AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈંગ્લેન્ડમાં રમાનારી વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-બુમરાહ ઈન, અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર આઉટ

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ T20 ઉપરાંત ત્રણ ODI રમશે. T20 સીરિઝ માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. હવે, ભારતીય પસંદગીકારોએ ODI ટીમની પણ પસંદગી કરી છે.

Breaking News  : ઈંગ્લેન્ડમાં રમાનારી વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-બુમરાહ ઈન, અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર આઉટ
Team India Against England ODI SeriesImage Credit source: BCCI
| Updated on: Jun 21, 2026 | 2:26 PM
Share

ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ODI સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત આજે રવિવાર, 21 જૂને કરવામાં આવી છે. હાલમાં સંપૂર્ણપણે ફિટ ન હોય તેવા વિરાટ કોહલીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કોહલીની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સને આધીન છે. આનો અર્થ એ થયો કે જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરે તો જ તે સીરિઝમાં ભાગ લઈ શકશે.

ભારતીય ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ

ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે અને ત્યાં 3 મેચની ODI સીરિઝ રમશે. આ પ્રવાસમાં સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ સીરિઝમાં અનુભવી ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યું છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઇનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે.

વિરાટ કોહલી પર સસ્પેન્સ છે

આ દરમિયાન, IPL 2026 ની ફાઇનલમાં RCB ને જીત અપાવ્યા બાદ વિરાટ કોહલીને હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી. આ કારણે, તે અફઘાનિસ્તાન સામેની સીરિઝ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા ઈજાને કારણે આ શ્રેણીમાંથી છે. જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને વિરામ પછી ટીમમાં પાછા લાવામાં આવ્યા છે.

વનડે સીરિઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી* (ફિટનેસ ક્લિયરન્સને આધીન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિધ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રાર.

અફઘાનિસ્તાન સામે સદી ફટકારનારો યશસ્વી આઉટ 

યશસ્વી જયસ્વાલનો ઇંગ્લેન્ડ જતી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નતી. ચેન્નાઈમાં ત્રીજી અને અંતિમ ODIમાં જયસ્વાલે 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જયસ્વાલની જગ્યાએ વિરાટ કોહલી ટીમના ટોપ ઓર્ડરમાં પાછો આવ્યો છે.

મેચનું શેડ્યુલ

  • 1 જુલાઈ: પહેલી T20, ચેસ્ટર-લે-સ્ટ્રીટ
  • 4 જુલાઈ: બીજી T20, માન્ચેસ્ટર
  • 7 જુલાઈ: ત્રીજી T20, નોટિંઘમ
  • 9 જુલાઈ: ચોથી T20, બ્રિસ્ટોલ
  • 11 જુલાઈ: પાંચમી T20, સાઉથહેમ્પટન
  • 14 જુલાઈ: પહેલી વનડે, બર્મિંગહામ
  • 16 જુલાઈ: બીજી વનડે, કાર્ડિફ
  • 19 જુલાઈ: ત્રીજી વનડે, લોર્ડ્સ

આ પણ વાંચો, Breaking News : બાંગ્લાદેશ સામે હાર બાદ પાકિસ્તાન સાથે આ ટીમ પણ સેમિફાઈનલની રેસમાંથી થઈ બહાર ?

Follow Us
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">