England પર સંકટનો નથી આવી રહ્યો અંત, ટીમની કેપ્ટન ભારત સામેની સિરીઝમાંથી બહાર

ઈંગ્લેન્ડની (England Women Cricket Team) કેપ્ટનને ગયા મહિને સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તે કોમનવેલ્થ ગેમ્સમાં પણ રમી શકી ન હતી.

England પર સંકટનો નથી આવી રહ્યો અંત, ટીમની કેપ્ટન ભારત સામેની સિરીઝમાંથી બહાર
heather-knight-england-women-cricket-teamImage Credit source: ECB
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 7:00 PM

કોમનવેલ્થ ગેમ્સ 2022માં યજમાન ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને (England Women Cricket Team) પોતાના ઘરમાં ખાલી હાથે રહેવું પડ્યું હતું. આ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી વખત મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ભારતે સિલ્વર અને ન્યુઝીલેન્ડે બ્રોન્ઝ જીત્યો હતો. ઈંગ્લેન્ડને ખિતાબ માટે દાવેદાર માનવામાં આવી રહ્યું હતું, પરંતુ ટીમ આમાં સફળ રહી ન હતી. તેના અનેક કારણોમાંથી એક કારણ ટીમની કેપ્ટન હિથર નાઈટની (Heather Knight) ગેરહાજરી પણ હતી. હવે ફરી એકવાર ઈંગ્લિશ ટીમે તેમના દિગ્ગજ કેપ્ટન વિના થોડો વધુ સમય પસાર કરવો પડશે અને આનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળી શકે છે.

ઈન્ડિયા સિરીઝ-WBBLમાંથી પણ બહાર

ઈજાના કારણે બર્મિંગહામ ગેમ્સમાંથી બહાર થઈ ગયેલી હેદર નાઈટ હવે આગામી કેટલાક અઠવાડિયા સુધી મેદાનમાં ઉતરી શકશે નહીં. 2017માં વર્લ્ડ કપ જીતનાર દિગ્ગજ કેપ્ટને હાલમાં જ હિપ સર્જરી કરાવી હતી, જેના કારણે તે આવતા મહિને ભારત સામે રમાનારી વનડે અને ટી20 સિરીઝમાં રમી શકશે નહીં. ભારત સામેની સીરીઝ જ નહીં, પરંતુ તેને ઓસ્ટ્રેલિયામાં વિમેન્સ બિગ બેશ લીગમાંથી પણ બહાર બેસવું પડશે.

રિહેબિલિટેશન પર હિથરનું ધ્યાન

31 વર્ષની ઈંગ્લિશ કેપ્ટન હિથર નાઈટે પોતે આ માહિતી આપી હતી. સ્ટાર બેટ્સમેને શુક્રવારે 19 ઓગસ્ટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર હોસ્પિટલમાંથી તેની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, મારી હિપ સર્જરી થઈ છે. દુર્ભાગ્યવશ આના કારણે હું ભારત અને વિમેન્સ બિગ બેશ લીગ સામેની સિરીઝમાંથી બહાર થઈ જઈશ, પરંતુ મારું લક્ષ્ય વર્ષના અંત સુધીમાં પરત ફરવાનો છે. ક્રિકેટથી દૂર રહેલા સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો પડશે અને રિહેબિલિટેશન શરૂ કરવું પડશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આવતા મહિને ટીમ ઈન્ડિયાનો પ્રવાસ

હિથર નાઈટ ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટી20 મેચ દરમિયાન ઈજા થઈ હતી. આ દરમિયાન તેણે દુખાવો ઓછો કરવા માટે હિપ જોઈન્ટ્સમાં ઈન્જેક્શન લેવા પડ્યા. પરંતુ વધતી જતી પીડાને કારણે તે CWG 2022માં રમી શકી ન હતી. તેની ગેરહાજરીમાં ટીમની કમાન સ્ટાર ઓલરાઉન્ડર નેટ સિવરે સંભાળી હતી. સિવર હવે ભારત સામેની વનડે અને ટી-20 સિરીઝમાં કેપ્ટન રહેશે. ભારતીય ટીમ આ સિરીઝ માટે આવતા મહિને ઈંગ્લેન્ડ જશે. આ પ્રવાસ 10 સપ્ટેમ્બરથી ટી-20 સિરીઝ સાથે શરૂ થશે. ટીમ ઈન્ડિયા 3 વનડે અને 3 ટી20 મેચ રમશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">