AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ઈંગ્લેન્ડની નફફટાઈ! ટીમ ઈન્ડીયાને માન્ચેસ્ટર ટેસ્ટને રમ્યા વગર જ હારી જવા કહ્યું-રિપોર્ટ

ભારતીય ટીમ (Team India) અત્યાર ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે અને જીતના ઉંબરે છે. ઈંગ્લેન્ડ પર 14 વર્ષમાં પ્રથમ વખત ઘરમાં ભારતથી ટેસ્ટ સિરીઝ હારવાનો ખતરો મંડરાવા લાગ્યો છે.

IND vs ENG: ઈંગ્લેન્ડની નફફટાઈ! ટીમ ઈન્ડીયાને માન્ચેસ્ટર ટેસ્ટને રમ્યા વગર જ હારી જવા કહ્યું-રિપોર્ટ
Joe Root-Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 10:52 PM
Share

માન્ચેસ્ટર ટેસ્ટ (Manchester Test)ને લઈને ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ગડબડ થઈ હોય તેવું લાગે છે. અહેવાલ છે કે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડીયા (Team India)ને કહ્યું કે જો તે પાંચમી ટેસ્ટ રદ કરવા ઈચ્છે છે તો છેલ્લી ટેસ્ટમાં હાર સ્વીકારો. પરંતુ BCCIએ આ વાતને નકારી છે. આ બાબત એટલા માટે ઉભી થઈ કારણ કે ભારતીય છાવણી હજુ પણ કોરોનાના કેસો સામે લડી રહી છે.

તેના સપોર્ટ સ્ટાફના ચાર લોકો કોરોનાની પકડમાં છે. આવી સ્થિતિમાં આ કટોકટી આગળ વધી રહી છે, કદાચ પાંચમી ટેસ્ટ ન પણ થઈ શકે. આ કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારતને છેલ્લી ટેસ્ટમાં તેને વોક ઓવર આપવા કહ્યું હતું.

ટીમ ઈન્ડીયા હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. તે ઈતિહાસમાં ચોથી વખત અને 14 વર્ષમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની નજીક છે. ભારતે લોર્ડ્સ અને ધ ઓવલ ખાતે આ શ્રેણી જીતી હતી. જો નોટિંગહામમાં પ્રથમ ટેસ્ટના છેલ્લા દિવસે વરસાદ ન આવ્યો તો ભારત પણ ત્યાં જીતવા માટે દાવેદાર હતું. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ લક્ષ્યનો પીછો કરતા બીજી ઈનિંગમાં એક વિકેટ પર 52 રન બનાવ્યા હતા અને 157 વધુ રન બનાવવાના હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI આ મામલે ટીમ મેનેજમેન્ટ અને વરિષ્ઠ ક્રિકેટરો સાથે સતત સંપર્કમાં છે. એવું કહેવાય છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતીય ટીમ ટેસ્ટ મેચ નહીં છોડે. પછી ભલે તેને કોરોનાના ખતરા વચ્ચે રમવું પડે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોરોનાને કારણે ટેસ્ટ કરવામાં નહીં આવે તો ભારત 2-1થી શ્રેણી જીતી જશે, અથવા જ્યારે પણ બંને બોર્ડ નિર્ણય કરશે ત્યારે તેઓ રમવા માટે તૈયાર છે.

BCCIએ ECB પાસે ફિઝીયોની માંગ કરી

પાંચમી ટેસ્ટના એક દિવસ પહેલા એટલે કે 9 સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમના જૂનિયર ફિઝીયો યોગેશ પરમાર (Yogesh Parmar) કોરોના પોઝિટીવ જણાયા હતા. આવી સ્થિતિમાં ટીમે તેનું પ્રેક્ટિસ સત્ર રદ કરવું પડ્યું. ખેલાડીઓને તેમના રૂમમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરમાર પોઝિટિવ આવતા હવે ટીમ પાસે એક પણ ફિઝીયો નથી. શાસ્ત્રીને ઓવલ ટેસ્ટ મેચ દરમિયાન ચેપ લાગ્યા બાદ ચીફ ફિઝિયો નીતિન પટેલ આઈસોલેશનમાં છે. જાણવા મળ્યું છે કે BCCIએ ECBને ફિઝિયોની સેવાઓ પૂરી પાડવા કહ્યું છે.

આ પણ વાંચોઃ T20 World Cup: ધોનીની મેન્ટોરની ભૂમિકાથી ટીમ ઈન્ડીયાને આ પાંચ મહત્વના ફાયદા મળશે

આ પણ વાંચોઃ IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ટેસ્ટ પર સંકટ, મેચ રમાશે કે કેમ? જાણો શું કહ્યું સૌરવ ગાંગુલીએ

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">