AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND sv SA: બુમરાહને વાઇસ કેપ્ટન બનાવી ઋષભ પંત અને અય્યરને અપાઇ ચેતવણી! બંનેને નજર અંદાજ કર્યાની ચર્ચા

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઇજાને લઇને દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી બહાર છે, જેને લઇને વન ડે સિરીઝ માટે કેપ્ટનશિપ કેએલ રાહુલ (KL Rahul) ને સોંપવામાં આવી છે.

IND sv SA: બુમરાહને વાઇસ કેપ્ટન બનાવી ઋષભ પંત અને અય્યરને અપાઇ ચેતવણી! બંનેને નજર અંદાજ કર્યાની ચર્ચા
Jasprit Bumrah-Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 10:03 PM
Share

શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પસંદગીકાર ચેતન શર્મા (Chetan Sharma) એ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી વન ડે શ્રેણી માટેની ટીમ જાહેર કરી હતી. રોહિત શર્મા(Rohit Sharma) ફીટનેસને લઇને બહાર છે દરમિયાન હવે ટીમ ઇન્ડિયા (Team India) ની વન ડે ટીમની કેપ્ટનશિપ કેએલ રાહુલ (KL Rahul) ને સોંપવામાં આવી છે. જ્યારે વન ડે ટીમના વાઇસ કેપ્ટન પદે જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ને પસંદ કરવામાં આવ્યો છે. બુમરાહને વાઇસ કેપ્ટનશિપને લઇને હવે નવી ચર્ચા ક્રિકેટની ગલીઓમાં ચર્ચાવા લાગી છે.

પસંદગીકારોએ આઇપીએલમાં કેપ્ટનશિપનો વ્હાઇટ બોલ ફોર્મેટનો અનુભવ હોવા છતાં ઋષભ પંત (Rishabh Pant) અને શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને નજર અંદાજ કરી દીધા છે. તેમના સ્થાને બુમરાહને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે આ વ્યવસ્થા હંગામી છે, તેમ છતાં બીસીસીઆઇની પસંદગીને લઇને હવે ચર્ચાઓ થવા લાગી છે. એમ મનાઇ રહ્યુ છે કે, આ સાથે જ પંત અને અય્યરને તેમના પ્રદર્શન નિરંતર રાખવા માટેનો આ સંદેશ છે.

નિરંતર પ્રદર્શનનુ ઇનામ

બુમરાહની વાત કરવામાં આવે તો, તે સતત નિરંતર પ્રદર્શન કરી રહ્યો છે. તે ડેબ્યૂ કરવા બાદ થી સતત ટીમ માટે અપેક્ષીત યોગદાન આપી રહ્યો છે. બીસીસીઆઇ ના સુત્રોએ નામ નહી દર્શાવવાની શરતે સમાચાર એજન્સીને કહ્યુ હતુ કે, આ એક સિરીઝ પુરતી વ્યવસ્થા છે. કારણ કે રોહિતનુ વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા સામે સિરીઝમાં પરત ફરવુ નિશ્વિત છે. ત્યારે રાહુલ વાઇસ કેપ્ટનશિપની ભૂમિકા નિભાવશે.

આગળ કહ્યુ હતુ કે, પસંદગીકારો જસ્સીને તેના નિરંતર પ્રદર્શન અને તેના ક્રિકેટ મગજને ઇનામ આપવા ઇચ્છતા હતા. આ માટે તેઓએ પંત અને અય્યર ની ઉપર પ્રાથમિકતા આપવામાં આવી હતી. પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ એમએસકે પ્રસાદે કહ્યુ હતુ કે, તેને માત્ર એક સિરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવ્યો છે, માટે તે સરળ નિર્ણય હતો.

પ્રસાદે કહ્યુ હતુ કે, જસપ્રિત ખૂબ સમજદાર છે અને તે ખૂબ જ સુઝબુઝ સાથે કામ લે છે. એટલા માટે તેનુ કેમ સન્માન ના આપવામાં આવે. મને આ નિર્ણય પસંદ છે. જો એક ઝડપી બોલર તમામ ફોર્મેટમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે તો તેને કેમ કેપ્ટનશિપ ના આપવામાં આવે.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી માટે 2022ની શરુઆતે વિક્રમ રચવાનો મોકો, ટીમ ઇન્ડિયાની જીત સાથે 3 મોટા રેકોર્ડની તક

આ પણ વાંચોઃ  Virat Kohli: ચેતન શર્માના નિવેદને આગમાં ઘી હોમ્યુ, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેને કહ્યુ હવે વિરાટ કોહલી વળતો જવાબ આપશે!

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">