉપરાંત, તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારત Aમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. પરંતુ જેમ સવાલ વધવાને લઇ છેલ્લી ઘડીએ હનુમાનો ભારત Aમાં સમાવેશ કરવામાં આવ્યો. જોકે, આ અંગે પસંદગીકારો તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

કેએલ રાહુલની ઈજાને કારણે મિડલ ઓર્ડરમાં ભારતના શુભમન ગિલને રમાડવાની યોજના બરબાદ થઈ ગઈ છે. હવે કાનપુરમાં ભારતે ગિલ અને મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરવી પડશે. તે જ સમયે, શ્રેયસ અથવા સૂર્યા ડેબ્યૂ કરશે અને તેઓ મિડલ ઓર્ડરમાં રમશે.

રહાણે-પુજારા પર રહેશે દબાણ

પરંતુ સમસ્યા એ છે કે પૂજારા-રહાણે સિવાય ભારતના બાકીના બેટ્સમેનોને બેટિંગમાં માત્ર 10 ટેસ્ટનો જ અનુભવ છે. તેમાંથી મયંક લાંબા સમય પછી મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડરમાં તેને પડતો મૂકવામાં આવ્યો હતો. રહાણે-પુજારાની પોતાની સમસ્યાઓ છે. રહાણે છેલ્લી 15 ટેસ્ટમાં લગભગ 25ની એવરેજથી રન બનાવવામાં સફળ રહ્યો છે. હોમ ટેસ્ટમાં આ એવરેજ ઘટીને 18.66 પર આવે છે.

પૂજારાએ તેની છેલ્લી 22 ટેસ્ટમાં લગભગ 29ની એવરેજથી રન બનાવ્યા છે અને આ સમયગાળા દરમિયાન તે એકપણ સદી ફટકારી શક્યો નથી. ભારતમાં ટેસ્ટ મેચોમાં તેની એવરેજ 32.25 છે. આવી સ્થિતિમાં ભારતીય બેટિંગ પર ઘણું દબાણ રહેશે.

અત્યારે બધાની નજર ટીમ સિલેક્શન પર રહેશે. હવે જોવાનું એ રહે છે કે ભારત છ બેટ્સમેન સાથે જાય છે કે પછી સાત બેટ્સમેનને તક આપશે? જો પ્રથમ દિવસથી પિચને ટર્ન મળે છે, તો માત્ર ચાર બોલર પૂરતા હશે અને ભારત વધારાના બેટ્સમેનને મેદાનમાં ઉતારી શકે છે. જો પહેલા દિવસથી પિચમાં ટર્ન ન હોય તો પાંચ બોલર રાખી શકાય છે.

આ પણ વાંચોઃ  IND vs NZ: કાનપુરમાં ભારતીય ટીમને પિરસવામાં આવશે હલાલ મીટ! BCCI સામે ક્રિકેટ ચાહકોએ મચાવી દીધો હંગામો

આ પણ વાંચોઃ  IND VS NZ: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીમાં ટેકનિક નહી ‘જીગર’ થી રમતમાં થયો સુધારો, કહ્યુ ક્રિઝ પરના ડરથી થવાતુ હતુ આઉટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">