AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 Video : શ્રેયસ અય્યરના વિજયી ચોગ્ગા પર અમિત શાહે આપ્યુ આવું રિએક્શન

ભારતના ગૃહ મંત્રી અમિત શાહ પર પોતાના પરિવાર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં મેચ જોવા આવ્યા હતા. તેઓ પ્રેસિડેન્શ્યલ સ્યુટ છોડી લોકોની વચ્ચે સ્ટેન્ડમાં પત્ની અને પૌત્રી સાથે બેઠા હતા. શ્રેયસ અય્યરના વિજયી ચોગ્ગા સાથે તેઓ પણ ખુશ થયા હતા. તેમના રિએક્શનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

World Cup 2023 Video : શ્રેયસ અય્યરના વિજયી ચોગ્ગા પર અમિત શાહે આપ્યુ આવું રિએક્શન
Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 9:35 PM
Share

Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ  (Rohit Sharma) ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો જારી રાખ્યો છે.

આ તેની આઠમી જીત છે. હવે આ ટૂર્નામેન્ટમાં ભારત તેની સામે હાર્યું નથી. કેપ્ટન રોહિત શર્માએ 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે જ સમયે, જસપ્રિત બુમરાહે સાત ઓવરમાં 19 રન આપીને બે વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : IND vs PAK: ભારતનો વિશ્વકપમાં પાકિસ્તાન સામે વધુ એક શાનદાર વિજય, રોહિત શર્માના તોફાની 86 રન

શ્રેયસ અય્યરના ચોગ્ગા સાથે અમિત શાહે આપ્યા આવા રિએક્શન

ભારતના ગૃહ મંત્રી અમિત શાહ પર પોતાના પરિવાર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં મેચ જોવા આવ્યા હતા. તેઓ પ્રેસિડેન્શ્યલ સ્યુટ છોડી લોકોની વચ્ચે સ્ટેન્ડમાં પત્ની અને પૌત્રી સાથે બેઠા હતા. શ્રેયસ અય્યરના વિજયી ચોગ્ગા સાથે તેઓ પણ ખુશ થયા હતા. તેમના રિએક્શનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પાકિસ્તાનના છ બેટ્સમેન બે આંકડાને સ્પર્શી શક્યા ન હતા

આ પહેલા પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. ગત મેચમાં સદી ફટકારનાર મોહમ્મદ રિઝવાન આ વખતે અડધી સદી ચૂકી ગયો હતો. તે 49 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. ઈમામ ઉલ હકે 36, અબ્દુલ્લા શફીકે 20 અને હસન અલીએ 12 રન બનાવ્યા હતા. આ સિવાય છ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. સઈદ શકીલ છ રન, મોહમ્મદ નવાઝ ચાર, ઈફ્તિખાર અહેમદ ચાર, શાદાખ ખાન બે અને હરિસ રઉફ બે રન બનાવીને આઉટ થયા હતા.

ટીમ ઈન્ડિયા તરફથી પાંચ બોલરોએ બે-બે વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. બોલરોમાં શાર્દુલ ઠાકુર એકમાત્ર એવો હતો જેને એક પણ સફળતા મળી ન હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Breaking News : પાકિસ્તાન ટીમની ખરાબ હાલત જોઈને ઝોમેટોએ કરી સ્પેશિયલ ડિમાન્ડ

g clip-path="url(#clip0_868_265)">