IND vs ENG: ફર્સ્ટ કલાસ મેચ રમાડવાને લઇને ટીમ ઇન્ડીયા માટે નિરાશાનાં સમાચાર, ECBનો ઇન્કાર

ભારતીય ટીમ ને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પહેલા પ્રેકટીશ માટે ફર્સ્ટ ક્લાસ મેચ રમવા મળી શકી નહોતી. ત્યાર બાદ હવે ઇંગ્લેંડ સામેની શ્રેણી પહેલા પણ ફર્સ્ટ ક્લાસ મેચ થી દુર રહેવુ પડશે. કેપ્ટન વિરાટ કોહલી આ માટે પહેલા જ નારાજગી દર્શાવી ચુક્યો છે.

IND vs ENG: ફર્સ્ટ કલાસ મેચ રમાડવાને લઇને ટીમ ઇન્ડીયા માટે નિરાશાનાં સમાચાર, ECBનો ઇન્કાર
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 11:59 AM

ટીમ ઇન્ડીયા (Team India) ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા ડરહમમાં રિવરસાઇડ મેદાન પર બે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમશે. વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમના ખેલાડીઓને કાઉન્ટી ટીમ વિરુદ્ધ, કોઇ ફર્સ્ટ ક્લાસ પ્રેકટીસ મેચ રમવા મળવાની સંભાવનાઓ નથી.

જેને લઇને ટીમ ઇન્ડીયા હવે આંતરીક રુપે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમશે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અગાઉ ફર્સ્ટ ક્લાસ મેચ નહી રમવા મળવાને લઇને નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.

મીડિયા રિપોર્ટનુસાર, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ના પ્રવક્તા એ આ અંગે કહ્યુ હતુ. જે મુજબ કોવિડ-19 પ્રોટોકોલ અનુસાર આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ઓગષ્ટ મા રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા તેમના ખેલાડીઓની બે ટીમો રચીને ચાર દિવસની બે મેચ રમાશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ECB ને પ્રેકટીશ માટે વાતચીત કરી હતી. જોકે કોરોના ની પરિસ્થીતીને ધ્યાને રાખીને તે યોજના મુશ્કેલ લાગી રહી છે. કાઉન્ટી ટીમો સામે કોઇ મેચનુ આયોજન કરવાને લઇને સવાલ કરવામાં આવતા તે અંગે પ્રવક્તાએ સ્પષ્ટ ના ભણી હતી. ઇંગ્લેન્ડમાં જુદી જુદી કાઉન્ટી ટીમો ના ખેલાડીઓ નિયમીત રુપે કોરોના પરીક્ષણ કરાવી રહ્યા છે. પરંતુ તેમને કોઇ બાયોબબલમાં રાખવામાં આવ્યા નથી.

ત્રણ સપ્તાહની રજાઓ ગાળી રહેલ ભારતીય ટેસ્ટ ટીમ, 14 જૂલાઇએ લંડનમાં એકઠી થશે. જ્યાંથી તે ડરહમ રવાના થશે અને ફરી થી બાયોબબલ હેઠળ રહેશે.

મીડિયા રિપોર્ટસનુસાર બીસીસીઆઇ ના એક અધિકારીએ નામ નહી જાહેર કરવાની શરતે જણાવ્યુ હતુ કે ઇંગ્લેન્ડમાં ઘરેલુ ક્રિકેટમાં ખેલાડીઓ બાયોબબલમાં નથી, તે નિશ્વિત રુપે એક મુદ્દો છે. જેના માટે ડરહમમાં મેચ ટીમના ખેલાડીઓને બે ટીમોમાં વિભાજીત કરીને રમાશે. આગામી 4 ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાનારી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">