AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCIમાં જય શાહનું સ્થાન લેશે 3 મેચ રમનાર ગુજરાતી ક્રિકેટર! આ ત્રણ પણ છે દાવેદાર

જય શાહ 2019માં BCCIના સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી તેઓ આ પદ પર છે. હવે 5 વર્ષ સુધી સેક્રેટરી રહ્યા બાદ જય શાહ ICCના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે, જ્યાં તેઓ 1 ડિસેમ્બરથી આ પદ સંભાળશે. આવી સ્થિતિમાં BCCIમાં તેમનું સ્થાન કોણ લેશે તે પ્રશ્ન છે.

BCCIમાં જય શાહનું સ્થાન લેશે 3 મેચ રમનાર ગુજરાતી ક્રિકેટર! આ ત્રણ પણ છે દાવેદાર
Jay Shah (File Photo)
| Updated on: Sep 05, 2024 | 9:09 PM
Share

આગામી કેટલાક મહિનામાં વિશ્વ ક્રિકેટમાં મોટા ફેરફારો થવાના છે અને તેનું કારણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે. વર્તમાન BCCI સચિવ જય શાહ આ વર્ષના અંતમાં બોર્ડમાંથી રાજીનામું આપશે કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. શાહ 1 ડિસેમ્બરથી આ પદ સંભાળશે, જેના કારણે BCCIમાં તેમનું પદ ખાલી થઈ જશે. હવે સવાલ એ છે કે શાહનું સ્થાન કોણ લેશે?

જય શાહનું સ્થાન કોણ લેશે?

આ અંગેનો નિર્ણય થોડા અઠવાડિયા પછી જ લેવામાં આવશે પરંતુ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના પૂર્વ ક્રિકેટર અનિલ પટેલ આ પદ પર આવી શકે છે. અનિલ પટેલ ગુજરાત માટે 3 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા અને હાલમાં તે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા છે. જો કે અનિલ પટેલ ઉપરાંત કેટલાક દાવેદારોના નામ પણ ચર્ચામાં છે.

જય શાહ ICC અધ્યક્ષની જવાબદારી સંભાળશે

જય શાહે 2019માં પહેલીવાર BCCI સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારથી જય શાહ આ પદ પર છે. તેમના કાર્યકાળમાં માત્ર એક વર્ષ બાકી છે, પરંતુ તે પહેલા તેમણે ICCની કમાન સંભાળવાનો નિર્ણય કર્યો છે. શાહે 27 ઓગસ્ટે ICC અધ્યક્ષ પદ માટે પોતાનું નામાંકન ભર્યું હતું, જ્યાં અન્ય કોઈ દાવેદાર નહોતા અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. શાહ હવે ICCમાં જશે, પરંતુ બોર્ડને તેમની જગ્યા ભરવા માટે નવા સેક્રેટરીની જરૂર પડશે, જેના માટે આ ચહેરા દાવેદાર છે.

અનિલ પટેલ

ગુજરાત તરફથી રમી ચૂકેલા પૂર્વ બેટ્સમેન અનિલ પટેલ પણ આ પદના દાવેદાર હોવાનું કહેવાય છે. તેનું કારણ તેનું ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથેનું કનેક્શન છે. પટેલ હાલમાં GCAના સેક્રેટરી છે. જય શાહ અગાઉ GCAના સેક્રેટરી પણ હતા, ત્યારબાદ તેઓ BCCI પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં અનિલ પટેલને પણ આવી તક મળે તેવી શક્યતા છે. અનિલ પટેલે ગુજરાત માટે 3 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેઓ માત્ર 33 રન જ બનાવી શક્યા હતા. તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2023ની ફાઈનલમાં ભારતીય ટીમના મેનેજર પણ હતા.

અરુણ ધૂમલ

કેન્દ્રીય મંત્રી અને પૂર્વ BCCI પ્રમુખ અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધૂમલ પણ છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડ સાથે જોડાયેલા છે. 2019માં, તેઓ BCCIના ખજાનચી તરીકે ચૂંટાયા. ત્યારબાદ માત્ર બે વર્ષ પહેલા જ તેઓ IPLના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. તેમના નેતૃત્વ હેઠળ, IPLની ત્રણ સફળ સિઝન આયોજિત કરવામાં આવી, સાથે જ મહિલા પ્રીમિયર લીગ પણ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. આ પહેલા તેઓ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ હતા.

આશિષ શેલાર

અરુણ ધૂમલ પછી, આશિષ શેલારે BCCIના નવા ખજાનચીનું પદ સંભાળ્યું અને હજુ પણ આ પદ પર છે. મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય શેલાર લાંબા સમયથી મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા હતા. અહીં 2015 માં, તેઓ પ્રથમ વખત એસોસિએશનના સભ્ય બન્યા અને પછી 2017 માં તેઓ MCAના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેઓ 2018 સુધી આ પદ પર રહ્યા અને પછી 2022માં તેમણે BCCIમાં પ્રવેશ કર્યો. જય શાહની ખૂબ જ નજીક હોવાને કારણે તેમની આ પોસ્ટ માટે પસંદગી થઈ શકે છે.

આ પણ વાંચો: 500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ નેશનલ ક્રિકેટ એકેડમીનું PM મોદી કરી શકે છે ઉદ્ઘાટન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
g clip-path="url(#clip0_868_265)">