Breaking News : RCBની પ્લેઈંગ ઈલેવનમાંથી વિરાટ કોહલી બહાર, જાણો કેમ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય?
IPL 2026 ની 23મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એક મોટો નિર્ણય લીધો હતો. RCB એ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો હતો. કોહલીને છેલ્લી મેચમાં ઈજા થઈ હતી, જે બાદ લખનૌ સામેની મેચમાં કોહલીને ડ્રોપ કરવામાં આવ્યો હતો.

IPL 2026 ની 23મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તેમના હોમ ગ્રાઉન્ડ, MA ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમી રહી છે. RCB ના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. RCB એ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કર્યો હતો. RCB એ વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો હતો.
કોહલી RCBના પ્લેઈંગ 11માંથી બહાર
આ મેચ માટે વિરાટને પ્લેઈંગ 11 માં સામેલ કરવામાં આવ્યો ન હતો, જોકે તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરી શકે છે. ટીમમાં બીજો ફેરફાર એ છે કે ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીના સ્થાને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની વાપસી થઇ છે. આ નિર્ણય RCB માટે ખૂબ જ આશ્ચર્યજનક માનવામાં આવે છે, કારણ કે વિરાટ આ સિઝનમાં સારા ફોર્મમાં છે.
VIRAT KOHLI AS IMPACT SUB FOR THE FIRST TIME IN HIS IPL CAREER pic.twitter.com/AvUIzCMHWN
— Johns. (@CricCrazyJohns) April 15, 2026
વિરાટ કોહલી ઈજાગ્રસ્ત
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વિરાટ કોહલીને ઈજા થઈ હતી. તે મેચમાં વિરાટે 38 બોલમાં 50 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થતો હતો. જોકે, જ્યારે ફિલ્ડિંગની વાત આવી ત્યારે તે ફિલ્ડિંગ પર ઉતર્યો ન હતો. પગની ઘૂંટીની સમસ્યાને કારણે સાવચેતી રૂપે તેને ફિલ્ડિંગથી દૂર રાખવામાં આવ્યો હતો. કોહલીને ગંભીર ઈજાથી રોકવા અને સંપૂર્ણ ફિટ રાખવા માટે RCB ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો હતો.
બંને ટીમોની પ્લેઈંગ 11
RCB– ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રસિક દાર, જોશ હેઝલવુડ.
LSG– મિશેલ માર્શ, એડન માર્કરમ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, અવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ.
