AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENGW vs INDW: ઈંગ્લેન્ડ સામે ભારતની કારમી હાર પાછળનું કારણ શું હતું ? મિતાલી અને ઝુલને જવાબ આપ્યો

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની હાર બાદ મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીએ પ્રતિક્રિયા આપી હતી.

ENGW vs INDW: ઈંગ્લેન્ડ સામે ભારતની કારમી હાર પાછળનું કારણ શું હતું ? મિતાલી અને ઝુલને જવાબ આપ્યો
Indian Women Cricket Team (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 5:22 PM
Share

ભારતીય મહિલા ટીમની (Team India) સુકાની મિતાલી રાજ (Mithali Raj) અને વરિષ્ઠ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) એ બુધવારે જણાવ્યું હતું કે ટોચના ક્રમના બેટ્સમેને અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. પરંતુ આશા વ્યક્ત કરી છે કે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં જલ્દીથી તમામ ખેલાડીઓ તેના પ્રદર્શનમાં સુધારો લાવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે બુધવારે ભારતને માત્ર 134 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યાર બાદ 31.2 ઓવરમાં 4 વિકેટના ભોગે જીત મેળવી લીધી હતી. લીગ તબક્કામાં સતત ત્રણ મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે આ પ્રથમ જીત મેળવી હતી.

મિતાલી રાજે મેચ બાદ કહ્યું, “નિશ્ચિત પણે ટોચના ક્રમમાં અમે ધાર્યા કરતા ઘણું ખરાબ પ્રદર્શન કર્યું છે. અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. અમે 200 થી વધુ રન બનાવવાનું વિચાર્યું હતું અને જો એવું હોત તો કોઈપણ ટીમ આ મેચ જીતી શકી હોત.”

ઓસ્ટ્રેલિયા સામેની આગામી મેચ અંગે તેણે કહ્યું, “અમે દરેક મેચમાં ફિલ્ડિંગ યુનિટ તરીકે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ અને આશા છે કે અમે તેને ચાલુ રાખીશું. બેટિંગ ચિંતાનો વિષય છે પરંતુ આગામી મેચમાં અમે અમરી બેટિંગમાં વધુ સારો સુધારો લાવવા માટેનો પ્રયાસ કરીશું, અમારે એવી ટીમ સામે રમવાનું છે જે અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી.”

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઝુલન ગોસ્વામીએ પણ મિતાલી સાથે સહમત થઈ હતી. ઝુલને કહ્યું, “સાચું કહું તો, હા અત્યારે અમારો ટોપ ઓર્ડર અમારી અપેક્ષા મુજબનું પ્રદર્શન નથી કર્યું. પણ મને ખાતરી છે કે અમારે તેના વિશે સકારાત્મક રહેવું પડશે. કારણ કે આ ખેલાડીઓએ ભૂતકાળમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે.” ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ ધાર્યા કરતા સારી બેટિંગ કરી ન હતી. પણ મને આશા છે કે તે આગામી મેચમાં વધુ સારું પ્રદર્શન કરશે.”

હાર છતાં ભારત આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતે ચારમાંથી બે મેચ જીતી છે. જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ ચાર મેચમાં 2 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ઝુલને કહ્યું, “આ સૌથી મોટું પ્લેટફોર્મ છે, દરેક વ્યક્તિ સારું પ્રદર્શન કરવા અને ટીમ માટે યોગદાન આપવા માંગે છે. મને આશા છે કે અમે આગામી મેચમાં મજબૂત વાપસી કરીશું.”

આ પણ વાંચો : IPL 2022 : યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ ‘હેક’ કરી પોતાને કેપ્ટન બનાવ્યો

આ પણ વાંચો : ENGW vs INDW: સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતથી ડરી એલિસ પેરી, કહ્યું- બંને ખતરનાક છે

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">