દિલ્હી કોર્ટે શિખર ધવનની પત્નીને તેમના પુત્રને ભારત લાવવાનો આદેશ આપ્યો

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ક્રિકેટર શિખર ધવનની પત્ની આયેશા મુખર્જીને તેમના 9 વર્ષના બાળકને પરિવારને મળવા માટે ભારત લાવવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે બાળક પર એકલી માતાનો કોઈ અધિકાર નથી.

દિલ્હી કોર્ટે શિખર ધવનની પત્નીને તેમના પુત્રને ભારત લાવવાનો આદેશ આપ્યો
Shikhar Dhawan and his son Zoravar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 6:24 PM

એકલી માતાનો બાળક પર કોઈ અધિકાર નથી, તેવું અવલોકન કરીને દિલ્હીની પટિયાલા હાઉસ ફેમિલી કોર્ટે તાજેતરમાં ક્રિકેટર શિખર ધવનની પત્ની આયેશા મુખર્જીને તેમના નવ વર્ષના પુત્રને ભારત લાવવાનો આદેશ આપ્યો હતો. શિખર ધવનનો પરિવાર ઓગસ્ટ 2020થી બાળકને મળ્યો નથી તે પછી જજ હરીશ કુમારે બાળકને ભારત લાવવા સામે વાંધો ઉઠાવવા બદલ આયેશાની ટીકા કરી હતી. હકીકતમાં, ધવન દંપતી હવે અલગ રહે છે અને છૂટાછેડા અને બાળકની કસ્ટડીને લગતા ભારત અને ઓસ્ટ્રેલિયામાં કાનૂની કેસ શરૂ કર્યા છે.

Delhi Patiala House Court orders cricketer Shikhar Dhawan wife Ayesha Dhawan to bring their 9-year-old child to India to meet the family

Shikhar with Ayesha and Zoravar

કોર્ટે નારાજગી વ્યક્ત કરી

એક તરફ આયેશા બાળકના જીવનમાં ધવનની મહત્વની ભૂમિકાને સમજવાનો દાવો કરે છે અને બીજી તરફ તે બાળકને તેના પિતા અને દાદા-દાદીને મળવા લાવવા સામે વાંધો ઉઠાવી રહી છે.  બાળકના પરિવારને મળવા પર આયેશા મુખર્જીના વાંધાને લઈને પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે શિખર ધવનનો પરિવાર ઓગસ્ટ 2020થી બાળકને મળ્યો નથી. એકલી માતાનો બાળક પર કોઈ અધિકાર નથી. જો શિખર ધવન અત્યાર સુધી એક સારો પિતા સાબિત થયો છે તો તેને બાળકના પરિવારને મળવામાં કેમ વાંધો છે. કોઈપણ રીતે, શિખર ધવન કાયમી કસ્ટડી માંગતો નથી, તે ફક્ત તેના બાળકને મળવા માંગે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બાળકની કસ્ટડી 28 જૂને ધવન પરિવારને સોંપશે

કોર્ટે આયેશા મુખર્જીને નિર્દેશ આપ્યો છે કે તે બાળકને પોતે ભારત લાવે અથવા તેને ધવન પરિવારને મળવા માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિ મારફતે મોકલે. બાળકની કસ્ટડી 28 જૂને સવારે 10 વાગ્યે દિલ્હીમાં ધવન પરિવારને સોંપવામાં આવે. જો કોઈ કારણોસર આયેશા માટે આ શક્ય ન હોય તો તે આ આદેશના 72 કલાકની અંદર પોતાની અસમર્થતા વ્યક્ત કરી શકે છે. આવા કિસ્સામાં શિખર ધવન બાળકને ઓસ્ટ્રેલિયાથી લાવશે અને આયેશા બાળકને ભારત આવવા માટે વિઝા/જરૂરી મંજૂરી મેળવવા માટે જવાબદાર રહેશે. એવી વ્યવસ્થા કરવી જોઈએ કે બાળક 27મી જૂને ભારત આવે અને 4 જુલાઈએ તેને ઓસ્ટ્રેલિયા પરત મોકલવામાં આવે. પ્રવાસનો ખર્ચ શિખર ધવન ઉઠાવશે.

આ પણ વાંચોઃ WTC Final: શું પિચ જોઈ ટીમ ઈન્ડિયા ડરી ગઈ? રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાની માનસિકતા પર ઉઠાવ્યા સવાલ

છૂટાછેડા-બાળકની કસ્ટડીને લઈ કાનૂની લડાઈ

તમને જણાવી દઈએ કે આયેશા અને શિખર ધવન એકબીજાથી અલગ થઈ ગયા છે અને બંને વચ્ચે છૂટાછેડા અને બાળકની કસ્ટડીને લઈને કાનૂની લડાઈ ચાલી રહી છે. હાલના સમયમાં દિવસોમાં આયેશા તેના પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">