ENGW vs INDW: ઈંગ્લેન્ડ સામે ભારતની કારમી હાર પાછળનું કારણ શું હતું ? મિતાલી અને ઝુલને જવાબ આપ્યો

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની હાર બાદ મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીએ પ્રતિક્રિયા આપી હતી.

ENGW vs INDW: ઈંગ્લેન્ડ સામે ભારતની કારમી હાર પાછળનું કારણ શું હતું ? મિતાલી અને ઝુલને જવાબ આપ્યો
Indian Women Cricket Team (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 5:22 PM

ભારતીય મહિલા ટીમની (Team India) સુકાની મિતાલી રાજ (Mithali Raj) અને વરિષ્ઠ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) એ બુધવારે જણાવ્યું હતું કે ટોચના ક્રમના બેટ્સમેને અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. પરંતુ આશા વ્યક્ત કરી છે કે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં જલ્દીથી તમામ ખેલાડીઓ તેના પ્રદર્શનમાં સુધારો લાવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે બુધવારે ભારતને માત્ર 134 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યાર બાદ 31.2 ઓવરમાં 4 વિકેટના ભોગે જીત મેળવી લીધી હતી. લીગ તબક્કામાં સતત ત્રણ મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે આ પ્રથમ જીત મેળવી હતી.

મિતાલી રાજે મેચ બાદ કહ્યું, “નિશ્ચિત પણે ટોચના ક્રમમાં અમે ધાર્યા કરતા ઘણું ખરાબ પ્રદર્શન કર્યું છે. અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. અમે 200 થી વધુ રન બનાવવાનું વિચાર્યું હતું અને જો એવું હોત તો કોઈપણ ટીમ આ મેચ જીતી શકી હોત.”

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઓસ્ટ્રેલિયા સામેની આગામી મેચ અંગે તેણે કહ્યું, “અમે દરેક મેચમાં ફિલ્ડિંગ યુનિટ તરીકે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ અને આશા છે કે અમે તેને ચાલુ રાખીશું. બેટિંગ ચિંતાનો વિષય છે પરંતુ આગામી મેચમાં અમે અમરી બેટિંગમાં વધુ સારો સુધારો લાવવા માટેનો પ્રયાસ કરીશું, અમારે એવી ટીમ સામે રમવાનું છે જે અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી.”

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઝુલન ગોસ્વામીએ પણ મિતાલી સાથે સહમત થઈ હતી. ઝુલને કહ્યું, “સાચું કહું તો, હા અત્યારે અમારો ટોપ ઓર્ડર અમારી અપેક્ષા મુજબનું પ્રદર્શન નથી કર્યું. પણ મને ખાતરી છે કે અમારે તેના વિશે સકારાત્મક રહેવું પડશે. કારણ કે આ ખેલાડીઓએ ભૂતકાળમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે.” ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ ધાર્યા કરતા સારી બેટિંગ કરી ન હતી. પણ મને આશા છે કે તે આગામી મેચમાં વધુ સારું પ્રદર્શન કરશે.”

હાર છતાં ભારત આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતે ચારમાંથી બે મેચ જીતી છે. જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ ચાર મેચમાં 2 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ઝુલને કહ્યું, “આ સૌથી મોટું પ્લેટફોર્મ છે, દરેક વ્યક્તિ સારું પ્રદર્શન કરવા અને ટીમ માટે યોગદાન આપવા માંગે છે. મને આશા છે કે અમે આગામી મેચમાં મજબૂત વાપસી કરીશું.”

આ પણ વાંચો : IPL 2022 : યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ ‘હેક’ કરી પોતાને કેપ્ટન બનાવ્યો

આ પણ વાંચો : ENGW vs INDW: સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતથી ડરી એલિસ પેરી, કહ્યું- બંને ખતરનાક છે

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">