AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheteshwar Pujara ને IPL માં ભલે મોકો ના મળ્યો હવે, 14 એપ્રિલથી ઇંગ્લેન્ડમાં દમ દેખાડશે!

ઇંગ્લેંડ સામે આમ તો ટીમ ઇન્ડિયાના મિશનને હજુ અઢી માસનો સમયગાળો બાકી છે, આ દરમિયાન તે ટીમમાં પોતાનો સ્થાન પરત મેળવવા માટે પુરો દમ લગાવી દેશે, આ માટે તે કાઉન્ટી ક્રિકેટમાં રમવા ઇંગ્લેંડ પહોંચી ચુક્યો છે.

Cheteshwar Pujara ને IPL માં ભલે મોકો ના મળ્યો હવે, 14 એપ્રિલથી ઇંગ્લેન્ડમાં દમ દેખાડશે!
Cheteshwar Pujara ગત સિઝનમાં CSK નો હિસ્સો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:02 AM
Share

ઇંગ્લેંડમાં ખરા મિશનને હજુ અઢી મહિનાથી વધુ સમય બાકી છે. પરંતુ, હવે તેને સફળ બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે મહત્વનો બેટ્સમેન ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યો છે, તેના માટે ત્યાં જવું પણ જરૂરી હતું. કારણ છે ટીમ ઈન્ડિયામાં પોતાના ફોર્મની સાથે સાથે સ્થાન ગુમાવવાનું. અમે વાત કરી રહ્યા છીએ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ની, જે ઈંગ્લેન્ડ પહોંચીને મિશન પર છે. તે કાઉન્ટી ક્રિકેટ (Cheteshwar Pujara) માં ભાગ લેવા માટે ત્યાં ગયો છે. પરંતુ, આના દ્વારા તેનો ઇરાદો તેનું ફોર્મ શોધવાનો રહેશે. તેનો પ્રયાસ ટીમ ઈન્ડિયા (Team India) માં સ્થાન બનાવવાનો રહેશે, જે ઈંગ્લેન્ડના પ્રવાસે જનાર છે. જ્યાં 1 જુલાઈથી રમાનારી ટેસ્ટ મેચમાં ભાગ લેશે.

ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી ટેસ્ટ મેચ અગાઉના પ્રવાસ પર રમાયેલી શ્રેણીનો ભાગ હશે. ટેસ્ટ મેચની તે શ્રેણીમાં ભારતીય ટીમ 2-1 થી આગળ રહી છે. આવી સ્થિતિમાં ભારત 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન રમાનારી ટેસ્ટ જીતે છે, તો સિરીઝ પર 3-1 થી કબજો કરી લેશે. આ સાથે ઈંગ્લેન્ડ માટે પણ સિરીઝ ડ્રો કરવાની તક રહેશે.

પુજારા ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ કાઉન્ટી ટીમ સાથે જોડાયો

ચેતેશ્વર પૂજારા 14 એપ્રિલથી ઈંગ્લેન્ડ સામે જુલાઈમાં રમાનારી ટેસ્ટ મેચની તૈયારી શરૂ કરશે, જ્યારે તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. કાઉન્ટી ક્રિકેટમાં પૂજારા સસેક્સ ટીમનો ભાગ છે. સસેક્સે પુજારાનો ટીમ સાથે જોડાતા વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે કહેતો જોવા મળે છે કે તે તેના માટે કેટલો આતુર છે.

પૂજારાની ચોથી કાઉન્ટી ટીમ છે સસેક્સ

ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લેતા પહેલા સસેક્સમાં જોડાવા માટે ઈંગ્લેન્ડ પહોંચવું પડ્યું હતું. પરંતુ, વિઝા મેળવવામાં વિલંબના કારણે તે 7 એપ્રિલથી શરૂ થયેલી પ્રથમ મેચથી દૂર રહ્યો. ચેતેશ્વર પૂજારા માટે સસેક્સ તેની ચોથી ટીમ છે. તે અગાઉ ડર્બીશાયર, નોટિંગહામશાયર અને યોર્કશાયર તરફથી રમી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટેવિસ હેડના સ્થાને સસેક્સે પોતે ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટની પસંદગી કરી હતી. સસેક્સ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેની બીજી મેચ 14 એપ્રિલે રમશે. આ મેચ ડર્બીશાયર સામે થશે.

IPL 2022 ની હરાજીમાં કોઈ ટીમે ના રસ ના દર્શાવ્યો

પુજારા ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો હતો. પરંતુ તેને આ વખતની સિઝન માટે રિટેન કર્યો નહોતો આમ તેણે ફરીથી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. પરંતુ ભારતીય ક્રિકેટના આ સિનીયર ખેલાડીની આઇપીએલની કોઈ ફેન્ચાઈઝીએ ખરીદવા માટે રસ દાખવ્યો નહોતો. તેનુ પ્રદર્શન ઝડપી રમત ની ટૂર્નામેન્ટ આઇપીએલના અનુરુપ હાલમાં નથી અને એટેલ જ કોઈ ટીમે તેની પર ભરોસો દાખવ્યો નથી એ સ્વાભાવિક છે. તે આઇપીએલમાં 30 મેચ રમ્યો છે અને જેમાં તેણે 390 રન નોંધાવ્યા છે.

આ પણ વાંચો : IPL નો હિસ્સો ના બનાવ્યા તો કંઈ નહી, ઢાકામાં જઈ ‘હલ્લા બોલ’ કર્યો, સૌરાષ્ટ્રના ખેલાડીએ ધમાલ મચાવી બાંગ્લાદેશમાં છવાઇ ગયો

આ પણ વાંચો : IPL 2022: દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં પરત ફરશે કે કેમ, RCB ના સ્ટાર ખેલાડીને લઈ રવિ શાસ્ત્રીએ આપ્યુ મોટુ નિવેદન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">