IND vs ENG: ઈંગ્લેન્ડે આપેલા 209 રનના પડકાર સામે ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 52/1, રોહિત અને પુજારા રમતમાં

ભારતીય ટીમે (Team India) ચોથા દિવસે પણ રમતને પોતાના તરફી રાખી હતી. ભારતીય ટીમે દિવસના અંત પહેલા ઈંગ્લેન્ડની ટીમને સમેટી લેવામાં સફળતા મેળવી હતી. બાદમાં અંતિમ સેશનની રમત રમવા મળતા ભારત મજબૂત સ્થિતીમાં રહ્યુ હતુ.

IND vs ENG: ઈંગ્લેન્ડે આપેલા 209 રનના પડકાર સામે ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 52/1, રોહિત અને પુજારા રમતમાં
Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 12:23 AM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચોથા દિવસની રમત સમાપ્ત થવા દરમ્યાન ભારત મજબૂત સ્થિતીમાં લાગી રહ્યું છે. ત્રીજા દિવસ બાદ ચોથા દિવસની રમત પણ ભારતના પક્ષમાં રહી હતી. જોકે જો રુટ (Joe Root)ની સદી ભારતીય ટીમ (Team India)ને પરેશાન કરી ચુકી હતી. પરંતુ ભારતીય ટીમ માટે લક્ષ્ય સિમીત રહ્યું હતુ. ભારતીય ટીમે મેચની અંતિમ ઈનીંગની શરુઆત કરતા ઓપનર કેએલ રાહુલ (KL Rahul)ના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. દિવસને અંતે એક વિકેટે 52 રનનો સ્કોર ભારતે કર્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) રમતમાં હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પહેલા આજે ચોથા દિવસની રમતની શરુઆત ઈંગ્લેન્ડે વગર કોઈ વિકેટે 25 રનના સ્કોર સાથે કરી હતી. જોકે એક બાદ એક વિકેટ પડવાનો ક્રમ જારી રહ્યો હતો તો બીજી તરફ કેપ્ટન જો રુટ પોતાનો છેડો સાચવી રાખી શતક પુર્ણ કર્યુ હતુ. સાથે જ ભારત સામે સન્માનજનક પડકાર ખડકવામાં ઈંગ્લેન્ડને સફળતા મળી હતી.

ભારતીય બોલર જસપ્રીત બુમરાહની બોલીંગ સામે ઈંગ્લેન્ડની ટીમ જાણે ધ્વસ્ત થવા લાગી હતી. એક માત્ર કેપ્ટને ક્રિઝ પર રહી ભારતીય બોલરોનો સામનો કર્યો હતો. જોકે ભારતીય બોલરો ઈંગ્લીશ ટીમને યોજના મુજબ ચોથા દિવસની રમત સમાપ્ત થવા પહેલા સમેટી લેવામાં સફળ રહ્યા હતા. બુમરાહે ઈનીંગમાં 5 વિકેટ ઝડપી હતી. તેણે શુક્રવારે પણ અંતિમ વિકેટ માટે જબરદસ્ત રમત રમીને ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલી વધારી દીધી હતી.

કેએલ રાહુલ ઝડપથી પેવેલિયન પરત ફર્યો

ભારતીય ટીમને અંતિમ સેશનનમાં બીજી બેટીંગ ઈનીંગ રમવાનો મોકો મળ્યો હતો. જેનો લાભ ઉઠાવતા ચોથા દિવસની રમતના અંત સુધીમાં ભારત 50 રનના સ્કોરને પાર કરવામાં સફળ રહ્યું હતુ. ભારતીય ટીમે દિવસના અંત જાહેર થવા સમયે 52 રન એક વિકેટ ગુમાવીને કરી લીધા હતા. કેએલ રાહુલ આજે ઝડપથી વિકેટ ગુમાવી બેસતા નિરાશ રહ્યો હતો. 34 રનના સ્કોર પર રાહુલ 26 રનની ઈનીંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે પુજારાએ રમતમાં આવતા જ બાઉન્ટ્રીઓ લગાવી હતી.

આ પણ વાંચોઃ નિરજ ચોપરાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યુ ગોલ્ડ મેડલ, કહ્યું ગોલ્ડ મેડલ જીતવાની ન હતી અપેક્ષા

આ પણ વાંચોઃ Bajrang Punia : કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો, કઝાકિસ્તાનના દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">