AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં પરત ફરશે કે કેમ, RCB ના સ્ટાર ખેલાડીને લઈ રવિ શાસ્ત્રીએ આપ્યુ મોટુ નિવેદન

KKR નો પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક (Dinesh Karthik) આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. આ સિઝનમાં તે અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

IPL 2022: દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં પરત ફરશે કે કેમ, RCB ના સ્ટાર ખેલાડીને લઈ રવિ શાસ્ત્રીએ આપ્યુ મોટુ નિવેદન
Dinesh Karthik બેંગ્લોર માટે સારુ પ્રદર્શન કરી રહ્યો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 8:38 PM
Share

IPL 2022 ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનું કારણ છે વર્ષના અંતમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) . હાલ આ ટુર્નામેન્ટ માટે ટીમ નક્કી નથી તેથી દરેક જગ્યા માટે ખેલાડીઓ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. IPL એ ઘણા ખેલાડીઓ માટે પોતાને સાબિત કરવા અને ટીમમાં જગ્યા બનાવવાની મોટી તક છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નું માનવું છે કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ દિનેશ કાર્તિક (Dinesh Karthik) પણ IPL દ્વારા ટીમમાં જગ્યા બનાવી શકે છે.

KKRનો ભૂતપૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. તેણે આ ત્રણ મેચમાં 44 બોલમાં 99 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 204.5 છે. તે હવે મેચ ફિનિશરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ કારણે રવિને લાગે છે કે ટૂંક સમયમાં કાર્તિક ટીમમાં વાપસી કરી શકે છે.

દિનેશ કાર્તિક ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે

તેના વિશે વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, તે જેટલી ક્રિકેટ રમ્યો છે તેનાથી ઈજા થઈ શકે છે. જો આ આઈપીએલ સિઝન તેના માટે સારી રહેશે તો તે ટીમમાં વાપસી કરી શકે છે. દિનેશ કાર્તિકે ખરેખર ધમાકેદાર શરૂઆત કરી છે. તેની પાસે અનુભવ સિવાયના તમામ શોટ્સ છે. હવે ટીમમાં ધોની નથી તેથી તમારે ફિનિશરની જરૂર છે. પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ટીમમાં કેટલા વિકેટકીપરની જરૂર છે. ઈશાન કિશન, ઋષભ પંત અને હવે દિનેશ કાર્તિક. એમાંથી કોઈને પણ ઈજા થાય તો કાર્તિક આપોઆપ અંદર આવી જાય છે.

ધોનીના કારણે કાર્તિકને સ્થાન ન મળ્યું

જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં હતો ત્યારે દિનેશ કાર્તિક ક્યારેય ટીમ ઈન્ડિયામાં કાયમી જગ્યા બનાવી શક્યો ન હતો. ધોનીના કેપ્ટન બનવાના કારણે તે ક્યારેય ટીમમાં જગ્યા નથી બનાવી શક્યો નથી. જ્યારે ધોનીએ ટીમ છોડી ત્યારે દિનેશ કાર્તિક, રિદ્ધિમાન સાહા અને રિષભ પંત જેવા વિકેટ કીપર બેટ્સમેન રેસમાં હતા, જેના કારણે કાર્તિક ફરી પાછળ પડી ગયો હતો. જોકે તેણે ક્યારેય હાર ન માની અને આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રયાસ કરતો રહ્યો. તેણે ચાર વર્ષ પહેલા નિદહાસ ટ્રોફીમાં ફિનિશર તરીકે સાબિત કર્યું હતું. ફાઈનલ મેચમાં તેણે 8 બોલમાં 29 રન બનાવી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેમાં છેલ્લા બોલ પર સિક્સર પણ સામેલ છે.

આ પણ વાંચો : IPL નો હિસ્સો ના બનાવ્યા તો કંઈ નહી, ઢાકામાં જઈ ‘હલ્લા બોલ’ કર્યો, સૌરાષ્ટ્રના ખેલાડીએ ધમાલ મચાવી બાંગ્લાદેશમાં છવાઇ ગયો

આ પણ વાંચો : IPL 2022: આયુષ બદોનીને દિલ્હી કેપિટલ્સે 3 વાર ટ્રાયલ લઈ છોડી દીધો, દિલ તોડનારા એ 3 બોલમાં જ ભારે પડતા પસ્તાવો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">