AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 લીગ પર લગામ લગાવવા ICC નવા નિયમો કરશે જાહેર, IPLની ફોર્મુલા અપનાવશે

થોડા અઠવાડિયા પહેલા ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયે અમેરિકાની નવી T20 ટૂર્નામેન્ટ મેજર લીગ ક્રિકેટમાં રમવા માટે તેના બોર્ડ સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો, જેણે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી. જે બાદ હવે ICC ટેસ્ટ ક્રિકેટને બચાવવા નવા નિયમો કરશે જાહેર.

T20 લીગ પર લગામ લગાવવા ICC નવા નિયમો કરશે જાહેર, IPLની ફોર્મુલા અપનાવશે
ICC will announce new rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 8:23 PM
Share

એક તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)માં ભારતીય ક્રિકેટ ટીમની હાર માટે IPLને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઈન્ડિયન (ICC) T20 લીગની ફોર્મ્યુલા અપનાવવા જઈ રહી છે. વિશ્વભરમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટના ઝડપથી વધી રહેલા નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર તેની અસરને બચાવવા માટે ICC આવતા મહિને કેટલાક મોટા નિર્ણયો લેવા જઈ રહી છે.

બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફે એક વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે T20 ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર લગામ લગાવવા માટે ICC આવતા મહિને બે નવા નિયમો લાવવા જઈ રહી છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને આ ફ્રેન્ચાઈઝીની જાળમાં ફસાતા અટકાવી શકશે. જેથી જેસન રોય જેવી સ્થિતિ ન સર્જાય, જેણે મેજર લીગ ક્રિકેટ માટે ઈંગ્લેન્ડનો કરાર છોડી દીધો હતો.

વિદેશી ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો

રિપોર્ટ અનુસાર, ICC ફ્રેન્ચાઇઝી લીગ માટે આવા બે નિયમો લઈને આવી રહ્યું છે, જેની સૌથી વધુ અસર ILT20 અને અમેરિકાની મેજર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર પડશે. આમાં પહેલો નિયમ પ્લેઇંગ ઇલેવનમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા છે. ICC તેને માત્ર 4 વિદેશી ખેલાડીઓ સુધી મર્યાદિત કરવા જઈ રહ્યું છે. હાલમાં ILT20 9 વિદેશી ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન છે, જ્યારે અમેરિકન લીગમાં 6 વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે.

ક્રિકેટ બોર્ડ ફી લેશે

બીજો નિયમ નેશનલ બોર્ડ સાથે ખેલાડીઓના વળતર સાથે સંબંધિત છે. આ નિયમ હેઠળ, જો એક લીગ દ્વારા કોઈ વિદેશી ખેલાડીને કરારબદ્ધ કરવામાં આવે છે તો તેમણે ખેલાડીની સાથે તે ખેલાડીના નેશનલ ક્રિકેટ બોર્ડને પણ કેટલીક રકમ ચૂકવવાની હોય છે. એટલે કે જે રકમ માટે વિદેશી ખેલાડીને સાઈન કરવામાં આવશે તેના 10% રકમ તે ખેલાડીના બોર્ડને પણ ચૂકવવાની રહેશે.

આ પણ વાંચોઃ Womens Emerging Asia Cup 2023: ટીમ ઈન્ડિયાની માત્ર 32 બોલમાં ધમાકેદાર જીત, શ્રેયંકા પાટીલની 5 વિકેટ

ICC will announce new rules to save international cricket test cricket and to rein in T20 league adopt IPL formula

Indian Premier League

બંને નિયમો IPLમાં પહેલેથી જ છે

ખાસ વાત એ છે કે આ બંને નિયમો શરૂઆતથી જ IPLનો ભાગ છે. IPLમાં પ્લેઈંગ ઈલેવનમાં 4 થી વધુ વિદેશી ખેલાડીઓ રાખવાની ક્યારેય મંજૂરી નથી. IPL 2023ની સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હોવા છતાં પણ ચારથી વધુ વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ 11માં સ્થાન આપવામાં નથી આવ્યું. તો બીજી તરફ BCCI પહેલાથી જ વિદેશી ખેલાડીઓની હરાજી કિંમતના 10% તેમના બોર્ડને આપી રહ્યું છે.

ફ્રેન્ચાઇઝીઓની નજર ખેલાડીઓ પર

આ બંને નિયમો પર આગામી મહિને યોજાનારી ICCની બેઠકમાં મહોર મારવામાં આવશે. આ નિયમો લાવવાનું મુખ્ય કારણ ઘણી IPL ફ્રેન્ચાઇઝીના પ્રયાસો છે, જેના હેઠળ તેઓ આખા વર્ષ માટે કેટલાક ખેલાડીઓને સાઇન કરવા માંગે છે. આ નિયમથી ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર થવાનું જોખમ ઘટશે. બીજું, આ લીગને સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાની જવાબદારી પણ નિભાવવી પડશે. ત્રીજું, આવનારા સમયમાં ક્રિકેટ બોર્ડની કમાણી પર કોઈ ખતરો નહીં રહે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">