Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ચેતન શર્માના નિવેદને આગમાં ઘી હોમ્યુ, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેને કહ્યુ હવે વિરાટ કોહલી વળતો જવાબ આપશે!

સિનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષ ચેતન શર્મા (Chetan Sharma) એ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી (Virat Kohli) ના દાવાને રદિયો આપ્યો હતો કે તેને T20 કેપ્ટનશિપ છોડતા અટકાવવામાં આવ્યો નથી.

Virat Kohli: ચેતન શર્માના નિવેદને આગમાં ઘી હોમ્યુ, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેને કહ્યુ હવે વિરાટ કોહલી વળતો જવાબ આપશે!
Chetan Sharma-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 8:06 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા (Chetan Sharma) એ શુક્રવારે દક્ષિણ આફ્રિકા (South Africa) માં યોજાનારી ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. સાથે જ વિરાટ કોહલી (Virat Kohli) ના દાવાને ફગાવી દીધો હતો જેમાં કોહલીએ કહ્યું હતું કે T20 ના સુકાની પદ છોડવાથી તેને કોઈએ રોક્યો નથી.

ICC T20 વર્લ્ડ કપ પહેલા કોહલીએ કહ્યું હતું કે તે વર્લ્ડ કપ પછી રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. આ પછી બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ કહ્યું હતું કે બોર્ડે તેમને સુકાનીપદ નહી છોડવા અને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. જો કે કોહલીએ આ વાતને નકારી કાઢી હતી અને ત્યારબાદ ગઈકાલે ચેતન શર્માએ ફરી નિવેદન આપ્યું હતું કે કોહલીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી કોહલી જૂઠો સાબિત થતો જણાય છે.

ભારતના ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરા (Akash Chopra) નું માનવું છે કે ચેતન શર્માના તાજેતરના નિવેદને કોહલી અને બોર્ડ વચ્ચેના ઝઘડાને વેગ આપ્યો છે. આકાશે એમ પણ કહ્યું કે જો કોહલી આ અંગે પોતાની વાત રાખે તો તેને આશ્ચર્ય થશે નહીં.

AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી

આગમાં ઘી હોમ્યુ

આકાશે તેના સોશિયલ મીડિયા વિડીયોમાં કહ્યું, આગમાં થોડું વધુ ઘી ઉમેરવામાં આવ્યું છે જે પહેલાથી જ હતુ. કારણ કે પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માને ટાંકીને BCCI તરફથી સ્પષ્ટતા આવી છે. 2022 માં કોઈ અફવાઓ અને સુત્રો હશે નહીં. ચેતન શર્માના નિવેદન બાદ જાણે ગોળી ફાયર થઇ છે અને શક્ય છે કે વિરાટ કોહલી આનો જવાબ આપે કારણ કે અત્યાર સુધી આવું જ થઈ રહ્યું છે. એક વ્યક્તિ કંઈક કહે છે અને બીજો તેનો ઇનકાર કરે છે. આ યોગ્ય નથી. પરંતુ જો આવું થાય તો આશ્ચર્ય પામવાની જરૂર નથી.

ચેતન શર્માએ આમ કહ્યુ હતું

ચેતન શર્માએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જ્યારે મીટિંગ શરૂ થઈ, તે બધા માટે આશ્ચર્યજનક હતું. ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા આવી વાત સાંભળીને શું રિએક્શન આવશે. મીટિંગમાં હાજર દરેકે તેને ટી20 કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું. તેની વાત વર્લ્ડ કપ પછી થઈ શકે છે. તે સમયે તમામ પસંદગીકારોને લાગ્યું કે આનાથી વર્લ્ડ કપના પ્રદર્શન પર અસર પડી શકે છે. વિરાટને ભારતીય ક્રિકેટ માટે કેપ્ટન રહેવા માટે કહેવામાં આવ્યું હતું. બોર્ડ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સહિત મીટિંગમાં હાજર દરેકે આ વાત કહી.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી માટે 2022ની શરુઆતે વિક્રમ રચવાનો મોકો, ટીમ ઇન્ડિયાની જીત સાથે 3 મોટા રેકોર્ડની તક

આ પણ વાંચોઃ Virat Kohli: તો વિરાટ કોહલી જુઠ્ઠુ બોલ્યો? ચીફ સિલેક્ટર ચેતન શર્માએ કહ્યુ, મેં પોતે ફોન કર્યો હતો, પસંદગીકારે કહી આ મોટી વાત

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">