AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS NZ: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીમાં ટેકનિક નહી ‘જીગર’ થી રમતમાં થયો સુધારો, કહ્યુ ક્રિઝ પરના ડરથી થવાતુ હતુ આઉટ

ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ કહ્યું કે તે હવે ક્રિઝ પર નિર્ભયતાથી રમે છે, તેથી તેની બેટિંગ લય પાછી આવી ગઈ છે.

IND VS NZ: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીમાં ટેકનિક નહી 'જીગર' થી રમતમાં થયો સુધારો, કહ્યુ ક્રિઝ પરના ડરથી થવાતુ હતુ આઉટ
Cheteshwar Pujara-Ajinkya Rahane
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 9:45 PM
Share

ટેસ્ટ મેચોમાં ભારતીય બેટિંગની કરોડરજ્જુ ગણાતા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ખુશ છે કે નીડર માનસિકતા સાથે બેટિંગ કરવાથી તેની ગતિ પાછી આવી છે અને તે હવે પોતાના પર બિનજરૂરી દબાણ નહીં કરે. પૂજારાએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી ટેસ્ટ સદી ન ફટકારવી તેના માટે ચિંતાનો વિષય નથી કારણ કે તેના બેટમાંથી 80 અને 90 રન ટીમને જીતવામાં મદદ કરે છે.

ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન જ્યારે પૂજારાને પૂછવામાં આવ્યું કે શું ઈંગ્લેન્ડ સામેની છેલ્લી સિરીઝમાં તેની આક્રમક બેટિંગથી તેને કોઈ ફાયદો થયો છે ? તો તેણે કહ્યું, “હા, મને એવું લાગે છે.” જ્યારે પરફોર્મન્સની વાત આવે છે ત્યારે માનસિકતા થોડી અલગ હતી. પરંતુ જ્યારે ટેક્નિકની વાત આવે છે, ત્યારે મને નથી લાગતું કે ટેક્નિકમાં મોટો ફેરફાર થયો છે. હું થોડો નિર્ભય હતો, જેનાથી મદદ મળી.

પુજારા પોતાના પર દબાણ બનાવતો હતો!

ચેતેશ્વર પૂજારાએ સ્વીકાર્યું કે તે પોતાની જાત પર ખૂબ દબાણ બનાવતો હતો, પરંતુ લીડ્ઝ અને ધ ઓવલમાં તેના 91 અને 61 રન પછી બાબતો બદલાઈ ગઈ. “તમારે તમારા પર વધારે દબાણ કરવાની જરૂર નથી અને શું થઈ રહ્યું છે તેની ચિંતા કરવાને બદલે, ફક્ત પ્રયાસ કરો અને મેદાન પર જાઓ અને તમારી રમતનો આનંદ માણો,”

તેણે કહ્યું. ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન આ જ માનસિકતા હતી. અત્યાર સુધીની તૈયારી સારી રહી છે અને ભારતીય પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવ આગામી કેટલીક ટેસ્ટ મેચોમાં મદદ કરશે.

પૂજારાએ જાન્યુઆરી 2019 થી ટેસ્ટ સદી ફટકારી નથી, પરંતુ તે તેના માટે કોઈ સમસ્યા નથી. તેણે કહ્યું, ‘જ્યાં સુધી મારી સદીનો સવાલ છે, તે ત્યારે થશે જ્યારે તે થશે. મારું કામ ટીમ માટે સારી બેટિંગ કરવાનું છે અને એવું નથી કે હું રન નથી બનાવતો. હું 80 કે 90 રનની ઇનિંગ રમી રહ્યો છું. હું સારી બેટિંગ કરી રહ્યો છું અને ટીમ માટે યોગદાન આપી રહ્યો છું. મને મારી સદીની પરવા નથી. એક દાવની વાત છે.

દ્રવિડના મુખ્ય કોચ બનવાથી પુજારા ખૂબ જ ખુશ

પુજારા ભારતીય ટીમના નવા કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) હેઠળ રમવા માટે ઉત્સાહિત છે, કારણ કે તેની ટેકનિક ભારતના ભૂતપૂર્વ મહાન ખેલાડી જેવી છે. તેણે કહ્યું, ‘મેં તેમની સાથે A શ્રેણી દરમિયાન કામ કર્યું છે, તેથી અમે બધા તેમના માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છીએ. ટીમના ખેલાડી અને કોચ તરીકે તેની પાસે જેટલો અનુભવ છે તેની મદદ કરશે. તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે 25 નવેમ્બરથી ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે, આ મેચ કાનપુરમાં રમાશે.

આ પણ વાંચોઃ  IND vs NZ: કાનપુરમાં ભારતીય ટીમને પિરસવામાં આવશે હલાલ મીટ! BCCI સામે ક્રિકેટ ચાહકોએ મચાવી દીધો હંગામો

આ પણ વાંચોઃ  SMAT 2021: બોલરોએ પણ જબરદસ્ત પ્રદર્શન વડે જમાવ્યુ આકર્ષણ, હવે IPL ઓક્શનમાં આ ખેલાડીઓ પર થશે ધનવર્ષા

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">