IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે પ્રથમ દિવસે અપશુકનિયાળ નિવડ્યો ’80’ નો આંકડો, કોહલી-પુજારા પણ થઇ ગયા ત્રસ્ત

ભારતે મુંબઈ ટેસ્ટ (Mumbai Test) ના પહેલા દિવસે 4 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા, જેમાં મયંક અગ્રવાલે (Mayank Agarwal) કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. તે એકમાત્ર બેટ્સમેન હતો જે 80ના ખરાબ શુકનમાંથી બચી શક્યો હતો.

IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે પ્રથમ દિવસે અપશુકનિયાળ નિવડ્યો '80' નો આંકડો, કોહલી-પુજારા પણ થઇ ગયા ત્રસ્ત
Mayank Agarwal-Shreyas Iyer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 8:26 PM

મુંબઈ ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતીય ટીમ (Team India) માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી અને પછી દાવ મધ્યમાં ડગમગવા લાગ્યો અને પછી દિવસનો અંત સારી સ્થિતિમાં થયો. ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal) ની શાનદાર સદી અને શુભમન ગિલ (44) ની ઇનિંગ ટીમ ઇન્ડિયા માટે શ્રેષ્ઠ પાસું હતું. બીજી તરફ ચેતેશ્વર પુજારા અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર તેમના ખરાબ તબક્કાને પાછળ છોડવામાં નિષ્ફળ રહ્યા.

દરમિયાન, છેલ્લી મેચનો સદી ફટકારનાર શ્રેયસ અય્યર (Shreyas Iyer) પણ વહેલો આઉટ થઈ ગયો હતો. ખાસ વાત એ છે કે ભારતના તમામ બેટ્સમેનો 80ના આંકડાના ખરાબ શકનમાં ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં ફસાવનાર ન્યુઝીલેન્ડના સ્પિનર ​​એજાઝ પટેલ (Ajaz Patel) નો શિકાર બન્યા હતા.

વાનખેડે સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને મયંક અગ્રવાલની (અણનમ 120) ચોથી ટેસ્ટ સદીની મદદથી 4 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા. ભારત માટે મયંક અને શુભમનની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી અને અડધી સદીની ભાગીદારી કરી. ત્યારબાદ મધ્યમાં એજાઝ પટેલે સતત 2 ઓવરમાં 3 વિકેટ લઈને ભારતની શરૂઆત બગાડી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ત્યારપછી મયંકે પણ શ્રેયસ અય્યર સાથે અડધી સદીની ભાગીદારી કરી અને ટીમની કમાન સંભાળી, પરંતુ અય્યર પણ એજાઝનો શિકાર બન્યો. આખરે રિદ્ધિમાન સાહા (25 અણનમ) એ મયંકને ટેકો આપ્યો અને રમતના અંત સુધી વધુ નુકસાન થવા દીધું નહીં.

ટીમ ઈન્ડિયા ’80’ ના અપશુકનમાં ફસાઈ ગઈ

આ હતી ટીમ ઈન્ડિયાની દિવસભરની વિગતો. હવે વાત કરીએ 80ના તે આંકડાની જે પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના રસ્તામાં અવરોધ બની ગયો. વાસ્તવમાં 80નો આ આંકડો ભારતની વિકેટ પડવા સાથે સંબંધિત છે અને તેની શરૂઆત શુભમન ગિલથી થઈ હતી. શુભમન 44 રન બનાવીને એજાઝ પટેલના હાથે સ્લિપમાં આઉટ થયો હતો. તે સમયે ભારતનો સ્કોર 80 રન હતો. અહીં જ એજાઝ પટેલે એવો ફંદો ફેંક્યો, જેમાં પૂજારા અને કોહલી પણ ફસાઈ ગયા હતા. બંને એક જ ઓવરમાં એજાઝનો શિકાર બન્યા હતા. કમનસીબે તે સમયે પણ ભારતનો સ્કોર માત્ર 80 રન હતો.

તેનો પાયમાલ અહીં સમાપ્ત થયો ન હતો, પરંતુ શ્રેયસ અય્યર આગળનો શિકાર બન્યો હતો. ડેબ્યૂમાં સદી ફટકારનાર અય્યરે મયંક સાથે સારી ભાગીદારી નોંધાવી હતી. પરંતુ જ્યારે ટીમનો સ્કોર 160 રન હતો, ત્યારે અય્યર પણ એજાઝના બોલ પર આઉટ થયો હતો. જ્યારે શ્રેયસ આઉટ થયો ત્યારે તેની અને મયંક વચ્ચે માત્ર 80 રનની ભાગીદારી હતી.

માત્ર મયંક અગ્રવાલ જ પાર કરી ગયો

આ રીતે એક આંકડો ભારતના 4 બેટ્સમેનોને ગળી ગયો. જો કે, મયંક અગ્રવાલે તેની સંપૂર્ણ ઇનિંગ્સના બળ પર આ આંકડાના ખરાબ શુકનને પાર કરવામાં સફળ રહ્યો અને તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારીને ભારતને વધુ સારી સ્થિતિમાં પહોંચાડ્યું. મયંક અને સાહા વચ્ચે 61 રનની ભાગીદારી છે અને ભારતીય ટીમને આશા હશે કે તેઓ બીજા દિવસે 80 રનનો અવરોધ પાર કરી શકશે.

આ પણ વાંચોઃ IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સે રિટેન ના કર્યો તો ભાવુક થયો હાર્દિક પંડ્યા, ઇમોશનલ વિડીયો શેર કરીને ‘MI પલટન’ ને કર્યુ બાય-બાય

આ પણ વાંચોઃ Cyclone Jawad: રાત્રે 12 વાગ્યા પછી ‘જવાદ’ બતાવશે પોતાનો રંગ, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ભૂસ્ખલનની પણ શક્યતા

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">