IPL 2024 શરૂ થવા પહેલા જ જોરદાર ડ્રામા, ટીમ ઈન્ડિયાના જ ખેલાડીઓ સામ-સામે!
આઈપીએલ 2024 સિઝન શરૂ થવામાં હજુ લાંબો સમય છે પરંતુ તેના વિશે ચર્ચાઓ પહેલેથી જ બની રહી છે. જ્યારથી રિટેન્શન લિસ્ટ બહાર આવ્યું છે ત્યારથી ખેલાડીઓને લઈને હોબાળો મચી ગયો છે. હાર્દિક પંડ્યાના ટ્રેડિંગ બાદ હવે જસપ્રીત બુમરાહને લઈને ઘણી વાતો શરૂ થઈ ગઈ છે, પરંતુ બુમરાહ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

19 ડિસેમ્બરના રોજ યોજાનારી IPL હરાજી પહેલા તમામ ટીમોએ ખેલાડીઓની રીટેન્શન અને રિલીઝની લિસ્ટ જાહેર કરી. આ યાદીમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો જોવા મળ્યા હતા. જેમાં સૌથી મોટો નિર્ણય એ હતો કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડી ફરીથી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા, પરંતુ ખરી રમત આ નિર્ણય પછી શરૂ થઈ, જેની અસર દૂર સુધી જોવા મળી રહી છે.
IPL શરૂ થવા પહેલા જ ડ્રામા શરૂ
IPLની પોતાની મજા છે, અહીં માત્ર બે મહિના માટે નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઉત્સાહ રહે છે. કારણ કે ક્રિકેટના મેદાન પર મેચ બે મહિના ચાલે છે, પરંતુ બાકીના 10 મહિનાની બીજી રમત મેદાનની બહાર ચાલતી હોય છે. હવે આ રમતમાં વસ્તુઓ હરાજીથી આગળ વધી છે અને IPLમાં ટ્રેડિંગ બાદ નવી ગેમ શરૂ થઈ છે, જે હવે નવું સ્વરૂપ ધારણ કરશે એવું લાગી રહ્યું છે.
રિટેન્શન લિસ્ટ બહાર આવ્યા બાદનો ડ્રામા
આઈપીએલ 2024 પહેલા યોજાનારી હરાજી માટે ટીમો તૈયાર હતી, પરંતુ કોઈને ખબર ન હતી કે આ રમત ચેસ જેટલી હોંશિયાર બની જશે. રિટેન્શન લિસ્ટ બહાર આવ્યા બાદ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે અને દરેક ટીમ અને ખેલાડી માટે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસી
રિટેન્શન લિસ્ટ બહાર આવવાના બે દિવસ પહેલા જ વાતાવરણ એવું બનવાનું શરૂ થઈ ગયું હતું કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સથી અલગ થઈ રહ્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સમાં તેની વાપસી પણ નિશ્ચિત છે. રિટેન્શન લિસ્ટ બહાર પડ્યું પણ અહીં ટ્વીસ્ટ આવ્યો, ગુજરાતે હાર્દિકને જાળવી રાખ્યો. બધાને લાગ્યું કે આ માત્ર અફવા છે, થોડા સમય પછી મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડ દ્વારા ગુજરાત ટાઈટન્સમાંથી હાર્દિક પંડ્યાને હસ્તગત કર્યો.
શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન
પરંતુ ડ્રામા અહીં પૂરો ન થયો, હાર્દિક જ્યારે બહાર ગયો ત્યારે ગુજરાત ટાઈટન્સે વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો. કેન વિલિયમ્સન અને રાશિદ ખાનને સાઈડલાઈન કરીને ટીમે 24 વર્ષીય શુભમન ગિલને કેપ્ટનશિપ સોંપી. શુભમન ગિલ હજી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર હતો, પરંતુ તેના ખભા પર મોટી જવાબદારી આવી ગઈ હતી.
બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું
જ્યારે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો ત્યારે ત્યાં પણ થોડો હંગામો થયો, સોમવારે ટ્રેડિંગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી અને મંગળવારે સમાચાર આવ્યા કે જસપ્રીત બુમરાહ કદાચ ટીમ મેનેજમેન્ટથી થોડો નારાજ છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું, ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ કે જસપ્રીત બુમરાહ કદાચ હાર્દિક પંડ્યાની વાપસીથી ખુશ નહીં હોય.
શું જસપ્રીત હાર્દિકની વાપસીથી નારાજ છે?
બુમરાહની નારાજગીનું કારણ એ છે કે તે પોતે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનવાની રેસમાં હતો, આવી સ્થિતિમાં જો હાર્દિક પંડ્યાને બીજી ટીમમાંથી લાવીને કેપ્ટન્સી સોંપવામાં આવે તો કદાચ તેની સાથે ખોટું થશે. જો કે, બુમરાહના કિસ્સામાં, વસ્તુઓને માત્ર અટકળો તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે સત્તાવાર કંઈપણ કરવામાં આવ્યું નથી. પરંતુ જો આપણે ટ્રેડિંગની વાત કરીએ તો આ હરાજી પહેલા 10 દિવસ પહેલા સુધી ખુલ્લી રહે છે.
ક્રિકેટની સૌથી મોટી T20 લીગમાં ડ્રામા
જે વસ્તુઓ તમે અત્યાર સુધી ફૂટબોલમાં જોતા હતા તે હવે ક્રિકેટમાં થઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે માત્ર લીગ દરમિયાન જ નહીં, પરંતુ બાકીના સમએ પણ તમે તમારી ક્લબ અને ખેલાડીઓના ટ્રેડિંગના સમાચાર આવતા રહેશે. એટલે કે, હવે દરેકને IPLનો મોટો ડ્રામા જોવા મળશે અને કદાચ આ જ ક્રિકેટની સૌથી મોટી T20 લીગની વિશેષતા છે.
આ પણ વાંચો: મુંબઈમાં હાર્દિક પંડ્યાની રી-એન્ટ્રી બાદ જસપ્રીત બુમરાહની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચાનો વિષય બની
