AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાનમાં વિદેશી ખેલાડીઓ ખતરામાં, આતંકવાદી જૂથે જાનથી મારી નાખવાની ધમકી આપી

પાકિસ્તાન સુપર લીગ શરૂ થાય તે પહેલા એક આતંકવાદી જૂથે તમામ વિદેશી ખેલાડીઓને ધમકી આપી છે. વિદેશી ખેલાડીઓને ટુર્નામેન્ટમાં ન રમવા જણાવ્યું છે અને જો રમવા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ધમકી બાદ ફફડાટ મચી ગયો છે અને વિદેશી ખેલાડીઓના ભાગ લેવા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.

Breaking News : પાકિસ્તાનમાં વિદેશી ખેલાડીઓ ખતરામાં, આતંકવાદી જૂથે જાનથી મારી નાખવાની ધમકી આપી
PSLImage Credit source: X
| Updated on: Mar 23, 2026 | 8:28 PM
Share

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા ઘણા ખેલાડીઓ PSL માંથી ખસી ગયા, પછી ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ઈંધણની અછતને કારણે ટુર્નામેન્ટ બંધ દરવાજા પાછળ યોજવાની ફરજ પડી. હવે, કંઈક એવું બન્યું છે જે સમગ્ર ટુર્નામેન્ટને જોખમમાં મૂકી શકે છે. પાકિસ્તાન સુપર લીગ શરૂ થાય તે પહેલાં એક આતંકવાદી સંગઠને બધા વિદેશી ખેલાડીઓને ધમકી આપી છે.

વિદેશી ખેલાડીઓને મળી ધમકી

તેમનું કહેવું છે કે વિદેશી ખેલાડીઓએ પાકિસ્તાન ન આવવું જોઈએ નહીં તો જે કંઈ થશે તેના માટે તેઓ જવાબદાર રહેશે નહીં. ધમકી આપનાર જૂથ, જમાત-ઉલ-અહરારે જાહેર નિવેદન જારી કરીને ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ડેરિલ મિશેલ જેવા ખેલાડીઓને PSL માં ભાગ ન લેવા કહ્યું છે. તેઓ જો ટુર્નામેન્ટમાં ભાગ લેશે તો જીવને ખતરો થઈ શકે છે.

જમાત-ઉલ-અહરારની ધમકી

જમાત-ઉલ-અહરારે ધમકી આપતા કહ્યું, “અમે વિશ્વભરના તમામ ક્રિકેટ બોર્ડને સલાહ આપીએ છીએ કે તેઓ તેમના ખેલાડીઓને પાકિસ્તાન ન મોકલે. જો તેમને અહીં કંઈ થશે તો તેઓ જવાબદાર રહેશે નહીં. અમે પહેલેથી જ ચેતવણી આપી છે. જો ખેલાડીઓ પાછા નહીં હટે, તો અમે અમારી તાકાતમાં જે હશે તે કરીશું પરંતુ મેચ થવા દઈશું નહીં. અમે ખેલાડીઓને મેદાનમાં ઉતરતા અટકાવવા માટે તમામ પ્રયાસો કરીશું.”

વિદેશી ખેલાડીઓની સુરક્ષા સામે સવાલ

ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ વિદેશી ખેલાડીઓમાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, મોઈન અલી, ડેવોન કોનવે અને એડમ ઝામ્પા સામેલ છે. તેમના ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે હવે પ્રશ્ન ઊભો થયો છે. PCB અને અન્ય ક્રિકેટ બોર્ડોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના ખેલાડીઓની સુરક્ષાની ખાતરી કરે.

સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં

સુરક્ષા કારણોસર ઉદ્ઘાટન સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે. PCBએ કહ્યું છે કે હાલની સ્થિતિ ચાલુ રહે ત્યાં સુધી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં મળે. આ નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ ખેલાડીઓની સલામતી માટે જરૂરી હતો.

Breaking News: અક્ષર પટેલને BCCIનો આ નિયમ નથી પસંદ, IPL 2026 પહેલા નારાજગી વ્યક્ત કરી

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">